માણસ જયારે ઘરેલું કંકાસમાં , પ્રેમમાં દગો કે દેવામાં આવી જાય ત્યારે તેને કોઈ સમજદાર વ્યક્તિનો સાથ ન મળે તો તે ઊંધું પગલું ભરી લે છે. આવાર-નવાર ફાંસો ખાવાની કે ઝેરી દવા પી જવાની ઘટના ઓ સામે આવતી હોઈ છે પરતું સામુહિક રીતે આંખો પરિવાર એક સાથે આવું પગળું ભારે એટલે કારણ જાણવા સૌ કોઈ આતુર હોઈ છે કે તેઓએ આ પગલું શા માટે ભર્યું.
સમગ્ર પરિવાર એક સાથે જ ભગવાનના દરબારમાં હાજરી નોંધાવવા પહોચી ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ કર્નાટક રાજ્યના બેન્ગ્લુરું ની જ્યાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં એક જ મકાન માંથી 5 લોકોની લાશો પોલીસને મળી આવી છે. 5 એ 5 લાશ એક જ પરિવારની છે તેવો ખુલાસો થતા જ લોકોની આંખો ફાટી નીકળી હતી.
આ ઘરમાંથી પોલીસને એક જીવતી બાળકી પણ મળી આવી છે પરતું તેની હાલત પણ ખબ જ ખરાબ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બાળકી લગભગ 5 દિવસથી ભૂખી અને તરસી છે અને તે એક રૂમમાં બંધ હાલતમાં મળી હતી..એટલે મળેલી તમમાં 5 લાશો પણ 5 દિવસથી તે મકાનમાં બંધ હતી તેવું અનુમાન છે.
અલગ-અલગ રૂમમાં બંધ કરી ફાંસો ખાધો : બ્યાદરહલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, ઘરના ચાર લોકોએ અલગ-અલગ ઓરડામાં પોતાને બંધ કરી લીધા અને ફાંસી લગાવી લીધી. આખો પરિવાર એક સાથે આ પ્રકાર નું પગલું ભરી લે એટલે કોઈપણ વ્યક્તિના ગળે આ વાત ઉતારવી ખુબ જ અઘરી છે.
તમામની લાશો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યાં જ નવ મહિનાની બાળકીની લાશ પલંગમાં પડી હતી. માનવામાં આવી રહ્યું છે કે, બાળકીનું મોત ભૂખના કારણે થયુ છે. મકાનમાં કુલ 2 બાળકીઓ જીવિત હતી તેમથી એકનું ભૂખના લીધે મોત થયું છે જયારે બીજી બાળકીની હાલત ખુબ જ ગંભીર છે. હાલના તબક્કે પોલીસ આ રહસ્યની ગુથ્થીને ઉકેલવા મથી રહી છે.
પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે. મૃતકોમાં ભારતી (51), સિંચના (34), સિંધુરાની (34), મધુસાગર (25) તથા એક માસુમ બાળકી સામેલ છે. જિવિત મળેલી બાળકીનું નામ પ્રેક્ષા બતાવવામાં આવી રહ્યું છે. મૃતકોની ઓળખાણ ત્યાંના નજીકમાં રેહતા લોકોએ કરી હતી.
પોલીસનું કહેવું છે કે, તેમને ઘટના વિશે મકાન માલિકે સુચના આપી હતી. મકાન માલિકે ઘર ચાર દિવસથી બંધ અને ભાડુઆતો ફોન ન ઉપાડવાની જાણકારી પોલીસને આપી હતી. પોલીસને ઘટનાસ્થળે સ્યુસાઇડ નોટ અને અન્ય પુરાવા શોધી રહી છે. આખો પરિવાર કોઈના કોઈ કારણસર પીડાતો હશે એટલે જ તેવો જ આ પગલું લીધું હશે તેવું પોલીસનું માનવું છે.
આની પાછળનું કારણ છે ખુબ જ ચોંકાવનારૂ : આ મકાનમાં કુલ 7 લોકો રેહતા હતા જેમાં 2 બાળકીનો સમાવેશ થાય છે. આંખો પરિવારએ ફાંસો ખાઈ લીધો પરતું પરિવારના મોભી એટલે એ માંધુસાગરના પિતા શંકર ભાઈ ઘરે નોહતા. આસપાસમાં રેહતા પાડોશીઓનું કહેવું છે કે શંકર ભાઈ અને તેમના પુત્ર મધુસાગર વચ્ચે અવાર-નવાર લડાઈ ઝઘડાઓ થતા હોઈ છે.
તેઓ હરહંમેશ કકળાટ કરે છે અને તેઓને લીધે સમગ્ર સોસાયટીમાં હંગામો મચી જાતો હોય છે. પુત્ર અને બાપ વચ્ચે ક્યારેય સબંધો સારા રહ્યા નોહતા. તેમજ શંકરભાઈ ને તેમના પરિવાર પ્રત્યે પણ પ્રેમ નોહ્તો. તેઓ ગમે ત્યારે ઘરે આવતા હતા અને ગમે ત્યારે ઘરેથી નીકળી જતા હતા.
જયારે તેઓ છેલ્લે ઘરેથી ગયા ત્યારે શંકરભાઈ અને તેમના પરિવાર વચ્ચે ખુબ જ ઝઘડો થયો હતો. પરિવારને રોવાનો વારો આવ્યો હતો. પરિવારના એક સમ્ભ્યના લીધે સમગ્ર પરીવાર ખુબ જ ચિંતિત રેહતો હતો. શંકરભાઈના ત્રાસથી બચવા માટે આખા પરિવારએ અ પ્રકારનું પગલું લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણ મળી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]