અત્યારે શિવ ગણેશ સોસાયટીમાંથી હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. મધ્યમ વર્ગીય પરિવાર સવાર પડતાની સાથે જ કામ ધંધે લાગી જાય છે અને મોડી રાત સુધી પોતાના કામ ધંધામાં વ્યસ્ત રહે છે. જે પૈસા કમાય તે પૈસાથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું હોય છે. પરંતુ દિવસ રાત મહેનત કરીને કમાયેલા રૂપિયા જોઈએ એક જટકે જતા રહે તો આ દુઃખદ ઘટનાનું દુઃખ કોઈપણ વ્યક્તિથી સહન થતું નથી..
અત્યારે એક પરિવાર માટે ખૂબ મોટી આફત આવી પડી છે. શિવગણેશ સોસાયટીમાં મકાન નંબર 13ની અંદર પ્રતાપભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી કંપનીમાં મેન મેનેજર તરીકેની નોકરી કરે છે. જ્યારે તેમનો દીકરો હાર્ડવેરની દુકાન ચલાવી રહ્યો છે.
એક દિવસ તેઓએ સમગ્ર પરિવારને સાથે લઈને ફરવા જવાનું નક્કી કર્યું હતું અને એ મુજબ તેઓ પરિવાર સાથે એક અઠવાડિયા માટે ફરવા માટે જતા રહ્યા હતા. જ્યારે તેઓ ફરીને પોતાના ઘરે પરત આવ્યા ત્યારે ઘરે આવતાની સાથે તેઓ ચીસો પાડી ગયા હતા. કારણ કે તેમની ઘરની અંદર રહેલો તમામ વેર વિખેર થઈ ગયો હતો..
જ્યારે પ્રતાપભાઈના દીકરાને તેના બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તો માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. કારણકે બેડરૂમમાં રહેલા કબાટની અંદરની તિજોરીનું તાળું તૂટેલું હતું અને અંદર મુકેલા સોના ચાંદીના દાગીનાની સાથે સાથે રોકડ રૂપિયા પણ ગયા હતા. તેઓએ અત્યાર સુધીને કમાઈને જે જમાપુંજી ભેગી કરી હતી..
એ તમામ જમાપુંજી આ તિજોરી અંદર મૂકી દીધી હતી. પરંતુ તેઓ જ્યારે પરિવાર સાથે ફરીને ઘરે પરત આવ્યા ત્યારે આ તમામ ચીજ વસ્તુ ચોરી થઈ જતા તેમને ખૂબ જ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. તેમના ઘરના આગળના ભાગનો દરવાજો વ્યવસ્થિત હતો જ્યારે પાછળના ભાગે તપાસ કરવામાં આવે ત્યારે ખબર પડી કે, પાછળની બાલકની માંથી પ્રવેશ કર્યો હશે..
કારણ કે ત્યાં રહેલા દરવાજાનો તાળો તૂટેલું હતું અને તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. તેઓએ તરત જ પોલીસ સ્ટેશને હાજર થઈ તેમના ઘરે થયેલી ચોરીની ઘટના નોંધાવી દીધી હતી. પોલીસો સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી છે અને આ ચોર લૂંટારા ક્યાંથી પ્રવેશ કર્યો છે..
તેમજ કોણ છે, તેની જાણકારી મેળવવી રહી છે. આ પરિવાર દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે. કારણ કે તેમની પાસે રહેલી તમામ મૂડી અને જમવા પુંજી ચોરી થઈ ગઈ છે. આ ઉપરાંત તેમની દીકરીના લગ્ન માટે સાચવેલા રૂપિયા પણ ચોરી થઈ જતા અત્યારે આ પરિવાર શોકના માહોલમાં ચાલ્યો ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]