નાના બાળકો સાથે આજકાલ એવા કિસ્સાઓ બની રહ્યા છે, કે જેના કારણે તેના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. માતા પિતાને પોતાના બાળકોનું જરા પણ ધ્યાન ન રહેતા બાળકો તેની સાથે જીવલેણ ઘટનાઓ ઘડી રહ્યા છે. આવી જ એક માસુમ બાળકી સાથે ઘટના બની હતી. આ જોઇને સૌ લોકો ચોકી ગયા હતા.
આ ઘટના હરિયાણાના પાણીપત શહેરના નુરવાલા વિસ્તારમાં આવેલી કોલોનીમાં રહેતા પરિવારની દીકરી સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમની માસુમ બાળકી રહેતા હતા.
બાળકીના પિતા વ્યવસાયે દરજી છે. પિતાનું નામ મોતીરામ છે અને તેઓ પોતાનું ટેલર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. માતાનું નામ પ્રિયંકા છે. મોતીરામે 9 વર્ષ પહેલાં પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે બંનેને પારિવારિક જીવન દરમિયાન એક દીકરી હતી. દીકરીનું નામ અવની હતું. અવનીની ઉંમર 6 વર્ષની હતી.
પરિવારમાં એકની એક દીકરી હોવાને કારણે માતા-પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી. દીકરીને તેના પિતા ખૂબ જ વહાલ અને લાડ લડાવતા હતા. મોતીરામ દરરોજ સવારે પોતાની દુકાને જતા હતા અને માતા અને તેમની દીકરી ઘરે એકલા જ રહેતા હતા. દીકરીનું નાહવા અને ખાવાથી લઈને દરેક વસ્તુઓ માતા ખૂબ જ ધ્યાન રાખતી હતી.
એક દિવસ સવારના સમયે અવનીને માતાએ નવડાવી હતી. ત્યારબાદ માતાએ પોતાના હાથોથી દીકરીને ખવડાવ્યું હતું અને સાથે દૂધ પીવડાવ્યું હતું. ત્યારબાદ દીકરી સૂઈ ગઈ હતી. જેના કારણે બપોર થતા દીકરીના પિતા દુકાનેથી જમવા માટે ઘરે આવ્યા હતા. ત્યારે તેમની પત્નીને પૂછ્યું કે અવની ક્યારે સુઈ ગઈ છે.
જેના કારણે માતાએ જણાવ્યું હતું કે તે લગભગ અઢી કલાકથી સુઈ રહી છે અને હવે તેની જગાડવાની છે. કારણકે અત્યારે વધુ સુઈ રહે તો તે મોડી રાત સુધી સૂતી નથી. જેથી તેને જગાડો તેમ માતાએ જણાવ્યું ત્યારબાદ પિતાએ દીકરીને જગાડવા માટે હલાવી હતી અને વહાલથી માથે હાથ મૂકીને દીકરીને ધીમે ધીમે જગાડવા માટે બોલાવી હતી.
પરંતુ દીકરી કોઈપણ જવાબ આપ્યો નહીં અને હલનચલન પણ થયું નહીં. બે-ત્રણ વાર પિતાએ દીકરીને હલાવી હતી પરંતુ તેનામાં કોઈ હલચલ જોવા મળી નહીં જેના કારણે પિતાએ ખૂબ જ ઝડપી દીકરીને ઉંચી કરી છતાં પણ દીકરી ફરી પાછી ઢળી પડી હતી. દીકરીને આ હાલતમાં જોઈને પિતાએ તરત જ તેની માતાને બોલાવી હતી.
માતાએ દીકરીના નાક પાસે હાથ મુક્યો તો દીકરી શ્વાસ લઈ રહી નહોતી અને માતાએ તરત જ આઘાત માટે ત્યાંને ત્યાં જ બેસી ગઈ હતી. પિતા તરત જ પાડોશીના લોકોને લઈને આસપાસ આવેલી બે ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં ડોક્ટરોએ ચેક કરતા દીકરીને મૃત જાહેર કરી હતી. અચાનક દીકરીનું મૃત્યુ થઈ ગયાને કારણે તેના પિતા ભાન ભુલાવી બેઠા હતા.
દીકરીને સુતા પહેલા ગાયનું દૂધ પીવડાવવામાં આવ્યું હતું અને થોડું તેણે ખાધું હતું. ત્યારબાદ દીકરી સૂઈ ગઈ હતી પરંતુ તે દીકરીએ ઊંઘમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દીકરીને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેનું પોસ્ટમોર્ટમ કરાવામાં આવ્યું હતું. પોસ્ટમમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેને પ્રાથમિક કારણ ફૂડ પોઝિંગ હોઈ શકે છે.
દીકરીનું મૃત્યુ અચાનક થઈ જતા માતા પિતા તેનો આઘાત સહન કરી શક્યા નહીં અને દીકરીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજકાલ આવી ઘટના ખૂબ જ જોવા મળે છે. જેને કારણે બાળકો પોતાના માતા પિતાથી દૂર થઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]