શિયાળામાં શરીરને તાજગી અને તાકાત મળે તેવી ચીજ વસ્તુઓ ખાવાનું સૌ કોઈ લોકો વધારે પસંદ કરે છે. જેમાં ખજૂર પાક, અડદીયા પાક, સુકામેવાના લાડવા સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. દિવાળીના સમય બાદ જ્યારે શિયાળો નજીક આવવા લાગે ત્યારે દરેક ઘરમાં અડદિયા પાક બને છે..
તો કેટલાક લોકો બજારમાંથી અડદિયા પાક ખરીદીને પેટ ભરીને ખાતા હોય છે. પરંતુ ગમેતેવી ચાલુ ચિલ્લર જગ્યાએથી ખરીદેલો અડદિયા પાક ખાનારા લોકો માટે અત્યારે હોશ ઉડાવતો મામલો સામે આવ્યો છે. આ કિસાને જાણ્યા બાદ તમે તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવા લાગશો તેમજ સાવ અજાણી જગ્યાએથી અડદિયા પાક ખરીદતા પહેલા તમે સો વખત વિચાર કરશો..
આ ઘટના ઉતર પ્રદેશના ચૈતરવા ગામ પાસે આવેલી એક મીઠાઈની દુકાનની છે. અહીં આસપાસના તમામ ગામડાના લોકો મીઠાઈ ખરીદવા માટે આવી પહોંચતા હતા. પરંતુ મીઠાઈની દુકાન ચલાવનાર માલિકની એવી કાળી કરતુતો અત્યારે પકડાઈ ગઈ છે કે, તે જાણીને સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા છે..
મોટાભાગે દરેક શહેરોમાં નગરપાલિકાને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તેમજ વિભાગના અધિકારીઓ તપાસ ચલાવે છે અને નાગરિકોને વગર ભેળસેળે સારું ખાવાનું અને ચીજ વસ્તુઓ પૂરી મળી રહે એટલા માટે તપાસ કરીને લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવે છે. પરંતુ અહીં ગામડાના અંતરે આ વિસ્તારોમાં ક્યારેય એવું ચેકિંગ થતું નથી..
પરંતુ આ વખતે જ્યારે અહીંથી તપાસ ચલાવવામાં આવે ત્યારે ખબર પડી કે, આ અડદિયા પાક ખાવાની કારણે આસપાસના ગામડાના સૌ કોઈ લોકોના જીવને જોખમ રહેલું છે. તેમજ તેના સ્વાસ્થ્ય પણ કથળી શકે છે. મીઠાઈની દુકાન ચલાવનાર માલિક અડદિયા પાકની અંદર દૂધનો માવો મિક્સ કરતો હતો..
આ માવો તાજો વાપરવાને બદલે 15 થી 20 દિવસ જૂનો અને વાસી માવો વાપરતો હતો. આ ઉપરાંત ત્યાં કેટલોક કાચો માલ પણ મળી આવ્યો હતો. જેમાં વનસ્પતિ ઘીનો સમાવેશ થતો હતો. આ સાથે સાથે દૂધના મોળા માવાની અંદરથી જીવજંતુ પણ મળી આવ્યા હતા. આવી ખરાબ ચીજ વસ્તુઓ મિલાવીને બનાવવામાં અડદિયા પાક ખાવાની કારણે શહેર અને ગામડાના દરેક નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે..
તેમને ફૂડ પોઝિઝન થવાની પણ શક્યતા રહેલી છે અને આ કારણે તેમને મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઘટના વિશે જાણકારી મળી ત્યારે તરત જ ત્યાં પહોંચીને તેઓએ આ તમામ જથ્થાનો નાશ કરાવી દીધો હતો. તેમજ કેટલાક જથ્થાને તપાસ માટે નજીકની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા..
તરત જ તેઓએ આ મીઠાઈની દુકાનને સીલ કરી દીધી અને નોટિસ પણ ફટકારી દીધી હતી. કારણ કે અહીં સ્વચ્છતાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું હતુ નહીં, આ ઉપરાંત અડદિયા પાકની અંદર તે એવા માલ મસાલા મિક્સ કરીને બનાવતો હતો કે, તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ સાબિત થયા છે.
શિયાળાના સમયમાં ગમે તે જગ્યાએથી મીઠાઈઓ તેમજ અડદિયા પાક ખજૂર પાક આ ઉપરાંત ડ્રાયફ્રુટના લાડવા શહેરની ચીજવસ્તુઓ ખરીદતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, આપણી આસપાસના વિસ્તારમાં દુકાન ધરાવનારા દરેક લોકો ખૂબ જ પ્રામાણિકતાથી વેપાર ધંધો કરે છે. પરંતુ અમુક ગણ્યા ગાંઠિયા લોકો બગડી ગયેલો માલ સામાન ભેળવીને ચીજ વસ્તુ બનાવે છે..
અને એ ચીજ વસ્તુને વેચીને ઓછા પૈસામાં વધુ કમાણી કરવા માટે તેઓ નાગરિકોના સ્વાસ્થયને સાથે છેડા કરે છે. કોઈપણ વ્યક્તિને નાગરિકના સ્વાસ્થ્ય સાથે સાથે ચેડા કરવાનો અધિકાર રહેલો નથી. આ અધિકારીઓ તાત્કાલિક ધોરણે નોટિસ આપીને આ મીઠાઈના માલિકને પકડાવી દીધી હતી..
મોટાભાગે ચોમાસાના સમયની અંદર સ્વાસ્થ્ય અને આરોગ્યનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે એટલા માટે ફૂડ વિભાગના અધિકારીઓ કાર્યરત રહે છે. પરંતુ હવે શિયાળામાં પણ તપાસનો મારો ચલાવવામાં આવે છે અને ભેળશળ કરનાર વ્યક્તિઓને પકડી પાડી તેમની સામે કાર્યવાહી પણ થઈ રહી છે. અને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]