Breaking News

ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા રોડ પર ચાલતા 6 લોકોના કચ્ચર ઘાણ, ઘટના સ્થળે જ ઉડી ગયા ચીથડા.. વાંચો..!

આજકાલ અકસ્માતના સામચાર સાંભળતા જ આપડે હલબલી જતા હોઈએ છીએ.. અકસ્માતના દ્રશ્યો એટલા દ્રાવક હોઈ છે કે જોઈને, ભલભલા લોકોના મોતિયા મરી જતા હોઈ છે. હાલ એવો જ એક અકસ્માત કાનપુરમાં બન્યો છે. આ બનાવની જાણ થતા જ સમગ્ર દેશમાં ચર્ચાઓએ જોર પકડયો છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે આંખે જોનાર લોકોનું કહેવું છે કે આ દ્રશ્યો અમને ક્યારેય નહી ભૂલાઈ. લોકોને બસ અને જમીન વચ્ચે કચ્ચર ઘાણ થતા તેઓએ તેમની નજરે જોયા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં મોડી રાત્રે એક કાળમુખા અકસ્માતે લગભગ હાહાકાર મચાવી દીધો છે.

અકસ્માત ઇલેક્ટ્રિક બસ અને રસ્તા પર ચાલતા બીજા વાહનો વચ્ચે થયો હતો. ઇલેક્ટ્રિક બસ કાનપુરના ઘંટાઘર ચાર રસ્તાથી નીકળી હતી. ડ્રાઈવરે બસને પુલ પરથી નીચે ઉતારીને પૂર ઝડપે રોંગ સાઈડમાં ભગાવવાનું શરૂ કરી દીધું હતું અને ઓનલાઈન ગેમની માફક જે  વચ્ચે આવ્યું તેને કચડી કચડીને આગળ વધતી હતી.

આ અકસ્માતમા ટોટલ 6 લોકોના મોત પામ્યા છે. જ્યારે 15 કરતા વધારે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. એક ઇલેક્ટ્રિક બસે રસ્તા પર લગભગ 10થી પણ વધુ વાહનોને ટક્કર મારી દીધી હતી તેમજ રસ્તા પર ચાલતા 15 લોકોને કચડી નાંખ્યા હતા. જેમાં છ લોકોએ જીવ મૂકી દીધો છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે બાકીના ચાર લોકોને હોસ્પિટલમાં લઇ જતા સમયે અડધે રસ્તે જ જીવ છોડી દીધો હતો. ઇલેક્ટ્રિક બસે બે કાર, બે બાઈક, બે સ્કૂટી અને એક ટેમ્પોને ટક્કર મારી હતી. ત્યારબાદ બસ ચાર રસ્તા પર બનેલ ટ્રાફિક બૂથને તોડીને એક ડમ્પર સાથે અથડાઈ હતી.

બસે એક સ્વીફ્ટ કારને ટક્કર મારી હતી, જેમાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા. આ તમામની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માત બાદ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક ઘાયલે મીડિયાને જણાવ્યું કે, ‘ડ્રાઈવર બસને એલફેલ હંકારતો રસ્તા પર જઈ રહ્યો હતો અને બસ તેના કાબૂમાં ન હતી. હું જમવા માટે જઈ રહ્યો હતો ત્યારે જ સામેથી બસ આવી અને કેટલાકને ટક્કર મારીને જતી રહી. બે કારોને તો મારી સામે જ ટક્કર મારી હતી.’

ઘટના અંગેના સામચાર દેશના રાષ્ટ્રપતિને મળતા તરત જ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, કાનપુરની બસ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર જાણીને ખુબ દુઃખ થયું છે. આ ઘટનામાં પોતાના નજીકના વ્યક્તિને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી શોક-સંવેદનાઓ. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના.’

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *