મનમાં ખરાબ પ્રકારના ઈરાદાઓ રાખનાર લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ કારણ કે, તેમનો ખરાબ ઈરાદો કોઈક વખત આપણી જિંદગી પણ ખરાબ કરી નાખે છે. હાલ દરેક લોકોને શીખ મળે અને પોતાના જીવનમાં ડગલેને પગલે સાવચેત રહીને જિંદગી જીવે તે પ્રકારનો એક મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયર માંથી સામે આવ્યો છે..
અહીં અગરબત્તી બનાવવાની એક ફેક્ટરીની અંદર 22 વર્ષની નેહા નામની યુવતી કામકાજ કરે છે. બિચારી આ દીકરી પોતાના ભણતરની સાથે સાથે આ ફેક્ટરીની અંદર કામકાજ કરીને પરિવારજનોને જીવન ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે. તેના પિતા ઉંમરલાયક હોવાથી તે ખૂબ જ ઓછું કામકાજ કરી શકે છે..
આ ઉપરાંત તેના બંને ભાઈઓ પણ નાના હોવાથી બિચારી આ દીકરી તેના પરિવારજનોને મદદરૂપ બનતી હતી, પરંતુ તે જે ફેક્ટરીની અંદર કામકાજ કરતી હતી. એ ફેક્ટરીના માલિકે આ યુવતી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે. હકીકતમાં ફેક્ટરીના માલિકે એક દિવસ નેહાને પોતાના પગારની રકમ લઈ જવા માટે પોતાને ઘરે બોલાવી હતી..
અને પોતાના શેઠના કહ્યા અનુસાર તે તાનસેન નગર વિસ્તારમાં સાંજના સમયે આ ફેક્ટરીના માલિકના ઘરે પણ પહોંચી ગઈ હતી. બિચારી નેહાને એવી તો શી ખબર કે, આ ફેક્ટરીનો માલિક મનમાં ખૂબ જ ખરાબ ઇરાદાઓ ભરીને બેઠો છે. અને તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવાનો મનસુબો ધરાવે છે..
નેહા ફેક્ટરીના માલિકના ઘરે પહોંચી ત્યારે તેણે નોટિસ કર્યું કે, ઘરે તેના શેઠ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ હાજર હતું નહીં. આ ઉપરાંત તેણે નેહાને પીવા માટે એક લસ્સી આપી હતી. આ લસી પિતાની સાથે જ નેહાને ધીમે ધીમે આંખો બંધ થવા લાગ્યા અને તેને ચક્કર આવતા હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી..
હકીકતમાં ફેક્ટરીના માલિકને લસીની અંદર બેહોશીની દવા ભેળવીને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરી નાખ્યું હતું, જ્યારે 22 વર્ષની આ દીકરીને હોશ આવ્યો ત્યારે તેને ખબર પડી કે ફેક્ટરીનો માલિક તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી બેઠો છે..
નેહાએ તાત્કાલિક ધોરણે જણાવી દીધું હતું કે, હું તમને છોડીશ નહીં અને તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશ તો બીજી બાજુ ફેક્ટરીના માલિકે નેહાને કહ્યું હતું કે, હું તને જેટલા રૂપિયા જોઈએ તેટલા રૂપિયા આપીશ. તેમજ હું તમારા પરિવારને માલામાલ કરી દઈશ તેમ કહીને ફરિયાદ ન કરવા માટે જણાવ્યું હતું..
આ ઉપરાંત ઘણી બધી લાલચો પણ આપી હતી, આ સાથે સાથે તેને કહ્યું કે, જો તું મારા વિરુદ્ધ ફરિયાદ કરવા જઈશ તો હું તને અને તેના પરિવારજનોને જાનથી મારી નાખીશ ત્યાંથી ચૂપચાપ પોતાને ઘરે આવી પહોંચી હતી અને ત્યારબાદ તે ત્યાંથી નજીકના પોલીસ સ્ટેશનને હાજર થઈ અને તેના ફેક્ટરીના માલિક સામે ફરિયાદ નોંધાવી દીધી..
અને કહ્યું કે, આ વ્યક્તિએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. અને જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખશે. તેવી ધમકીઓ પણ આપી છે, પોલીસે તાત્કાલિક ધોરણે નેહાની ફરિયાદ નોંધી હતી અને તાબડતોબ તપાસ પણ શરૂ કરાવી દીધી હતી, જેમાં ફેક્ટરીના માલિક રવિ કાંતની પણ ધરપકડ કરી લેવામાં આવી છે..
અને તેની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારના કિસ્સાઓ સાંભળે છે, ત્યારે તે ખૂબ જ મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે. અને વિચારમાં મજબૂર બનતા હોય છે કે, આખરે એવું તો શું થતું હશે કે મોટી મોટી ફેક્ટરી ચલાવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ મનમાં કાળી કરતુતોનો ઈરાદો રાખીને બિચારી પરિવારને મદદરૂપ બનનાર દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]