ક્યારે કયા વ્યક્તિની કિસ્મત પલટાઈ જાય તેનું નક્કી રહેતું નથી, જો કોઈ પણ પ્રકારનું કામકાજ કરતી વખતે પોતાનું મનમાં કામ પ્રત્યેની નિયત અને સાફ રાખવામાં આવે અને સાચા દિલથી કામકાજ કરવામાં આવે તો ઈશ્વર એકને એક દિવસ જરૂર 10 ગણી ગતિથી પ્રગતિ કરાવે છે. ખૂબ જ ઈમાનદારીથી જીવન જીવતા આશિષભાઈ નામના યુવક સાથે ઈશ્વરે કંઈક એવી જ એક ઘટનાને સંકળાવી દીધી હતી..
આશિષભાઈ પોતાની ફેક્ટરીએથી કામકાજ પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે પરત આવતા હતા, ત્યારે તેમને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ હતી. એટલા માટે તેઓ એક કરિયાણાની દુકાન પર ઉભા રહીને કાજુ બદામ સહિતનો સૂકો મેવો ખરીદવા લાગ્યા હતા અને આ સુકોમેવો ખરીદીને તેઓ પોતાને ઘરે પરત પહોંચ્યા ત્યારે તેમની સાથે ખૂબ જ અજુગતી ઘટના બની ચૂકી હતી..
તેઓએ ઘરે આવીને તેમની પત્નીને દૂધપાક બનાવવા માટે જણાવ્યું હતું અને આ સુકામેવાને તેમણે તેમની પત્નીને આપી દીધા હતા, આશિષભાઈની પત્ની હેમાલી બેને આ સૂકામેવાને પેકેટમાંથી બહાર કાઢીને તેના વડે દૂધપાક બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. એ વખતે પેકેટ ખોલતાની સાથે જ અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, જે જોતા ની સાથે જ આ પરિવાર રાતો રાત કરોડપતિ બની જવા પામ્યો હતો..
કાજુનું પેકેટ ખોલતા જ હેમાલી બેનને અંદરથી એક ચળકાટ મારતી ચીજ વસ્તુ દેખાઈ આવી હતી, આ વસ્તુને જોતા જ તેઓએ આશિષભાઈને પણ રસોડામાં બોલાવી લીધા અને જણાવ્યું કે, આ પેકેટની અંદરથી કોઈ ચળકાટ મારતી ચીજ વસ્તુ મળી આવી છે. આશિષભાઈએ જ્યારે આ ચમકતી ચીજ વસ્તુને પોતાની હાથમાં લીધી ત્યારે તેમને જણાવ્યું કે..
હકીકતમાં આ એક ખૂબ જ ઈમ્પોર્ટેડ બ્રેસલેટ છે, જેની કુલ કિંમત અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓએ થોડા સમય પહેલા ઇન્ટરનેટના માધ્યમ પર આવી જ એક જ્વેલરી નિહાળી હતી, જેની કુલ કિંમત અંદાજે 1.5 કરોડથી બે કરોડ રૂપિયા હતી, એટલા માટે તેઓ તરત જ બીજા દિવસે સોની બજારમાં જઈ આ ઘરેણાની અસલી પરખ કરાવી હતી..
ત્યારે સોનીએ જણાવ્યું કે આ ઘરેણાની કિંમત અઢી કરોડ રૂપિયાની છે. જેની ઉપર ખુબ જ મોંઘી કીમતી હીરાઓ જડેલા હતા. અઢી કરોડ રૂપિયાનું નામ સાંભળતાની સાથે જ આશિષભાઈની પત્નીના મનમાં તો લડ્ડુ ફૂટવા લાગ્યા હતા અને તેઓ વિચારવા લાગ્યા કે, હવે તેઓ એક નવું મકાન ખરીદી લેશે અને તેમના વતનમાં જમીન પણ ખરીદી લેશે..
આ ઉપરાંત તેમના દીકરાને પણ સારી શાળામાં ભણાવી શકશે અને તેમના દરેક મહોત્સવ પણ પૂર્ણ થઈ જશે, પરંતુ આશિષભાઈ એટલા બધા ઈમાનદાર હતા કે, તેમણે જણાવ્યું કે આ ઘરેણાનો એક પણ રૂપિયો તેવો રાખી શકશે નહીં. એટલા માટે આ ઘરેણાને આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવું જોઈએ કે, કાજુના પેકેટની અંદરથી આપને આ ઘરેણું મળી આવ્યું છે..
તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનને હાજર થઈ આ ઘરેણું ત્યાં જમા કરાવી દીધું હતું, એ વખતે પોલીસ સ્ટેશનથી માહિતી મળી કે, શહેરની અંદર કાજુ બદામના એક હોલસેલ વેપારીનું અતિશય ઈમ્પોર્ટેડ ઘરેણું ગાયબ થયું છે. જે આશિષભાઈને મળી આવ્યું હતું. હકીકતમાં જ્યારે આ હોલસેલના વેપારી કાજુ બદામનું પેકિંગ કરવા માટે દેખરેખ રાખી રહ્યા હતા..
ત્યારે તેમના હાથમાંથી આ બ્રેસલેટ કાજુના પેકેટની અંદર ચાલ્યું ગયું હશે અને જે આશિષભાઈના ઘર સુધી પહોંચી ગયું હતું. કાજુ બદામના હોલસેલના વેપારીએ આશિષભાઈને ઇનામ પેટે પાંચ લાખ રૂપિયા રોકડ આપ્યા હતા, કારણ કે ઝડપથી જતી આ દુનિયાની અંદર ઈમાનદારી સાવ નાબૂદ થઈ જવા પામી છે. જેમાં આશિષભાઈ ઈમાનદારી દાખવીને અતિશય કિંમતનું આ ઈમ્પોર્ટેડ ઘરેણુ અસલી માલિક સુધી પરત પહોંચાડ્યું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]