હમણાં થોડા દિવસ પહેલા જ સાસુ વહુને બટેકાનું શાક કેમ ન બનાવ્યું તે માટે મોટો ઝગડો થયો હતો અને હવે જમવામા મીઠું નાખવા બાબતે મિત્ર સાથે મોટા ઝગડામાં ઘાત.કી હ.ત્યા કરી નાખતા જ સમગ્ર ઘટનાનો મામલો પોલીસ સુધી પહોચ્યો છે. અત્યારે લોકો કશું જ જોયા વગર અને નાની નાની વાતોમાં એકબીજાના જીવ લેવા પર ઉતરી આવે છે.
સબંધ અને મિત્રતાની ભાન ભૂલીને લોકો મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા છે. યુપીના બારાબંકીમાં પણ એક એવો અણ બનાવ સામે આવ્યો છે કે જે વાંચીને તમને હસવું પણ આવશે અને દુઃખ પણ થશે. હકીકતમાં આ મામલો ત્રિપલ તલાકનો છે જે માત્ર ને માત્ર પાણી ગરમ કરવા બાબતે થયેલા ઝગડાને લીધે થયો છે.
આટલી નાની અમથી વાતમાં આટલો મોટો નિર્ણય લઈને પતિ અને પત્ની બને એક બીજાની જિંદગી ખરાબ કરી રહ્યા છે. સવાર સવારમાં પાણી ગરમ કરવાને લઈને પતિ-પત્નીમાં વિવાદ થઈ ગયો હતો. બાદમાં પતિએ ટ્રિપલ તલાક આપી દીધા. કહેવાય છે કે, બંનેના નિકાહને 16 વર્ષ થયા અને તેમને પાંચ બાળકો પણ છે.
ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બન્યો હોવા છતાં આ પ્રકારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. પીડિતાના ફરિયાદ પર પોલીસમાં કેસ નોંધાવામાં આવ્યો છે. આ કિસ્સો જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનના સહરુદ્દીનપુર ગામનો છે. મામૂલી વાત પર 16 વર્ષ બાદ એક શખ્સે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.
પીડિતાના ભાઈ સાથે પત્ની સ્ટેશને પહોંચી અને તલાકનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે મહિલાની વાત સાંભળ્યા બાદ આગળની તપાસ ચલાવી છે. પત્નીનો આરોપ છે કે લગ્ન બાદ તેના સાસરિયાઓ તેને હેરાન કરતા હતા. તેને પાંચ બાળકો છે અને સૌથી નાનું બાળક માત્ર બે વર્ષનું છે.
પીડિતાએ જણાવ્યું કે, ગુરુવારે જ્યારે પતિએ દવા ખાવા માટે ગરમ પાણી આપ્યું તો તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે અમે જાતે જ કરી લઈશું. તો મે પણ કહ્યું કે એમ જ કરો. ત્યારબાદ તે ગુસ્સે થઈ ગયો અને ત્રણ વખત તલાક કહીને મને ઘરની બહાર કાઢી મૂકી. તેમજ તમામ બાળકોને માર પણ માર્યો હતો.
આ મામલે એસઓ દર્શન યાદવે કહ્યું કે, એક મહિલાએ તેના પતિ પર ટ્રિપલ તલાક આપવાનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાનું કહેવું છે કે તેના નાના બાળકો છે જેમની સંભાળ રાખનાર કોઈ નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]