Breaking News

ગણેશ ઉત્સવમાં હનુમાનજી બનીને ભજન ઉપર ડાન્સ કરતો યુવક અચાનક જ ઢળી પડ્યો, ડોળા અધ્ધર ચડી જતા 2 સેકન્ડમાં થયું મોત..!

ક્યારે કોનું મોત પોકારતું પોકારતું આવી જાય નક્કી હતું નથી. એટલે મોજ પડે તેવી જિંદગી જીવી લેવી જોઈએ શું ખબર આવતીકાલ થાય કે ન થાય.. આજે એક એવો જ બનાવનો વિડીયો સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક યુવકનું કારમું મોત થયું છે. આ વિડીયો હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

જોનારા લોકોને પણ ભયભીત કરી દે તેવો આ વિડીયો ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં ગણેશ ચતુર્થી ઉપર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે ગણેશ ઉત્સવ ચાલતી હોવાથી દરેક શેરી અને ગલીમાં ઉત્સવની ઉજવણી જોરશોરથી ચાલે છે.

અહિયાં મૈનપુરી કોતવાલી વિસ્તારના વંશી ગૌરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ જીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ત્યારબાદ ત્યાં ભજન અભિનયનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. બાગ ગલીમાં રહેતો રવિ શર્મા નામનો વ્યક્તિ આ કાર્યકર્મમાં હજારી આપવા આવ્યો હતો.

તે છેલ્લા 15 વર્ષથી ભજન અભિનયમાં હનુમાનજીનું પાત્ર ભજવતો હતો. તે પંડાલમાં હનુમાનજીના વેશ ધારણ કરીને ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતી વખતે તે અચાનક જ સ્ટેજ પર પડી ગયો. પહેલા તો લોકોને લાગ્યું કે સંતુલન ગુમાવવાને કારણે તે પડી ગયો હશે, પરંતુ થોડીવાર પછી પણ જ્યારે તે ઊભો ન થયો તો સ્ટેજ પરના તેના સાથીઓ તેને ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યા.

છતાં તે ઊઠી શક્યો નહીં. આ પછી ત્યાં હાજર લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અભીન્ય ડાન્સ દરમિયાન રવિ શર્માને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક હનુમાનના વેશમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે.

આ દરમિયાન અચાનક તે પગથિયાં પર પડી જાય છે. થોડી વાર પછી યુવક પણ ઉઠવાનો પ્રયત્ન કરે છે, પછી તેના શરીરમાં હલનચલન બંધ થઈ જાય છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેને ઉઠાવવાની કોશિશ પણ કરી, પરંતુ તે ઉઠી શક્યો નહીં. તે જ સમયે, રવિ શર્માના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં જ તેઓ જિલ્લા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

પરિવારના સભ્યો પોસ્ટમોર્ટમ કર્યા વિના જ જિલ્લા હોસ્પિટલમાંથી મૃતદેહને ઘરે લાવ્યા હતા. આ વિડીયો જોયા બાદ સૌ કોઈ કહી રહ્યા છે કે આખરે મોત ક્યારે આવી જાય તેનું નક્કી હોતું નથી. પરતું દરેક લોકોને મોત પહેલા ક્યારેય એવું લાગવું ન જોઈએ કે આ દુનિયા ખાધેલો ધક્કો વ્યર્થ છે એટલે કે દરેકે મોજ શોખ અને નામ કમાઈ લેવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *