Breaking News

એક જ પરિવારના 3 લોકો પર વીજળી પડતા ઘટના સ્થળે જ શરીરનો બોલી ગયો ફટાકડો, દ્રશ્ય જોઈ આંખે અંધારા આવી જશે..!

વરસાદ આવતાની સાથે જ કુદરતી આફતોમાં પણ વધારો થવા લાગ્યો છે. મેઘરાજા દરેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે. સાથે સાથે વીજળીના કડાકા ભડાકા અને પવનની ગતિ પણ ખૂબ જ વધારે તેજ બનતી જાય છે. જે વિસ્તારોમાં વરસાદનું જોર વધતું હોય છે તે વિસ્તારમાં વારંવાર વીજળી દેખાતી હોય છે.

આજથી એક અઠવાડિયા પહેલા ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થતી હતી. તે સમય દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.. વરસાદની સાથે સાથે હવે તો વીજળી પડવાના બનાવો પણ ખુબ જ વધવા લાગ્યા છે. રોજ રોજ વીજળી પડવાને કારણે લોકોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે.

આવી જ એક ઘટના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. આ અગાઉ પણ પાટણ, કચ્છ અને નર્મદા તેમજ વલસાડમાં વીજળી પડવાને કારણે કુલ 10 લોકો મોતને ભેટી ચુક્યા છે. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. તેને કારણે સુરેન્દ્રનગરના લીંબડી જિલ્લાના કટારિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદને કારણે આ ઘટના બની હતી.

કટારિયા ગામમાં એક પરિવાર ખૂબ જ ખુશી ખુશીથી રહેતું હતું. આ પરિવારમાં પતિ-પત્ની અને તેમના દીકરી-દીકરો રહેતા હતા. પિતાનું નામ હરેશભાઈ છગનભાઈ બાધણીયા હતું. તેમની ઉમર 52 વર્ષની હતી. અને તેમના દીકરાનું નામ અક્ષય હરેશભાઈ બાધણીયા હતું. તેમની ઉંમર 27 વર્ષની હતી. એક દિવસ ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો.

અને વિજળીના કડાકા ભડાકા થઇ રહ્યા હતા. તે સમયે ગામમાં અચાનક આ પરિવારના ઘર પાસે વીજળી પડી હતી. તેને કારણે પિતા-પુત્ર સાથે ખૂબ જ મોટી દુર્ઘટના બની ગઈ હતી. અને અન્ય એક વ્યક્તિ પર પણ આ વીજળી પડવાને કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તેનું નામ હેતલબેન કલ્પેશભાઈ મેણીયા હતું.

તેમની ઉંમર 28 વર્ષની હતી. ગામમાં એક સાથે ત્રણ લોકો ઉપર વીજળી પડવાને કારણે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તરત જ ગામના લોકોને ખબર પડતાં એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. અને પરિવારના આ ત્રણે સભ્યોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

પરંતુ વીજળીના જોરદાર પડવાને કારણે ત્રણેય લોકો બચી શક્યા ન હતા. અને ડોક્ટરે ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર સામે આવતા જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એક જ ગામના અને એક જ પરિવારના 3 લોકોનું એક સાથે મૃત્યુ થવાને કારણે માતમનો માહોલ ફેલાઇ ગયો હતો.

અને ગામમાં પણ આઘાત ભર્યું વાતાવરણ ફેલાઈ ગયું હતું. અચાનક જ એક જ પરિવારના 3 સભ્યો મૃત્યુ પામવાને કારણે પરિવારના લોકો ખુબજ મોટા આઘાતમાં આવી ગયા હતા. તેમણે પોતાના પરિવારના એક સાથે ત્રણ સભ્યોને કોઈ દીધા હતા. અને ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.

ચોમાસામાં લોકોને ખુશી ની સાથે સાથે દુઃખ સહન કરવું પડી રહ્યું છે. અને આવી આકસ્મિક ઘટનાને કારણે લોકો ખૂબ જ આઘાતમા આવી ગયા હતા. લોકો આવી ઘટનાઓના ભોગ બની રહ્યા હતા. ચોમાસાની શરૂઆતની સાથે જ ગાય-ભેંસ તણાઈ જવાના, નદી નાળામાં પાણી આવતા જ રસ્તો પાર કરતા એક મહિલા અને 8 વર્ષની દીકરી તણાઈ જવાથી તેમજ વીજળી પડવાથી મોતના કિસ્સાઓ વધી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *