અત્યારના સમયમાં લોકો પોતાના મોજ શોખ પુરા કરી રહ્યા છે અને તેઓ જેટલી કમાણી કરે છે તેમાંથી અડધો ખર્ચો તેમના મોજ-શોખ પુરા કરવામાં કાઢી નાખે છે પરંતુ અમુક પરિવારો એવા છે કે જેમાં લોકો પોતાની કમાણી પ્રમાણે જીવન જીવી શકતા નથી અને માનસિક ત્રાસમાં રહીને એવી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે.
જેના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ભોપાલમાં રહેતા પરિવાર સાથે બની છે. પરિવાર ભોપાલમાં આવેલા પીપલાણ ના આનંદ નગર વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતો હતો. પરિવારમાં પતિ-પત્ની, વૃદ્ધ માતા અને તેમના બાળકો રહેતા હતા.
પરંતુ પરિવાર આર્થિક તંગીમાં જીવી રહ્યો હતો. પરિવારના આર્થિક તંગીને કારણે લોકો માનસિક ત્રાસમાં જીવી રહ્યા હતા. તેઓ પતિ-પત્ની પોતાના બાળકોને પણ શિક્ષણ માટે સારી સ્કૂલમાં મોકલી રહ્યા ન હતા અને તેઓ જે કમાણી કરતા હતા તે કમાણીથી ખાલી પોતાનું પેટ જ ભરી શકતા હતા. પરિવારમાં માતા. પત્ની અને બે દીકરીઓનું ભરણપોષણ કરવામાં પૈસા જતા રહેતા હતા.
યુવક પાસે કોઈ પણ રોજગારી ન રહેતા પરિવાર ભાંગી પડ્યું હતું અને તેઓ હવે શું કરશે તેમ વિચારી રહ્યા હતા. લોકો પાસેથી તેમણે મદદ માગી હતી પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમને મદદ કરવા તૈયાર ન થયા અને એક દિવસ પરિવારના લોકો પોતાના ઘરે સાથે બેઠા હતા. આર્થિક તંગીમાં જીવી રહેલું પરિવાર માનસિક રીતે ત્રાસી ગયું હતું.
જેના લીધે પરિવારના લોકોએ એકસાથે કોઈ ખાદ્ય પદાર્થમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ પાડોશીના લોકોને ઘરમાંથી કોઈ પણ અવરજવર ન દેખાતા તે સમયે પાડોશીના લોકોએ ઘરે જઈને જોયું તો પરિવારના દરેક લોકો સૂઈ રહ્યા હતા. તેમને જગાડવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ પરિવાર ઉઠ્યો નહીં.
જેના કારણે પાડોશીના લોકો પરિવારના લોકોને હોસ્પિટલ સારવારમાં લઈ ગયા હતા પરંતુ સારવાર ચાલુ કરે તે પહેલા જ પરિવારના લોકોને મૃત્યુ થઈ ગયા હતા. એકસાથે પરિવારમાં રહેતા પાંચ વ્યક્તિઓએ એકસાથે જીવ ગુમાવ્યો હતો. પરિવાર વિખેરાઈ ગયું હતું અને તેઓ એકસાથે પોતાનો જીવ ગુમાવ્યો હોવાને કારણે લોકો આઘાતમાં આવી ગયા હતા.
પાડોશીના લોકો આ જોઈને પોતાનો હોશ ગુમાવી બેઠા હતા. આનંદ નગર વિસ્તારમાં શોકનો માહોલ જવાઈ ગયો હતો. પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. જેના કારણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસને હાથ ધરી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]