આજકાલની દુનિયામાં નાનામાં નાનું કામકાજ કરનાર વ્યક્તિથી માંડીને ખૂબ જ મોટું બિઝનેસ ધરાવનાર વ્યક્તિ પણ કંઈક ને કંઈક કારણે ખૂબ જ દુઃખી રહે છે. હંમેશા માણસને હસતું ખેલતું રહેવું જોઈએ અને દરેક વ્યક્તિ સાથે ખૂબ જ રમુજી સ્વભાવ રાખી વાતચીતો તેમજ વિચારોની આપ લે કરવી જોઈએ..
જેથી મન એકદમ હળવું બનેલું રહે, પરંતુ લોકો પોતાના મનમાં ઘણી બધી સમસ્યાઓ રાખતા હોવાને કારણે મનોમન ગુંજવાતા હોય છે. અને અંતે હતાશ થઈ એવું મોટું પગલું ભરી લે છે કે, જેના કારણે તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. અત્યારે કંઈક આ પ્રકારનો જ એક બનાવો રાજસ્થાનના ભીલવાડાના સુભાષનગર વિસ્તાર પાસેથી સામે આવ્યો છે.
અહીં કોટડીના સંજય કોલોની વિસ્તાર પાસે પરમેશ્વર નામનો યુવક તેની પત્ની અને તેના બાળકો સાથે રહેતો હતો. તે રોજ સમગ્ર શહેરમાં ફ્રુટની લારી લઈ ફ્રુટ વેચતો અને જે પૈસા ગમે તેનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ હતાશ હતો. આ જોઈને તેની પત્ની પણ ખૂબ જ ગુમસૂમ રહેતી હતી..
એક દિવસે સવારના 5:00 વાગે આસપાસ પોતાના ઘરેથી નીકળી ગયો હતો. અને ત્યારબાદ સાંજે ઘરે પરમેશ્વર નહીં પરંતુ પરમેશ્વરના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. હકીકતમાં માલુ હોસ્પિટલ નજીકથી પસાર થતા લોકોએ સવારના સમયે ઝાડ સાથે એક વ્યક્તિને લટકતી હાલતમાં જોઈ લીધો હતો..
આ જો પોતાની સાથે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. જોત જોતામાં ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો કેટલાક જાગૃત નાગરિકોએ પોલીસને આ ઘટનાની જાણકારી આપી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ કરવા માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણકારી તેના પરિવારજનોને પણ પહોંચાડતાની સાથે તેઓના માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા. આ પરમેશ્વર નામનો યુવક ખૂબ જ નાનો વ્યક્તિ છે. અને કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને એવું તો શું દુખાવી પડ્યું હશે કે, તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધુ છે.
તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, શું આ યુવક ઝાડ સાથે લડકીને આપઘાત કરવા જઈ રહ્યો હતો. એવામાં તેને કોઈ વ્યક્તિએ બચાવ્યો નહીં હોય કે શું ઘણા બધા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. પરંતુ આ તમામ બાબતોના સવાલને લઈને પોલીસ કાર્યવાહી ચલાવી રહી છે. દિન પ્રતિદિન જુદા જુદા વિસ્તારોમાંથી આવા બનાવો સામે આવતા સામાન્ય માણસ વિચારો પર મજબૂર બની જતો હોય છે..
કે આખરે લોકો પોતાની કીમતી જિંદગી શા માટે ગુમાવી રહ્યા છે. જો તેમના જીવનમાં કોઈ દુઃખ આવી પડ્યું હોય તો આ દુઃખનો સામનો કરીને તમામ સમસ્યાઓ માંથી બહાર નીકળવું જોઈએ. પરંતુ લોકો કંટાળી જાય આપઘાતનું પગલું ભરી લે છે. જે બિલકુલ ખોટી બાબત છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]