જુદા જુદા વિસ્તારોમાંથી રોજ છેડતી .દુ.ષ્ક.ર્મ. હત્યાને આત્મહત્યાના બનાવો ખૂબ જ વધારે માત્રામાં સામે આવવા લાગ્યા છે. દિવસેને દિવસે ડિજિટલ જમાનાને કારણે અમુક લોકોના મન સંકુચિત બનતા જાય છે. જેના કારણે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધતી હોય તેવું લાગી રહ્યું છે. અને મોટાભાગના કેસ અંતરિયાળ ગામડાના વિસ્તારોમાં નોંધાઈ છે..
જ્યાં એક બીજા લોકો પ્રત્યેની જાગૃતિનો અભાવ જોવા મળે છે. હાલ જૂનાગઢનાં વંથલી તાલુકામાં સાંતલપુર ગામમાં ખૂબ જ અચરજ પમાડે તેવો બનાવ બન્યો છે. જેના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો છે. આ ગામમાં રહેતી બે બહેનો છેડતીનો શિકાર બની છે. પરંતુ તેમની ખબરઅંતર પૂછવા વાળુ ન હોવાથી તેમાંથી એક બહેને ઝેરી કેમિકલ પીને આપઘાત કરી લીધો છે.
ગામના એક પરિવારમાં રહેતી બંને બહેનોને ગામના બે યુવકો કે જેમનું નામ નદીમ અને આદિલ મહેબૂબ શાહ નામના બે શક્સો વારંવાર તેમની પાછળ પાછળ આવતા હતા અને તેમની છેડતીના ઈરાદે અવનવા ચેનચાળા કરતા હતા. બંને બહેનોને આ નરાધમથી બચાવવા માટે અન્ય કોઈ વ્યક્તિ ન મળતા એક બહેનને તેઓ પર થયેલી છેડતીનો અત્યાચારનું ખૂબ જ લાગી આવ્યું હતું..
જેના કારણે એક દિવસ તેણે ટાઈલ્સ સાફ કરવાનું ક્લીનર પી લીધું હતું. જેના કારણે ટૂંક સમયમાં જ તેનું મૃત્યુ થયું હતું. ગામમાં આ પ્રકારનો બનાવ બનતા જ ફફડાટ મચી ગયો હતો. અને આ બન્ને નરાધમ યુવકો સામે લોકોનો રોષ ઠાલવી રહ્યા હતા. આ ઘટનાને લઇને મૃતક ની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..
અને આ બન્ને યુવકોના નામ પણ જણાવ્યા હતા. ફરિયાદને આધારે આ બંને યુવકોને પકડી પાડવાની કામગીરી ચાલી રહી છે.પરંતુ જુઓ આ દીકરીઓ એ તેમની સાથે થયેલા અત્યાચારોની વાત આ પરિવારના અન્ય સભ્યો અને ગામના અન્ય લોકોને કહ્યું હોત તો કદાચ આજે એ બંને યુવકોને મેથી પકડવામાં આવ્યો હોત અને આ દીકરીનો જીવ બચી જાત.
પરંતુ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડતાં આ યુવતીએ એ અન્ય કોઈ વ્યક્તિને પોતાની સાથે થયેલા અન્યાયની વાત કહેવાને બદલે આપઘાત કરી લેવાનું પસંદ કર્યું હતું. હકીકતમાં જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવી પડે છે. ત્યારે મુશ્કેલીની વાત અન્ય કોઈ વ્યક્તિને કરતા તેનો યોગ્ય હલાવતો હોય છે..
પરંતુ જો મુશ્કેલીની વાત પોતાના મનમાં ને મનમાં જ રાખવામાં આવે તો માણસને એકના એક વિચારને કારણે મન ખૂબ જ ગુંચવાઇ જતું હોય છે. જેના કારણે અંતે તેઓ કયું પગલું ભરીને તે નક્કી હોતું નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]