જ્યારે જ્યારે તહેવારનો સમય નજીક આવે ત્યારે ત્યારે મોટી ઘટનાઓ બનવાના સંજોગ પણ ખૂબ જ વધી જતા હોય છે, તહેવારોની મજા માણવા માટે લોકો પોતાના ઘરની બહાર નીકળે છે અને એ વખતે એવી પરિસ્થિતિઓ સર્જાઈ જતી હોય છે કે, નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો પણ થઈ જતો હોય છે..
અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, દરેક સોસાયટીઓ મને ઘરોની અંદર ગણપતિ બાપાનું આગમન થઈ ચૂક્યું છે, ભક્તો અને શ્રદ્ધાળુમાં તો આટલી બધી લાગણીઓ દેખાય આવી છે કે ગણેશપંડાલની સામે દર્શન કરવા માટે લાંબી લાઈનો પણ લગાવી દેતા હોય છે. ગણેશ ઉત્સવની અંદર દરેક જગ્યાએ કંઈક જુદો જ માહોલ જોવા મળે છે..
કોઈ જગ્યાએ જુદા-જુદા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે, તો અમુક જગ્યાએ જુદું જુદું પ્રદર્શન પણ ગોઠવવામાં આવતું હોય છે. ગણેશ ઉત્સવની અંદર નાના બાળકોને ઢોલ નગારા વગાડીને બાપાની આરતી કરવાનો ખૂબ જ શોખ હોય છે. નાના બાળકોની અંદર ઢોલ નગારા વગાડવાનો ઉત્સાહ કંઈક જુદો જ હોય છે..
પરંતુ અત્યારે ઢોલ નગારા વગાડવાનો આ ઉત્સાહને કારણે બે પડોશીઓ એવી રીતે ભાખરી પડ્યા હતા કે, અંતે ખૂબ જ દર્દનાક કિસ્સો સર્જાઈ ગયો હતો. આ સાથે સાથે સોસાયટીના તમામ લોકોના તહેવારની મજા મોતના માતમમાં ફેરવાઈ ગઈ હતી, અત્યંત હોશ ઉડાવી દેતો મામલો રેણુકા પાર્ક વિસ્તારમાંથી સામે આવ્યો છે..
રેણુકા પાર્કમાં ગૌરાંગભાઈ અને નીતિનભાઈ નામના બે વ્યક્તિઓ પોત પોતાના પરિવાર સાથે બાજુના મકાનમાં રહે છે, ગૌરાંગભાઈ નો નાનકડો દીકરો સવારથી માંડીને સાંજ સુધી ગણેશ ઉત્સવ દરમિયાન ઢોલ નગારા વગાડી રહ્યો હતો. ઢોલ નગારાના અવાજથી નીતિનભાઈ અને તેમનો પરિવાર ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા..
એટલા માટે તેઓએ આ વાતની જાણકારી ગૌરાંગભાઈને આપી હતી કે, તમારો દીકરો સવારથી માંડીને સાંજ સુધી ઢોલ નગારા વગાડી રહ્યો છે અને આ અવાજ તેમને ખૂબ જ સતાવી રહ્યો છે, દરેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મહેરબાની કરીને તમે તમારા દીકરાને સમજાવી દેજો કે કોઈ ચોક્કસ સમયે ઢોલ નગારા વગાડવાનું રાખે જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને સમસ્યા તેમજ અગવડતા ન પડે..
તો બીજી બાજુ ગૌરાંગભાઈ જણાવ્યું કે તેઓ તેમના દીકરાને સતત સમજાવી રહ્યા છે, પરંતુ તેમનો દીકરો અણ સમજવું હોવાને કારણે તે કોઈ પણ વ્યક્તિની વાત અને સમજી રહ્યો નથી અને તો બીજી બાજુ નીતિનભાઈની પત્ની તાબડતોબ ત્યાં આવી પહોંચી હતી અને કહ્યું કે તમારે તમારા દીકરાને સમજાવવાની નહીં પરંતુ તમારે ખુદને સમજવાની જરૂર છે..
તમારો દીકરો સવારથી માંડીને સાંજ સુધી ઢોલ નગારા વગાડી રહ્યો છે, જેનો અવાજ તેમને સતત ખુશી રહ્યો છે. જો તમે તમારા દીકરાને ન સાચવી શકો તો તમે ઘર મૂકીને જતા રહેજો બસ એટલું સાંભળતાની સાથે જ ગૌરાંગભાઈનો મગજ હલી ગયો હતો, કારણ કે તેઓ પોતાના ઘરના મકાનની અંદર વસવાટ કરતા હતા..
અને કોઈ વ્યક્તિ તેને ઘર મૂકીને જવાનું કહે તો તેમનાથી સહન થયું નહીં તેઓએ નીતિનભાઈની પત્નીને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું, ધીમે ધીમે વાત એટલી બધી આગળ પહોંચી ગઈ કે નીતિનભાઈ તેમજ ગૌરાંગભાઈ બંને લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. શરૂઆત તો તેઓએ બોલાચાલી કરી હતી..
અને ત્યારબાદ તેઓ છૂટા હાથની મારામારી પણ કરવા લાગ્યા હતા, ગૌરાંગભાઈ અને નીતિનભાઈ બંને એકબીજાને ગડદાપાટુનો માર મારતા હતા, એ વખતે ગૌરાંગભાઈના હાથમાં એક લોખંડની પાઇપ આવી ગઈ હતી અને તેઓએ આવીશમાં આવીને નીતિનભાઈ ને માથાના ભાગે મારી દેતાની સાથે જ નીતિનભાઈ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા અને તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું..
માત્ર પાંચ મિનિટની અંદર જેટલું બધું લોહી નીકળી ગયું કે, નીતિનભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું, નજીવી બાબતની અંદર સમજી વિચારીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા ને બદલે મામલો એટલો બધો આગળ વધી ગયો કે, જેમાં ખૂબ જ ચોંકાવનારી રીતે નીતિનભાઈનું મૃત્યુ પણ થઈ ગયું હતું..
આ ઘટના ₹20,000 સોસાયટીના અન્ય રહીશોને ખબર પડી ત્યારે તેમનામાં તહેવારના ઉત્સવને લઈને જે ખુશીઓ હતી, તે મોતના માતમમાં છવાઈ ગઈ હતી. ગૌરાંગભાઈ અને નીતિનભાઈ એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરીને લડાઈ ઝઘડો કરી રહ્યા હતા. પરંતુ આ લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, નીતિનભાઈનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ પણ થઈ ગયું હતું..
નીતિનભાઈની પત્ની તેમજ પરિવારના અન્ય સભ્યો આ દ્રશ્યોને જોતાને જોતા જ રહી ગયા હતા, આ ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને ત્યારબાદ તેઓએ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ મામલો ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે, અમુક વખત પરિસ્થિતિ કે ઘટનાને સમજી વિચારીને કામ લેવું જોઈએ..
જેના બદલે નીતિનભાઈ અને ગૌરાંગભાઈએ સમજી વિચારીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે ગુસ્સામાં આવી ગયા હતા, જેમાં અંતે કરુણ મામલો સર્જાઈ ગયો છે. આ ઘટનાની ચર્ચા ચારે કોર થઈ રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]