અત્યારે મોટાભાગની જગ્યાઓ ઉપર કાતિલ ઠંડી પડી રહી છે. જેવા તેવા અને ઢીલા પોચા લોકોથી આ ઠંડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. ઠંડીના કારણે ઘણા વિસ્તારોમાં કોલ્ડ વેવ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ કામ વગર લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું પણ ઢાળી રહ્યા છે..
ઘરની અંદર લોકો સ્વેટર અને ધાબળા ઓઢીને બેસી રહે છે. પરંતુ જે લોકો પોતાના ધંધાને વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમને પરિવારનું ભરણપોષણ કરવા માટે ગમે તેવી ઠંડી હોય કે તડકો હોય કે પછી વાવાઝોડું કે વરસાદ હોય પોતાનું ઘર મૂકીને નોકરી ધંધે જવું પડતું હોય છે. કપિલપુર ગામમાં રહેતા પુરુષોત્તમભાઈ નામના ખેડૂતો સવારના સમયે તેમના ખેતરે પાકને પાણી પાવા માટે નીકળ્યા હતા..
પરંતુ તેમની સાથે એવો બનાવ બની ગયો છે કે, તેમનો પરિવાર અત્યારે હિબકે ચડી ગયો છે. તો ચારેકોર શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના ખેતરમાં કામ કરતા મજૂરો છેલ્લા એક અઠવાડિયાથી પોતાને વતન એ કોઈ પ્રસંગની અંદર હાજરી આપવા માટે ગયા હતા. એટલા માટે ખેતરનો તમામ કામકાજ પુરુષોત્તમભાઈને પોતે કરવાની ફરજ આવી પડી હતી..
તેઓ સવારના સમય ઘરેથી પાકને પાણી આપવા માટે નીકળ્યા ત્યારે તેઓ અતિશય ઠંડીનો અહેસાસ કરી રહ્યા હતા. એટલા માટે પરિવારજનો એ તેમને આપણા અને સ્વેટરનો સહારો લેવાનું જણાવ્યું હતું. પરંતુ પરિવારજનોની વાત માન્યા વગર પુરુષોત્તમભાઈ પોતાની ખેતરે જવા માટે નીકળી ગયા અને તેઓ ખેતરે પહોંચ્યા ત્યાં તો તેમનું શરીર એટલું બધું ઠંડું પડી ગયું હતું કે શરીરમાંથી એકાએક ધ્રુજારી નીકળવા લાગી હતી..
તેની સાથે રહેલા તેમના કાકાના દીકરા સુરેશભાઈએ તેમને પોતાની પાસે રહેલા ઓઢવાના આપ્યા હતા. પરંતુ તેઓ આ ઠંડીને સહન કરી શક્યા નહીં અને ત્યાંને ત્યાં જ બેસી ગયા હતા અને ત્યારબાદ તેઓ થોડા સમય પછી ખેતરમાં પાકને પાણી આપવા લાગ્યા હતા અને એ વખતે અચાનક જતી હોય ત્યાં ઢળી પડ્યા જેને સુરેશભાઈ તેની નજીક જઈએ અને જોવાની કોશિશ કરી ત્યારે દેખાયું કે..
પુરુષોત્તમભાઈનો શ્વાસ અટકી ગયો છે. અને તેઓ શ્વાસ લેવા માટે હાફળા ફાંફળા થઈ રહ્યા છે. તેઓ તાબડતોબ ગાડી ઉપર બેસાડીને દવાખાને જવા માટે નીકળી ગયા હતા. ગામડાનું દવાખાનું સવારના સમયે બંધ હોવાને કારણે તેઓ બીજા ગામડે સારવાર માટે લઈ જતા હતા અને ત્યાં રસ્તામાં જ પુરુષોત્તમભાઈનું મૃત્યુ થઈ ગયું હતું..
દવાખાને પહોંચ્યા અને ત્યારબાદ ડોક્ટરે જણાવ્યું કે, તેમનું ઠંડી લાગવાને કારણે મૃત્યુ થઈ ગયું છે. આ ફેફસાં ફાડતી કાતિલ ઠંડીથી તેમના હૃદયની અંદર લોહી જામી ગયું છે અને તેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને પરિણામે તેમનું મૃત્યુ થઈ ગયું છે. ઘટનાના સમાચાર જ્યારે તેમના પરિવારજનો સુધી પહોંચે ત્યારે સૌ કોઈ લોકો હિબકે ચડ્યા હતા..
પરિવારના મોભીના મૃત્યુનું કોઈપણ લોકો માટે સહન થઈ શકે તેવું હતું નહીં. અગાઉ પણ ઘણા બધા ગામડાઓ અને વિસ્તારોમાંથી ઠંડીને કારણે મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સ્વેટરનો સહારો લેવો જોઈએ અને બિનજરૂરી કામકાજ માટે ઘરની બહાર જવાનું પણ ટાળવું જોઈએ..
હાલ ઠંડીની લહેર એવી રીતે જવાય છે કે, જેનો ભોગ ઘણા બધા લોકો બની રહ્યા છે. જેમાંથી ઘણા બધા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. ઠંડીના સમયમાં સ્વાસ્થ્યનો ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. પુરુસોતમભાઈના પરિવારજનો અંત સમયે બોલતા હતા કે કદાચ પુરુષોતમ ભાઈએ પરિવારના સભ્યોનું કહ્યું માન્યું હોત આજે તેઓને આ દિવસ ન જોવો પડેત..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]