અત્યારના સમયમાં દીકરા કે દીકરીઓના વિશાળ કરવા ખૂબ જ અઘરા સાબિત થઈ ગયા છે, કારણ કે વેવિશાળ કરતી વખતે ફેમિલી બેગ્રાઉન્ડથી માંડીને કમાણી ઉપરાંત પરિવારના વ્યક્તિઓના સ્વભાવનો પણ ખ્યાલ રાખવો પડતો હોય છે, હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેના વિશે જાણીને સમાજના દરેક લોકોએ જાણી લેવું જોઈએ નહીતો..
આવો વારો તમારા ઘરે પણ આવી પહોંચી શકે છે, આ ઘટના યોગી ચાર રસ્તા પાસે આવેલી રંજન કૃપા સોસાયટીની છે. આ સોસાયટીની અંદર હરજીભાઈ તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. હરજીભાઈ કાપડના ખૂબ જ મોટો વ્યવસાય ધરાવે છે, તેમના એકના એક દીકરા વિનોદના લગ્ન માટે તેઓ વેવિશાળા શોધવાનું શરૂ કર્યું હતું..
અને તેમાં સંત જીવન ચોકડી પાસે રહેતી નિકિતા નામની જ્યોતિ સાથે તેની સગાઈ નક્કી કરવામાં આવી હતી, તેની સગાઈ થઈ ગયા બાદ એવી ઘટના સામે આવી છે, જેના કારણે તેમની સગાઈ તૂટી ગઈ હતી અને આ કારણ જાણીને દરેક વ્યક્તિએ તેના ઉપર ખૂબ જ ઊંડો વિચાર કરવો જોઈએ..
કારણ કે, આવનારા દિવસોની અંદર આ બધા પ્રશ્નો આપણા ઘર સુધી પણ પહોંચી શકે છે એટલા માટે આપણે આપણા દીકરા કે દીકરીઓને ખૂબ જ સારી રીતે સારી સલાહ શિખામણ આપવી જોઈએ, આ સગાઈ તૂટી જવાનું કારણ વિનોદની ઊંઘ હોવાનું સામે આવ્યું છે, હકીકતમાં વિનોદ સવારમાં 10 વાગ્યા સુધી ઊંઘતો હતો..
આ વાતથી નારાજ થઈને નિકિતાએ સગાઈ તોડી નાખી હતી, અને ક્યારે પણ વિનોદની સાથે વાતચીત નહીં કરે તેવું જણાવી દીધુ હતું. વિનોદના માતા-પિતા તો વિનોદના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરવા જઈ રહ્યા હતા, પરંતુ અચાનક જ આ સગાઈ તૂટી જવાને કારણે મોટી મુંજવણ ઉભી થઈ જવા પામી હતી..
હકીકતમાં વિનોદે જણાવ્યું કે, નિકિતાને તેની ઊંઘ નડતી હતી નહીં. હકીકતમાં તેને અન્ય ઘણા બધા કારણો લડી રહ્યા હતા, વિનોદ એ જણાવ્યું કે તેના પિતા હરજીભાઈ સ્વભાવના ખૂબ જ કડક વ્યક્તિ છે. અને તે સામાજિક રૂઢિ નિયમોને પાલન કરવાવાળા વ્યક્તિ હોવાને કારણે નિકિતાને આ વાતો બિલકુલ પસંદ પડી નહીં..
નિકિતાને દર અઠવાડિયે શોપિંગ કરવા માટે 20,000 રૂપિયાની જરૂર પડતી હતી, જ્યારે હરજીભાઈએ આટલા બધા રૂપિયા આપવાની મનાઈ ફરમાવી દીધી હતી અને જણાવ્યું કે જે પરિવારની ક્ષમતા હોય તે મુજબ જીવન જીવવું જોઈએ, નત નવીન ખર્ચાઓ કરીને પૈસાને વેડફવા જોઈએ નહી..
નિકિતાને આ બધી બાબતો ખૂબ જ નડતરરૂપ બનતી હતી અને તે વિનોદની ઊંઘનું બહાનું બતાવીને આ સગાઈને તોડી નાખી હતી, સમાજની અંદર રોજબરોજ ઘણા બધા યુવતીઓની સગાઈ તેમજ લગ્ન સંબંધ તૂટી રહ્યા છે. જે આવનારા સમય માટે ખૂબ જ ચોંકાવનારો પ્રશ્ન સાબિત થવા જઈ રહ્યો છે..
નાની નાની બાબતોને ભુલાવી દઈને મેનેજમેન્ટથી જિંદગી જીવવાને બદલે કોઈપણ વ્યક્તિનું અત્યારે ચલાવી લેવામાં આવતું નથી અને સહનશક્તિ ન હોવાને કારણે તાત્કાલિક ધોરણે સંબંધો છૂટા થઈ જતા હોય છે, આવા મામલાઓ જ્યારે સામે આવવા લાગ્યા ત્યારથી જ દરેક સમાજના લોકો અને આગેવાનો માટે હવે લોકો સુધી આવી જાગૃતતા પહોંચાડવાનો સમય આવી ગયો છે..
આ મામલો અતિશય હચમચાવી દેતો સાબિત થયો છે, હરજીભાઈ તો ઘટનાને સમજી શક્યા નથી. જ્યારે વિનોદ કહી રહ્યો છે કે, નિકિતા તેના ઉપર ખૂબ જ ખોટા આરોપ નાખી રહી છે, હકીકતમાં તેને વિનોદની ઊંઘ નહીં પરંતુ પરિવારના અન્ય ઘણા બધા નિયમોનું પાલન ન કરી શકવાને કારણે હવે તે આ પરિસ્થિતિમાંથી ભાગી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]