અત્યારના સમયમાં અમુક શિક્ષિત લોકો પણ નીચી વિચારસરણીમાં જીવતા જોવા મળે છે, તેઓ પોતાના પરિવારની મહિલાઓ સાથે દહેજને લઈને ઝઘડાઓ કરી રહ્યા છે. જેના કારણે બનતી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. આવી એક ઘટના હાલમાં ગ્વાલિયરમાં આવેલી લક્ષ્મીબાઈ કોલોનીમાં રહેતા પરિવારની મહિલા સાથે બની હતી.
મહિલાનું નામ તૃપ્તિ અગ્રવાલ હતું. તેમની ઉંમરે 31 વર્ષની હતી. તૃપ્તિના પિતા જયપ્રકાશ અગ્રવાલ પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરતા હતા અને તેઓ બેંકમાંથી નિવૃત્ત થયા છે. પિતાએ તેમની દીકરી તૃપ્તિના લગ્ન 6 વર્ષ પહેલાં મેહુલ નામના યુવક સાથે કરાવ્યા હતા. મેહુલ વ્યવસાયે એન્જિનિયર છે, જેના કારણે તૃપ્તિના લગ્ન મેહુલ સાથે કરાવવામાં આવ્યા હતા.
તૃપ્તિ પણ વ્યવસાયે એન્જિનિયર હતી. તેણે એમટેકનો અભ્યાસ કર્યો હતો. જેના કારણે તેને બેંગ્લોરમાં આઇટી કંપનીમાં પણ કામ સારું એવું મળ્યું હતું. તે સારી એવી નોકરી કરતી હતી. તૃપ્તિ અને મેહુલનું લગ્ન બાદ જીવન ખૂબ જ સારું રહ્યું હતું. તે બંનેને એક બાળક પણ છે. બાળકનું નામ શ્રેયસ છે. શ્રેયસની ઉંમર 3 વર્ષની છે.
શ્રેયસ તેમના પિતા સાથે રહે છે. તેમના પતિ મેહુલ સાથે રાજી ખુશીથી રહેતી હતી પરંતુ કોરોનાકાળ પછી બંને જણા ઘરેથી જ કામ કરી રહ્યા હતા. તેઓ વર્ક ફોર્મ હોમ કરતા હતા. જેના કારણે બંને જણા બેંગ્લોરથી ગ્વાલિયરમાં રહેવા માટે આવી ગયા હતા. મેહુલના માતા-પિતા ગ્વાલિયરમાં રહે છે જેના કારણે તેમના માતા-પિતા સાથે પરિવાર રહેવા લાગ્યું હતું.
મેહુલના પિતાનું નામ રાકેશભાઈ છે. તેઓ જળ સંસાધન વિભાગમાંથી નિવૃત્ત થયા છે. પરિવારમાં આર્થિક કોઈ મુશ્કેલી ન હતી પરંતુ તૃપ્તિને મેહુલ અને તેમના પરિવારના લોકો તરફથી ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તૃપ્તિને તેના પિયરીએથી દહેજ લઈને આવવાનું કહેતા હતા. લગ્ન સમયે તૃપ્તિના પિતા જય પ્રકાશે ઘણી બધી વસ્તુઓ તૃપ્તિને લઈ આપી હતી.
છતાં પણ સાસરિયાંઓ તૃપ્તિ પાસે તેમના પિયરીએથી પૈસા લઈ આવવાની માંગણીઓ કરતા હતા. તૃપ્તિએ થોડા દિવસ પહેલા જ આવા ઝઘડાઓ થતા હોવાને કારણે તેમની નોકરી છોડી દીધી અને નોકરીમાંથી તેણે છુટકારો મેળવ્યો હતો. તે ઘરે શાંતિથી રહેવા માગતી હતી પરંતુ ઘરના લોકો તેમને દહેજ માટે ત્રાસ આપીને હેરાન કરતા હતા.
ત્યારબાદ તૃપ્તિ ઘણીવાર તેમના માતા-પિતાના ઘરે પણ રહેવા જતી રહેતી પરંતુ માતા-પિતા તેમને સમજાવીને ફરીથી સાસરે જવાનું કહેતા હતા. તૃપ્તિ સાસરીયાઓ સાથે રહેતી હતી. એક દિવસ સાંજના સમયે પરિવારના લોકો સાથે જમ્યા હતા. જમ્યા બાદ પતિ-પત્ની અને તેમનો દીકરો શ્રેયસ એક રૂમમાં સુઈ ગયા હતા.
શ્રેયસ તેમની માતા વગર સૂતો ન હોવાને કારણે તૃપ્તિ અને શ્રેયસ બેડ પર સૂઈ રહ્યા હતા. અને મેહુર નીચે સૂતો હતો. ત્યારબાદ સવાર થતાં પરિવારના લોકોએ તૃપ્તિને શોધી હતી પરંતુ તૃપ્તિ રૂમમાં કે કોઈપણ જગ્યાએ દેખાઈ રહી નહીં. ત્યારબાદ એક બીજી રૂમનો દરવાજો બંધ હતો. આ રૂમનો દરવાજો મેહુરે ખૂબ જ ખખડાવ્યો હતો.
પરંતુ દરવાજો કોઈએ ખોલ્યો નહીં જેના કારણે મેહુરે આ દરવાજાને તોડી નાખીને જોયું તો તૃપ્તિ જે હાલતમાં જોવા મળી તે જોઈને પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. તેમનો દીકરો શ્રેયસ તૃપ્તિને આ હાલતમાં જોઈને રડવા લાગ્યો હતો. પરિવારના લોકોએ જોયું તો તૃપ્તિ રૂમમાં લટકી રહી હતી. તેણે રૂમમાં લટકીને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
ત્યારબાદ તરત જ સાસરિયાંઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પડાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસના ઘરે ગયા બાદ જ મેહુરે તૃપ્તિના પરિવારના લોકોને તૃપ્તિના મૃત્યુની જાણ કરી હતી. તૃપ્તિના પિયરના લોકો તરત જ તૃપ્તિના ઘરે પહોંચ્યા હતા.
અને તેમણે પોતાની દીકરીને આવી હાલતમાં જોઈને તેઓ ઢળી પડ્યા હતા. તૃપ્તિના પિતા જય પ્રકાશે પોલીસ સ્ટેશનમાં તૃપ્તિના સાસરિયાંઓ સામે દહેજને લઈને તૃપ્તિને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. દીકરાએ પોતાની માતાની મમતાને ગુમાવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]