Breaking News

ફેક્ટરીમાં લાકડા કાપતી વખતે મજુર સાથે બની એવી ઘટના કે ઘડીકમાં જ જતો રહ્યો જીવ, ચારે કોર છવાઈ ગયો માતમ..!

ઉત્તર પ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લામાં એક ગંભીર આકસ્મિક બનાવ બન્યો છે. જેમાં કારખાનામાં કામ કરતી વખતે એક વ્યક્તિ ગંભીર રીતે ઈચ્છા ગ્રસ્ત થયો હતો. આ ઉપરાંત તેને  હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ બાબત ની જાણ અન્ય મજુરો ને તથા તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ઉત્તરપ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લાના કટઘર વિસ્તારમાં આવેલી બલદેવપુરી સોસાયટીમાં નારાયણ દેવી પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પતિ ગેંદાલાલનું ૪ વર્ષ પહેલા ગંભીર બીમારીને કારણે મૃત્યુ થઈ ગયું હતું. તેમના પરિવારમાં તેનો એક પુત્ર કમલ અને ત્રણ પુત્રીઓ છે.

તેમનો મોટો પુત્ર કમલ હનુમાન મૂર્તિ પાસે આવેલા એક ડિઝાયર નામ ના કારખાનામાં મજુર તરીકે કામ કરતો હતો. કોમલ જય કારખાનામાં કામ કરતો હતો. આ કારખાનાના માલિક સચિન કપૂર છે. તે હાલમાં દિલ્હીમાં રહે છે. તેઓ લાકડાની વિવિધ વસ્તુઓ બનાવીને વિદેશમાં મોકલવાનું કામ કરતા હતા.

ગઈકાલે સાંજે કમલ કારખાનામાં રહેલા મશીનમાં લાકડા કાપી રહ્યો હતો. તે સમય દરમિયાન મશીનમાં કોઈ ખામી સર્જાવાને કારણે લાકડાનો મોટો ટુકડો અચાનક ઉછળીને તેની છાતી પર વાગ્યો હતો. જેથી તે લોહી-લુહાણ થઈને ત્યાં જ પડી ગયો હતો. તેના સાથે કામ કરતા મજૂરોને આ બાબતની જાણ થતા તેણે તરત જ કમલને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી.

પરંતુ કમલ એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધું હતું. તેમજ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતની જાણ કમલ ના પરિવારજનોને કરવામાં આવી હતી. નારાયણદેવીની મુશ્કેલીઓ હવે ખુબ જ વધી ગઈ હતી, કારણ કે ૪ વર્ષ પહેલા પતિની મૃત્યુ થઈ ગયુ હતું.

તેમજ હાલમાં સૌથી મોટો દીકરો કે જે પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેનું પણ આ ઘટના માં મૃત્યુ થઇ ગયુ હતું. આ ઉપરાંત આ ઘટના અંગે કટઘર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા કારખાનાના માલિક સચિન કપૂર ને મુરાદાબાદ બોલાવીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

તેમજ તમામ તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવાનું જણાવ્યું છે. કારખાનામાં કામ કરતી વખતે અચાનક જ આમ એક મજૂરનું મૃત્યુ થઈ જવાને કારણે કમલના પરિવારજનો અને તેમનું મજુર સંગઠન  કારખાના ના માલિક વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. પોલીસ દ્વારા પંચનામુ કરીને કમલના મૃતદેહને પોસ્ટમોર્ટમ  માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ  મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *