Breaking News

ફૂલ જેવા દીકરા-દીકરીને ખીરમાં ઝેર ભેળવીને પતાવી દીધા બાદ પતિ-પત્ની પંખે લટકીને આપઘાત કરી લેતા સમગ્ર પરિવાર થયો ખલાસ, કારણ જાણી ચક્કર ખાઈ જશો..!

પોતે કંટાળી જાય એમાં બિચારા દીકરા કે દીકરીનો શું વાંક..? આજે સૌ કોઈ લોકો આ મામલો સામે આવ્યા બાદ આજ પ્રશ્ન પૂછી રહ્યા છે કે પોતે જો જિંદગીથી કંટાળીને આ મોટું પગલું ભરે છે એમાં બિચારા માસુમ ફૂલ જેવા કોમળ દીકરા-દીકરીઓનો શું વાંક કે તેમને પણ પોતાનો જીવ આપી દેવો પડે છે.

આજે એક સામુહિક આપઘાત જેવો બનાવ બન્યો છે. જેમાં આખો પરિવાર જીવ ટૂંકાવી દેતા સૌ કોઈ લોકો હચમચી ગયા છે. આ બનાવ  છત્તીસગઢના કાંકેર જિલ્લામાં બન્યો છે. જ્યાં એક લોજમાંથી 4 લોકોના મૃતદેહ મળવાના મામલામાં ખુબ મોટો વળાંક સામે આવ્યો છે. એવી આશંકા છે કે, પતિ-પત્નીએ પહેલા બે બાળકોને ઝેર આપ્યું હતું.

જે બાદ પતી અએ પત્ની પંખે લટકી ગયા છે. રાયપુરના રહેવાસી 35 વર્ષના જિતેન્દ્ર દેવાંગન, તેની 33 વર્ષની પત્ની સવિતા દેવાંગન, 7 વર્ષનો દીકરો કેવલ અને 4 વર્ષની દીકરી મોક્ષિતાના મૃતદેહ રાત્રે શહેરના બસ્તર લોજમાંથી મળી આવ્યા હતા.

લોજના સંચાલકે જણાવ્યું કે રાયપુરમાં રહેતો આ પરિવાર તેની લોજમાં આવ્યો હતો. પરિવારના જિતેન્દ્ર દેવાંગને કહ્યું હતું કે તે તેના પરિવાર સાથે જગદલપુર જઈ રહ્યો હતો. તેઓ બાઇક લઈને આવ્યા છે અને રાત થઈ ગઈ હોવાથી હવે તેઓ લોજમાં રહેવા માંગે છે. આ સાંભળીને સંચાલકે તેને રહેવા માટે લોજનો 9 નંબરનો રૂમ આપ્યો હતો.

થોડા સમય બાદ પતિ-પત્ની અને બાળકો ખાવા માટે બહાર ગયા હતા. આ પછી તે રાત્રે 9 વાગ્યે રૂમમાં પાછા આવી ગયા પરંતુ બીજા દિવસે સાંજ સુધી દરવાજો ન ખૂલતા સૌ કોઈને શંકા ગઈ, જેથી બારીમાંથી તપાસ કરાવતા જ રૂમમાં પતિ-પત્નીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો બાળકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. પરિવારના સંબંધીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આર્થિક સંકડામણથી કંટાળીને પતિ-પત્નીએ આખા પરિવારનો અંત આણ્યો હતો. યુવકે મૃત્યુ પહેલા તેની બહેન સાથે છેલ્લી વાર વાત કરી હતી.

પરતું બહેને કહ્યું કે હવે આમરે સુવું છે એટલે આપડે પછી વાત કરીએ. અને ભાઈ-ભાભીએ ખુબ જ મોટું પગલું ભરી લીધું છે. આ મામલે પોલીસે જીતેન્દ્રના ભાઈ પ્રવીણ દેવાંગન સાથે પણ વાત કરી છે. પ્રવીણે જણાવ્યું કે તેનો ભાઈ દેવાથી પરેશાન હતો. તેણે થોડા વર્ષો પહેલા એક પ્લોટ લીધો છે, જેના માટે તેણે લોન લીધી હતી.

આ પછી લોકડાઉનને કારણે તેણે નોકરી ગુમાવી દીધી. બેરોજગાર હોવાને કારણે તેના પર દેવાનો બોજ વધી ગયો. તેણે દિવાળી 2021 દરમિયાન ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નાના ભાઈએ તેને ત્રણ લાખની લોન ચૂકવવા દીધી હતી. તેણે લોન ચૂકવી ન હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *