જે વ્યક્તિ ઉપર આપણે મન મૂકીને વિશ્વાસ કર્યો હોય તેમ જ આપણે જેને વર્ષોથી ઓળખતા હોઈએ તેવા વ્યક્તિ પણ અમુક વખતે આપણી સાથે શું કરી બેસે તેનું નક્કી હોતું નથી, ઝડપથી આગળ વધતી જતી આ દુનિયામાં ડગલેને પગલે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. અત્યારે એક દુકાનદાર માથે એવી આફત ઝાટકી પડી હતી કે, બિચારો બે શબ્દ સાંભળતાની સાથે જ રડવા લાગ્યો હતો..
આ ઘટના ભોલુ પાર્ક કોલોની માંથી સામે આવી છે, આ કોલોની અંદર ઉર્મિલા નામની એક દેખાવડી મહિલાએ એક દુકાનદારને એવી રીતે પોતાની ચીપટીમાં ફસાવી લીધો હતો કે, બિચારો ઉભે ઉભો રડવા લાગ્યો હતો. આ ઘટના પાછળની હકીકત જાણીને સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..
ભોલુ પાર્ક કોલોનીમાં ઉર્મિલા નામની મહિલા મકાન નંબર 45માં રહે છે, જ્યારે મકાન નંબર 47માં દિનેશ નામનો યુવક તેના પરિવાર સાથે જીવન ગુજારતો હતો, દિનેશ ભોલુ પાર્ક કોલોનીની બહાર આવેલી એક દુકાનમાં પોતાનો વ્યવસાય ચલાવે છે, પોલ ઉપર કોલોનીના તમામ લોકો દિનેશની દુકાનેથી ખાવા પીવાનો સામાન ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરતા હતા..
પરંતુ એક દિવસ દિનેશને એવી મુસીબતનો સામનો કર્યો હતો, જેને લઈ અત્યારે સમગ્ર કોલોનીમાં હોબાળો મચી જવા પામ્યો છે, હકીકતમાં જ્યારથી ઉર્મિલા આ સોસાયટીની અંદર રહેવા માટે આવી હતી ત્યારથી જ તે કોઈને કોઈ વ્યક્તિ સાથે ખૂબ જ લાડ પ્રેમથી વાતચીતો કરવા લાગતી હતી..
એક વખત તેણે દિનેશની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું અને બીજી બાજુ દિનેશે પણ ઉર્મિલાની સાથે પ્રેમ ભરી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું, આ બંને વ્યક્તિ એકબીજા સાથે ઘણી બધી વાતો કરવા લાગ્યા અને બંનેએ બહાર ફરવા જવાનો પણ પ્લાન બનાવી નાખ્યો હતો. ઉર્મિલાએ તમામ તૈયારીઓ કરી નાખી અને પોતાના પતિને આપીને તે ઘરેથી નીકળી ચૂકી હતી..
જ્યારે બીજી બાજુ દિનેશ પણ પોતાની દુકાન બંધ કરીને અન્ય વ્યવસાય માટે શહેરમાં જવાનું છે, તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. આ બંને વ્યક્તિઓ એકબીજા સાથે સમય વિતાવવા માટે ઘર મૂકીને તો નીકળી ગયા હતા. અને ત્યારબાદ તેઓ અન્ય શહેરમાં એકાંતનો સમય વિતાવીને પોતાના ઘરે પરત આવી ગયા હતા..
ઉર્મિલાએ પોતાની વાતની અંદર દિનેશને એવો ફસાવી દીધો હતો કે, દિનેશને તેનો પરિવાર પણ હવે નડતરરૂપ બનવા લાગ્યો હતો. તો બીજી બાજુ ઉર્મિલા પણ તેના પતિ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગી હતી. આ બંને વ્યક્તિઓનો પ્રેમ પ્રકરણ ખૂબ જ સારું ચાલતું હતું, દિનેશ તેના કારીગરના ભરોસે પોતાની દુકાન છોડીને અવારનવાર ઉર્મિલાને મળવા માટે જતો રહેતો હતો..
