દિન પ્રતિ દિન એવી ઘણી બધી બાબતો આપણી સામે આવતી હોય છે, જેના વિશે સાંભળતાની સાથે જ આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે, અત્યારે એક હચમચાવતો બનાવ એક એપાર્ટમેન્ટની અંદર લિફ્ટ રીપેરીંગ કરવા માટે આવેલા કારીગર સાથે બન્યો છે. મોટાભાગે રીપેરીંગની સર્વિસ સાથે જોડાયેલા લોકોને વારંવાર કોઈને કોઈ અજુગતિ બાબતોનો સામનો કરવો ન પડતો હોય છે..
રામુરાઈ નામનો વ્યક્તિએ છેલ્લા સાત વર્ષથી એપાર્ટમેન્ટની અંદર લીફ્ટ રીપેરીંગ નું કામકાજ કરે છે, તે તેની ટીમને સાથે લઈને પરિમલ ચોક વિસ્તારમાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટમાં લિફ્ટનું રીપેરીંગ કરવા માટે આવી પહોંચ્યો હતો. એ વખતે રીપેરીંગ કરતી વખતે લિફ્ટના ખાડાની અંદર તેણે એવું દ્રશ્ય જોઈ લીધું કે, જેને જોતાની સાથે જ તેના ડોળા ફાટી ગયા હતા..
આ બાબતને લઈને સમગ્ર એપારમેન્ટ હલબલી ઉઠ્યું હતું. રામુરાય તેની ટીમને લઈને આવી પહોંચ્યો જેમાંથી અડધા લોકો ઉપરના માળે કામકાજ કરી રહ્યા હતા, જ્યારે રામુરાય ગ્રાઉન્ડ ઉપર લિફ્ટની નીચે રહેલા ખાડામાં તપાસ ચલાવતો હતો, એ વખતે તેણે આ ખાડાની અંદર જોયું કે અજાણ્યા વ્યક્તિની લાશ પડેલી છે, અને આ લાશ અતિશય દુર્ગંધ મારી રહી હતી..
રામુરાય આ ખાડામાંથી બહાર નીકળી ગયો અને એપાર્ટમેન્ટના પ્રમુખને આ બાબતની જાણકારી આપી હતી કે, લિફ્ટના ખાડાની અંદરથી કોઈ વ્યક્તિની લાશ મળી આવી છે. અને આ લાશ સંપૂર્ણ રીતે સડી ગયેલી હોવાથી ખૂબ જ વાંસ મારી રહી છે, આ ઘટનાની જાણકારી જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખ સુધી પહોંચી ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા..
આ લાશ કોની છે..? એની શા માટે તેને અહીં ફેંકી દેવામાં આવી હશે..? આ ઉપરાંત આ ઘટનાની પાછળ કયા વ્યક્તિ જોડાયેલા હશે વગેરે જેવી પૂછપરછ તેવો ચલાવવા લાગ્યા હતા, આ ઘટનાને લઈને તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી આપી દીધી હતી. જયારે તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ એપાર્ટમેન્ટની અંદર બે મહિના પહેલા ફ્લેટમાં રહેતા એક યુવકની આ લાશ છે..
છેલ્લા કેટલાક સમયથી આ યુવક ગુમ થયો હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી અને છેલ્લા પાંચ દિવસથી આ લિફ્ટની અંદર અતિશય દુર્ગંધ આવી રહી હતી, પરંતુ અપાર્ટમેન્ટના રહીશોને એમ લાગ્યું કે, કદાચ લિફ્ટની આસપાસ કોઈ જીવજંતુ મરી ગયું હશે પરંતુ જ્યારે આ ઘટનાની તપાસ થઈ ત્યારે ખબર પડી કે હકીકતમાં આ દુર્ગંધ લિફ્ટના ખાડા ની અંદર રહેલી લાશની છે..
પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી હતી, જેમાં ખબર પડી કે એપાર્ટમેન્ટમાં સાતમાં માળે રહેતા સંદીપ નામનો એક યુવક લાઈટો બંધ કરતો નજરે ચડે છે અને ત્યારબાદ તેને એક કોથળો લઈને ત્યાં આવ્યો અને લિફ્ટના નીચેના ખાડામાં આ લાશને ધકો મારી દીધો હતો..
આ બાબતને લઈને સંદીપની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડયો અને તેને કહ્યું કે મૃતક વ્યક્તિ સાથે તેના છેલ્લા કેટલાક સમયથી દુશ્મનાવટ ચાલતી હતી અને આ દુશ્મનાવટ મુજબ તેને આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને લિફ્ટના ખાડાની અંદર ધક્કો આપી દીધો હતો. આ વીચિત્ર બનાવને લઈને ચારે કોર ચકચાર મચી ગયો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]