દરેક ગામડાઓમાં પશુઓને પાણી પીવા માટે તેમજ પાણીના સંગ્રહની સાથે સાથે અન્ય કામકાજ માટે પણ અવેડાની સુવિધાઓ હોય છે. ગામના પાદરે અવેડા મૂકવામાં આવે છે. અથવા તો બનાવવામાં આવે છે, જ્યાં પશુ પાણી પીવા માટે જઈ શકે છે. પરંતુ આ આવેલામાં ડૂબી જવાને કારણે અત્યારે એક અઢી વર્ષનો દીકરો અને એક ચાર વર્ષનો દીકરો બંને સગા ભાઈ અવેડાના પાણીની અંદર ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા છે..
આ ઘટના ગાંગોલી ગામની છે. આ ગામના પાદરમાં અવેડા બનાવવામાં આવ્યા હતા. ગામના પાદરમાં જ મકાન બનાવીને રહેતા પ્રવીણભાઈના બંને દીકરા આજે આ દુનિયામાં રહ્યા નથી. પ્રવીણભાઈ સવારના સમયે ખેતરે કામકાજ માટે ચાલ્યા ગયા હતા. જ્યારે તેમની પત્ની ઘરકામની અંદર વ્યસ્ત હતી..
એ વખતે તેમનો ચાર વર્ષનો દીકરો મૌલિક અને અઢી વર્ષનો દીકરો પ્રીતમ બંને રમતા રમતા ઘરની બાજુમાં આવેલા અવેળા પાસે ચાલ્યા ગયા હતા. પાણી જોઈને હંમેશા નાના બાળકોને તેમાં છબ છબિયા કરવાનું મન થઈ જતું હોય છે. આ ઉપરાંત પાણીની અંદર રમવા પણ લાગે છે. બસ આ જોઈને જ બંને ભાઈઓ અવેડા પાસે ચાલ્યા ગયા..
જ્યાં નાનો બાળક બાજુ પર ઉભો હતો. ત્યારે ચાર વર્ષનો દીકરો અવેડાની ઉપર ચડી ગયો અને ત્યાં અંદર પાણીમાં પગ મૂકી દીધો હતો. ત્યારબાદ તેણે તેને નાના ભાઈને પણ પોતાની પાસે બોલાવ્યો અને ખેંચીને અવેડાની અંદર લઈ ગયો, પરિણામે બંને બાળકનું સંતુલન બગડતા તેઓ પાણીની અંદર ડૂબવા લાગ્યા હતા..
બપોરના સમયે આ ઘટના બની હોવાથી ત્યાં આસપાસ પણ કોઈ વ્યક્તિ હાજર હતું નહીં, બંને બાળકો બચાવો બચાવોની બૂમ પાડે એ પહેલા તો તેઓના મોઢામાં પાણી ચાલ્યું જતા ધીમે ધીમે બચવું મુશ્કેલ બની ગયું અને વધારે પડતું પાણી પીઈ જવાને કારણે તેઓ ડૂબી ગયા અને તેમનું મૃત્યુ પણ થઈ ગયું હતું..
જ્યારે સાંજના સમય સુધી આ બંને બાળકો રમતા રમતા તેના ઘરે પરત ન આવ્યા ત્યારે પ્રવીણભાઈએ ખેતરથી આવીને તેમના બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. તેમના સગા સંબંધીઓને પૂછપરછ કર્યા બાદ અન્ય વ્યક્તિઓને પણ પૂછતાછ કરવામાં આવી કે તેઓએ આ બંને બાળકોને જોયા છે કે નહીં..
પરંતુ ક્યાંયથી આ બંને બાળકોનો અતો પતો ન મળતા તેઓ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે પશુને પાણી પીવડાવવા માટે ગામનો એક વ્યક્તિ અવેડા પાસે આવી પહોંચ્યો ત્યારે તેણે આ બંને બાળકને અવેડાની અંદર તરતા જોયા હતા. બસ આ દ્રશ્ય જોતા જ તેને તરત જ પ્રવીણભાઈ ને જાણકારી પહોંચાડી કે તેમના બંને બાળકો અવેડા ની અંદર મૃત હાલતમાં મળી આવ્યા છે..
આ દ્રશ્ય જોઈને ગામના ઘણા બધા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ બંને બાળકોનું ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું. એક જ પરિવારના બે બાળકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નાની ઉંમરમાં જ આ બંને બાળકોનું મૃત્યુ થઈ જતા પરિવારજનો ખૂબ જ મોટી દુઃખની આફતમાં સપડાઈ ગયા છે..
હજુ તો આ બંને બાળકો મોટા થઈને આખી જિંદગી જોવે એ પહેલા તો તેમનું મૃત્યુ થઈ જતા સમગ્ર ગામજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સૌ કોઈ લોકો કહે છે કે, દરેક મા-બાપે જ્યાં સુધી તેમના બાળકો સમજણા ન થાય ત્યાં સુધી ડગલેને પગલે તેમની દેખરેખ રાખવી જોઈએ તેમને ક્યારેય પણ એકલા મુકવા જોઈએ નહીં..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]