અને થોડા જ સમયની અંદર તેમના વચ્ચે લગ્ન કરવાની બાબતને લઈને લડાઈ ઝઘડો થઈ ગયો હતો, એ વખતથી આ બંને વચ્ચે તિરાડો ઉત્પન્ન થઈ ગઈ અને ઉર્મિલાએ દિનેશને જણાવી દીધું હતું કે હું તને સમગ્ર કોલોનીની અંદર બદનામ કરી નાખીશ. દિનેશે જણાવ્યું કે મહેરબાની કરીને તમે આવું નહીં કરતા કારણ કે તેના લગ્ન થઈ ચૂક્યા છે..
અને નાના બાળકો પણ છે, તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે તે ક્યારેય પણ ઉર્મિલાની સાથે વાત પણ નહીં કરે અને અન્ય કોઈ મહિલાની સામે પણ આંખ ઊંચી કરીને નહીં જુએ, તો બીજી બાજુ ઉર્મિલાએ દિનેશ નામના યુવકની બદનામી કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે સોસાયટીના કેટલાક લોકોને પણ જણાવી દીધું કે, દિનેશ અન્ય કોઈ મહિલાના પ્રેમ સંબંધમાં જોડાયેલો છે..
અને તે તેના પરિવારને ચકમો આપી રહ્યો છે, ધીમે ધીમે આ વાત ખૂબ જ વધારે ફેલાવવા લાગી હતી એટલું જ નહીં પરંતુ ત્રણ દિવસ બાદ સાંજના સમયે ઉર્મિલા નામની આ દેખાવડી મહિલા દિનેશ ની દુકાને ખારી સિંગ લેવા માટે આવી પહોંચી હતી, જ્યારે તે ખારી સિંગ લેતી હતી ત્યારે તેને દિનેશને એવા શબ્દો કહ્યા હતા કે, આ શબ્દો સાંભળતાની સાથે જ દિનેશ રડવા લાગ્યો હતો..
ઉર્મિલા નામની આ મહિલાએ દિનેશને જણાવ્યું હતું કે, જો તું મને ત્રણ લાખ રૂપિયા નહીં આપે તો તે મારી સાથે હોટલમાં જે પણ કર્યું છે, તેનો વિડીયો હું વાયરલ કરવાની સાથે સાથે ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકીઓ આપી દીધી હતી. જો સવાર સુધી ત્રણ લાખ રૂપિયા થઈને પહોંચાડવામાં નહીં આવે તો ઉર્મિલા શું કરી બેસે તેનું નક્કી હતું નહીં..
આ બાબત વિચારીને દિનેશ તો ત્યાં ને ત્યાં જ ઢીલો પડી ગયો અને રડવા લાગ્યો હતો, તેણે આ ઘટનાની જાણકારી અન્ય વ્યક્તિઓને કહેવાને બદલે મનોમન મૂંઝાઈ ગયો અને પોતાનું ઘર મૂકીને ભાગી ગયો હતો, બીજા દિવસે સવારના સમયે ઉર્મિલાએ ફરી એક વખત દિનેશને ફોન કરીને જણાવ્યું હતું કે, તેને ત્રણ લાખ રૂપિયાની જરૂર છે..
જો તેને રૂપિયા પહોંચાડવામાં નહીં આવે તો આ વિડીયો વાયરલ થઇ જશે અને બીજી બાજુ આ ઘટના વિશે દિનેશે તેની પત્નીને પણ જણાવી દીધું હતું કે, ઉર્મિલા નામની આ મહિલા તેને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહી છે. તે બંને વચ્ચે પહેલા જે કંઈ પણ થયું હતું એ બંનેની મરજી પ્રમાણે થયું હતું..
પરંતુ હવે આ મહિલા ખોટી રીતે ફસાવી દેવાની વાતચીત કરી રહી છે, આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીમાં હોબાળો મચી જવા પામ્યો હતો કહેવાય છે કે, દરેક વ્યક્તિએ ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો શહેર જમતી પણ ચૂક થઈ જાય તો લગ્નજીવનની સાથે સાથે વ્યવહારિક જીવનમાં પણ ખૂબ જ મોટો ડાઘ લાગી જતો હોય છે, એક વખત વ્યવહારિક જીવનમાં ડાઘ લાગી જવાને કારણે સામાન્ય વ્યક્તિઓ આપણા ઉપરથી વિશ્વાસ કરવાનું મૂકી દેતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]