દરેક મા-બાપ પોતાના દીકરા કે દીકરીના ભવિષ્યમાં આવનારા પ્રસંગો માટે અત્યારથી જ રૂપિયા એકઠા કરવાના શરૂ કરી દેતા હોય છે. તેઓ વિચારે છે કે, જ્યારે પણ તેમના દીકરા કે દીકરીના લગ્ન આવશે ત્યારે એક સામટા ઘણા બધા રૂપિયાની જરૂર પડશે, એ સમયે જો તેમના હાથ ઉપર રૂપિયા નહીં હોય તો વધારે લેવા પડશે અથવા તો જોઈએ તેટલી મોકળાશથી લગ્ન પ્રસંગ પુરા કરી શકાશે નહીં..
એટલા માટે તેઓ કટકે કટકે રૂપિયા એકઠા કરવાનું શરૂ કરી દેતા હોય છે. એવી જ રીતે એક ગરીબ ઘરના વ્યક્તિએ પોતાની દીકરીના લગ્ન માટે એક એક રૂપિયો ભેગો કરીને આ તમામ રૂપિયા એક પેટડી મૂકી દીધા હતા. ગરીબ પરિવારમાં કુલ ચાર સભ્યોનો સમાવેશ થતો હતો. જેમાં દીકરો ધોરણ 10 માં અભ્યાસ કરતો જ્યારે દીકરીના લગ્નની ઉંમર નજીક આવી રહી હતી..
તો તેના માતા પિતા ખેતરમાં મજૂરી કામ કરીને જીવન ગુજારતા હતા. આ પરિવાર એટલો બધો ગરીબીમાંથી પસાર થતો હતો કે કોઈક વખત તો દીકરાની ફી ભરવા માટે પણ પૈસા બચતા નહોતા, દીકરીની માતાએ તનતોડ મહેનત કરીને જે રૂપિયા ભેગા કર્યા હતા તે રૂપિયાથી તેઓ તેમની દીકરીના લગ્ન રાજી ખુશીથી કરશે તેવું વિચાર્યું હતું..
આ પૈસા તેઓએ તેમના જ ગામના એક વેપારીને વ્યાજે ફેરવવા માટે આપી દીધા હતા. જ્યારે વ્યાજની રકમ પરત આવી ગઈ અને પૈસા પણ પરત આવી ગયા, ત્યારે ગરીબ ઘરના વ્યક્તિએ આ તમામ પૈસા એક પતરાની ડબ્બા પેટડીમાં મૂકી દીધા હતા. તેને વિચાર્યું કે આ પૈસા તેઓ ફરી એકવાર ગામના મોટા વેપારીને વ્યાજે આપી દેશે અને ગામના આ વેપારી આ પૈસાની દેખરેખ રાખશે..
પરંતુ બીજા દિવસે તેઓ વેપારીને પૈસા આજે આપે એ પહેલાં તો તેમની પાસેથી જ આ પૈસા જતા રહ્યા હતા. પરિવાર સાંજના સમયે ભોજન કરીને સુઈ ગયો હતો અને સવારે જ્યારે જાગ્યો ત્યારે એવી ઘટના બની ગઈ હતી કે, જેને જાણીને આ ગરીબ પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો.
આસપાસના પાડોશીઓના પણ હોશ ઉડી ગયા હતા. સવારના સમયે જ્યારે આ ડબ્બા પેટડી ખોલી ત્યારે અંદર મુકેલા પૈસા ગાયબ હતા. બસ આ સાંભળતા જ તનતોડ મહેનત અને પરસેવો પાડીને ભેગી કરેલી એક એક રૂપિયાની કિંમત અત્યારે આંસુ સમાન બની ગઈ હતી. ગરીબ પરિવારમાં ભારે દુઃખની લાગણી પણ છવાઈ ગઈ હતી..
ધીમે ધીમે આ ઘટનાની જાણકારી આખા ગામ સુધી પહોંચી ગઈ કે, આ ઘરમાં એક એક રૂપિયો ભેગો કરીને કમાયેલા અઢી લાખ રૂપિયા ચોરી થઈ ગયા છે. બિચારો આ પરિવાર ખૂબ જ મૂંઝાયેલો હતો. ત્યારે ગામના સૌ કોઈ લોકો ત્યાં આવ્યા અને આ પરિવારના અન્ય સભ્યોને આશ્વાસન આપવા લાગ્યા હતા કે, આ કમાણી તમારી જાત મહેનતની તનતોડ કમાણી છે..
આ કમાણી જે કોઈ વ્યક્તિ લઈ ગયું હશે તેને કોઈપણ કાળે પરત આપવી પડશે, જો આ ચોર લુટારા પકડાશે નહીં તો ભગવાન તેમને ક્યારેય પણ રાજી નહીં કરે કારણ કે તેઓ એક ગરીબ પરિવારની લાગણી દુભાવી છે. તો આસપાસના પાડોશીઓનું કહેવું છે કે, જ્યારે પણ આ પરિવારમાં વ્યાજે દીધેલા પૈસા પરત આવ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]