ગૌશાળા એક એવી જગ્યા છે. જ્યાં ગાય માતાની સાર સંભાળ રાખવામાં આવતી હોય છે. તેમજ સેવાધર્મ પણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગૌશાળાનું ખૂબ મોટું મહત્વ રહેલું છે. પરંતુ અમુક લોકો આ મહત્વ અને સમજ્યા વગર ગૌશાળાનો ખૂબ ખરાબ ઉપયોગ કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.
પોલીસે ગૌશાળાનું ચેકિંગ કર્યું હતું. ગૌશાળા ખૂબ જ સ્વચ્છતાની સાથે જ પોલીસને કંઈક ઉંધો શક ગયો હતો. તેણે સમગ્ર ગૌશાળાને તપાસ કરીને જે પણ વસ્તુ શંકાસ્પદ લાગે તેને શોધી લાવવા માટે સૌ કોઈને આદેશ આપી દીધા હતા. ત્રણ કલાકની મહેનત બાદ પણ ગૌશાળામાંથી કશું મળ્યું હતું નહીં..
અને અંતે જમીનની તપાસણી કરતા જણાવ્યું હતું કે, ગૌશાળામાં વચોવચ એક ભોયરું બનાવવામાં આવ્યું છે. એ ભોયરું આટલું બધું મોટું હતું કે તેની અંદર ટ્રેક્ટર નું ટેન્કર પણ સમાઈ જાય. આ ભોયરાને પોલીસે તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મહા મહેનતે ભોયરાને તોડયા બાદ જ્યારે પોલીસ અધિકારીઓ આની અંદર તપાસ માટે ઉતર્યા હતા..
ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા. કારણકે ભોયરાની અંદર એક આખું ટેન્કર જથ્થાબંધ પેટીઓ મળી આવી હતી. પેઢીઓની અંદર કુલ 50 જેટલા દારૂના ખોખા મળી આવ્યા હતા. હકીકતમાં આ મામલો રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાનો છે. જોધપુર જિલ્લાના પોલીસ વિભાગને એક બાતમી મળી હતી કે જોધપુરના હુક્કારામ બિશ્નોઈ નામના યુવક પાસે દારૂનો ખૂબ મોટો જથ્થો રહેલો છે.
આ દારૂના ખોખા ઉપર કોઈપણ પ્રકારના સ્ટીકર હતા નહીં. એટલે કે આ દારૂ દેશી છે કે વિદેશી તેની કોઈ પણ પ્રકારની જાણ હજુ સુધી થઈ નથી પરંતુ પોલીસને જે બાતમી મળી હતી કે હુક્કારામ બિશ્નોઈ નામના વ્યક્તિ પાસે દારૂ નો ખૂણો મોટો થતો રહેલો છે તે શંકા સત્ય માં પરિવર્તન પામી હતી.
પોલીસે હુક્કારામના ઘરે પણ દરોડા પાડયા હતા. પરંતુ ત્યાંથી પોલીસને ખાલી હાથ પાછું જવું પડયું હતું. પરંતુ ઘર નજીક આવેલી ગૌશાળામાં ચેકિંગ કરતાં દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. આ જોતાની સાથે જ હુક્કારામ પણ મૂંઝવણમાં મુકાઇ ગયો હતો કે પોલીસને આ સરનામું કેવી રીતે મળ્યું હશે.
પોલીસે દારૂનો ગોરખ ધંધો કરનાર હુક્કારામરામ બિશ્નોઈને પકડી પાડયો છે. અને તેની સામે કાયદેસરના પગલાં ભરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ખરેખર દારુના ગોરખધંધા કરનાર આવા લોકોને પકડીને કડક સજા આપવી જોઈએ. જેથી કરીને નશાની પાછળ કોઈ નિર્દોષ વ્યક્તિને લત ન લાગે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]