અમુક વખત ખૂબ જ વધારે પડતા બહાદુર લોકોને પણ ડર લાગી જાય એવી ઘટનાઓ આપણા જીવનની અંદર ઘટી જતી હોય છે. પરંતુ કહેવાય છે કે, ડરની પાછળ સાવ મામુલી વાતો જોડાયેલી હોય છે. એટલા માટે ક્યારેય પણ કોઈ ચીજ વસ્તુથી ડરવું જોઈએ નહીં. અત્યારે એક આખું એપાર્ટમેન્ટ ડર લાગવાને કારણે રાત્રિના સમયે તેમના ઘરેથી નીચે ઉતરી ગયા હતા..
આ ઘટના શ્રીધર એપારમેન્ટની છે, મોટી દેવડી ગામ પાસે આવેલું શ્રીધર એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી રોજ અડધી રાત્રે અચાનક જ મહિલાની ચીખો સંભળાવવા લાગતી હતી. આ ચીખો સાંભળીને એપાર્ટમેન્ટના તમામ રહીશો ખૂબ જ ડરી જતા હતા અને આ ચીખો ક્યાંથી આવી રહી છે..
તેની જાણ મેળવવા લાગ્યા હતા, એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે રહેતા લોકો તો સમસમી ઊઠ્યા હતા. કારણ કે, તેઓ રોજબરોજ આ પ્રકારની હેરાનગતિ સહન કરી રહ્યા હતા. તેઓએ થોડાક દિવસ તો આ ડરને સહન કર્યો અને તેઓ મનોમન વિચારતા રહ્યા કે, જો તેઓ આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને આપશે તો તેઓ તેમને મૂરખ સમજીને ઈજ્જત કાઢી નાખશે..
એટલા માટે તેઓએ કોઈને કહ્યું નહીં, પરંતુ જ્યારે એપાર્ટમેન્ટના દરેક લોકોને આ ડર લાગવા લાગ્યો હતો. ત્યારે એક રાત્રે સૌ કોઈ લોકોએ જીગર કરીને છઠ્ઠા માળમાં આવેલા ફ્લેટની અંદર શું છે, તેની હકીકત જાણવાની કોશિશ કરી હતી. શરૂઆતમાં તો કોઈ વ્યક્તિ આ તપાસમાં સામેલ થવા માટે આગળ આવ્યું નહીં..
પરંતુ ધીમે ધીમે બધાએ જીગર કરીને અહીં તપાસ ચલાવી ત્યારે ફ્લેટ અંદરથી એવી ચીજ વસ્તુ મળી હતી કે, છઠ્ઠા માળે રહેતા અન્ય પડોશીઓના તો પેશાબ છૂટી ગયા હતા. છઠ્ઠા માળે 601 નંબરના ફ્લેટની અંદરથી આ અવાજ આવી રહ્યો હતો. જે ફ્લેટ છેલ્લા સાત મહિનાથી ખાલી હતો..
આ ફ્લેટનો માલિક અન્ય કોઈ જગ્યાએ રહેતો હતો અને તે ફ્લેટને વેચવા માંગતો ન હોવાને કારણે 602 નંબરમાં રહેતા મહેશ પ્રતાપ નામના વ્યક્તિ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. તેઓ કોઇપણ કારણે આ ફ્લેટને ખરીદવા માંગતા હતા. પરંતુ ફ્લેટના માલિકે આ ફ્લેટને વેચવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી..
એટલા માટે તેઓ એક કાવતરું ઘડી નાખ્યુ હતું અને આ કાવતરા અંતર્ગત તેઓએ 601 નંબરના ફ્લેટની ચાવી પ્રમુખ પાસેથી મેળવી લીધા બાદ અંદર એક સ્પીકર ગોઠવ્યું હતું અને આ સ્પીકરમાં તેઓએ એક અજીબ અને ડરામણી મહિલાની ચીખો રાત્રિના સમયે વગાડવાનું શરૂ કરી દેતા હતા..
અને ધીમે ધીમે તેઓ એટલી બધી ડરામણી અવાજ અને ચીખો આ સ્પીકરની અંદર વગાડતા કે, જે સાંભળતાની સાથે સૌ કોઈ લોકોને અવળો વહેમ પડે અને બધા ડરને કારણે આ ફ્લેટને ભૂતિયો ફ્લેટ પણ કહેવા લાગ્યા હતા. મહેશ પ્રતાપભાઈ વિચાર્યું કે, જો આ ફ્લેટની કિંમત ઓછી થઈ જાય અને તેનો ફ્લેટનો માલિક કંટાળીને વેચી દે તો તેઓ ઓછી કિંમતમાં ફ્લેટને ખરીદી શકશે..
એટલા માટે તેમણે આ કાવતરું ઘડી નાખ્યું હતું. છઠા મળે રહેતા અન્ય 603 અને 604 નંબરના રહીશોને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેમનો પરસેવો છૂટી ગયો તેવો વિચારવા લાગ્યા કે, મહેશ પ્રતાપભાઈ એટલી હલકી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા કે, ફ્લેટ ખરીદવાના નામે તેઓએ સમગ્ર એપાર્ટમેન્ટના લોકોને ડરાવવાનું કામકાજ શરૂ કરી નાખ્યું હતું. જે બિલકુલ ખોટી બાબત છે..
આ ઘટનાને લઈને કેટલાય લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને આ બાબતને લઈ તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે આ માણસ અન્ય વ્યક્તિના જીવને જોખમમાં મૂકી રહ્યો હતો. કદાચ આ ડરને કારણે કેટલાય વ્યક્તિઓના જીવ અધ્ધર થઈ ગયા અને કોઈ વ્યક્તિને હૃદય રોગનો હુમલો પણ આવવાની શક્યતા હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]