Breaking News

ગમે તેવી જગ્યાનું ચીજ-બટર ખાતા પહેલા ચેતજો નહીતો જીવ કાળનો કોળીયો બની જશે..! છાતી ફાડતો કિસ્સો આવ્યો સામે..!

માણસનું આયુષ્ય કેટલું લાંબુ ચાલશે તેનો તમામ આધાર તે કેવી રીતે જીવન જીવે છે, કેવો ખોરાક ખાઈ રહ્યો છે અને કેવી રીતે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યો છે. તેના ઉપર રહેલો છે, કેટલાક લોકો સ્વાસ્થ્યનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખતા હોતા નથી અને અંતે તેઓ ખૂબ જ મોટી બીમારીની અંદર સપડાઈ જતા હોય છે..

ત્યારબાદ તેમને ખૂબ જ પછતાવો થતો હોય છે, પરંતુ એ સમયે પસ્તાવો કર્યા પર પણ કોઈ ફાયદો રહેતો નથી, શહેરના દરેક નાગરિકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે તે એટલા માટે દરેક શહેરમાં નગરપાલિકા તેમજ ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જુદી-જુદી જગ્યાએ ફૂડ તપાસ માટે જતા હોય છે..

અને જો કોઈ અખાદ્ય ચીજ વસ્તુઓ દેખાઈ આવે તો તેને તરત જ સ્થળ પર નાબૂદ કરી જે તે વેચાણ કરતાઓને દંડ પણ ફરકારવામાં આવતો હોય છે, કારણ કે જો અખાદ્ય ચીજ વસ્તુઓ શહેરના નાગરિકો ખાઈ લે તો તેમને સ્વાસ્થ્ય કથળી જવાની તેમ જ ભયંકર બીમારીઓ પ્રવેશવાની પણ શંકા રહેલી હોય છે..

અત્યારે શહેરની અંદર તહેવારોનો જમાઈ ચાલી રહ્યો છે, એવામાં ખાવા પીવાની ચીજ વસ્તુઓની અંદર ભરપૂર પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવતી હોય તેવી માહિતી ઘણી બધી જગ્યાએથી મળતી હોય છે, ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સાથે મળીને એક સર્ચ ચોપરેશન ચલાવ્યું હતું..

એમાં જુદી-જુદી જગ્યાએ ખાદ્ય પદાર્થોના નમુના એકત્ર કરવામાં આવ્યા હતા, જેની અંદર ચીઝ અને બટર જેવી ચીજ વસ્તુઓમાં એટલો બધો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો કે, જેના વિશે જાણીને તમે પણ ગમે તેવી જગ્યાનું ચીઝ અને બટર ખાતા પહેલા વિચારવા લાગશો હકીકતમાં ખૂબ જ ગંદકી વાળી જગ્યા પર બનાવવામાં આવતું આ ચીઝ અને બટર ફાવે તેવી રીતે ખાવામાં આવે તો..

શરીરની અંદર લાંબા સમયે ખૂબ જ મોટી બીમારી થવાની પણ શક્યતા રહે છે અને આવી બીમારીઓ એવી હોય છે કે જેમાં જીવ ક્યારે કાળનો કોળીયો બની જાય તેનું પણ નક્કી હોતું નથી, હાલ પરિમલ દૂધ નામની એક ડેરીમાં તપાસ ચલાવવામાં આવી ત્યારે આ ડેરીની અંદરથી પનીર ચીઝ બટર સહિતના તમામ વસ્તુઓના નમુના લેવામાં આવ્યા હતા..

જેમાં ચીઝ અને બટરના નમુના ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમના તપાસમાં અસફળ રહ્યા હતા, ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નમૂનાઓની અંદર ચીઝ અને બટર અંદાજે બે થી ત્રણ મહિના વાસી હોય તેવું મળી આવ્યું છે. આવો વાસી અને અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જો શહેરના નાગરિકો સુધી પહોંચે તો તેમનું સ્વાસ્થય લથડી શકે છે..

એટલા માટે તાત્કાલિક ધોરણે તેઓએ પરિમલ ડેરીના માલિક સંજયભાઈને દંડ ફટકાર્યો હતો અને તેમનું લાયસન્સ પણ રદ કર્યું હતું, કારણ કે આ અગાઉ પણ અહીં ડેરીમાંથી ખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી ગયા વર્ષે પણ આ ડેરીની અંદરથી અંદાજે 14 kg પનીરનો જથ્થો અખાદ્ય રીતે પકડી પાડવામાં આવ્યો હતો..

અને તેનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો, અને આ વર્ષે પણ તહેવારોના સમયની અંદર અહીંથી અખાદ્ય ચીજ વસ્તુ મળી આવતા ચારે કોર ચર્ચા મચી જવા પામ્યો હતો, આ છાતી ફાડતો કિસ્સો જ્યારે લોકોની સામે આવ્યો ત્યારે ત્યાં આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોના તો મોતિયા મરી ગયા હતા..

કારણ કે, તેઓ પરિમલ ડેરીની જ ચીજ વસ્તુઓ ખાઈ રહ્યા હતા અને આ ડેરીની અંદરથી અખાદ્ય પદાર્થ મળી આવતા લોકોમાં પણ ચિંતા નો માહોલ સર્જાઈ ગયો હતો, આ ઘટનાએ ચારેકોર ચકચાર મચાવી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *