ખેડૂતો ખેતી કરવા માટે નાની ચીજ વસ્તુઓનો પણ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. મોટાભાગના ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે અને પશુઓનું છાણની સાથે સાથે સૂકા પાંદડા તેમજ અન્ય ફળદ્રુપ ચીજ વસ્તુઓને ભેગી કરીને એક ખાડામાં એકઠી કર્યા બાદ તેમાંથી ખાતર બનાવવામાં આવે છે..
અને આ ખાતરનો ઉપયોગ ખેતરમાં જ કરીને જમીન એકદમ પોચી અને પોષક તત્વો વાળી બનાવતા હોય છે. મોટાભાગના ખેડૂતો તેમના ખેતરની અંદર ખાતર બનાવવા માટે એક ખાડો ગાળીને રાખે છે. અને તેની અંદર ખેતીનો તમામ કચરો એકઠો કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઢાંકી દઈ અંદર ખાતર તૈયાર થઈ જતું હોય છે..
અત્યારે ખાતર બનાવવાના ખાડાની અંદર ખેતરમાં કામ કરતા મજૂરોને અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, મોઢે હાથ દઈને સૌ કોઈ લોકો ભાગવા લાગ્યા હતા. આ ઘટનાની જાણકારી ખેતરના માલિક સુધી પહોંચી ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા. ખેતરના માલિક હરિપ્રસાદભાઈ જ્યારે આ ખાડા પાસે પહોંચી આવ્યા ત્યારે તેઓએ જોયું તો..
ખાડાની અંદરથી ખાતરના કચરાની સાથે સાથે યુવકની લાશ પણ મળી આવી હતી. આ લાશ આટલી બધી દુર્ગંધ મારતી હતી કે, સૌ કોઈ લોકોએ પોતાના મોઢે અને નાક ઉપર હાથ દઈ દીધા હતા. આ દુર્ગંધથી સૌ કોઈ લોકો દૂર ભાગવા લાગ્યા, તેઓએ આ ઘટનાની જાણ કરી પોલીસ સુધી પહોંચાડી અને કહ્યું કે, તેમના ખેતરમાં ખાતર બનાવવાના ખાડાની અંદર યુવકની લાશ મળી આવી છે..
તરત જ પોલીસની ટીમો પણ અહીં આવી પહોંચી હતી અને ઘટના સ્થળની તલાશી પણ મેળવવામાં આવી હતી. આ તલાશી દરમિયાન જાણવા મળ્યું કે, આજથી બે મહિના પહેલા તેમના ખેતર થી અંદાજે એક કિલોમીટર દૂર આવેલા અન્ય એક ખેતરમાં રહેતો મજૂર અચાનક જ ગાયબ થઈ ગયો હતો..
આસપાસના વિસ્તારમાં તેની ઘણી બધી શોધ ખોળ કર્યા બાદ પણ તે મળી આવ્યો હતો નહીં, અને બે મહિના બાદ તેની લાશ ખૂબ જ સડી ગયેલી હાલતમાં હરિપ્રસાદ ભાઈના ખેતરમાં ખાતર બનાવવાના ખાડામાંથી મળી આવી હતી. આ જોતા ની સાથે સૌ કોઈ લોકો હચમચી ઊઠ્યા હતા..
પોલીસે ઘટનાની તપાસ ચલાવવાનું શરૂ કરી દીધી હતી. આ વ્યક્તિને કોણે મોતને ઘાટ ઉતારી દીધો હશે વગેરે જેવી પૂછપરછ અને અન્ય વ્યક્તિના નિવેદનો પણ મેળવાય રહ્યા છે. જ્યારે જ્યારે આવી હોશ ઉડાવતી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સામાન્ય વ્યક્તિનું ભેજુ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]