Breaking News

દૂધમાં ઘેનના ટીકડા મિલાવી પીવડાવી દીધા બાદ યુવકે માતા સહીત 4 બાળકોના ગળા વાઢી નાખ્યા, કારણ જાણીને મગજ હચમચી જશે તમારું..!

આજકાલના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરું બની ગયો છે. ક્યારેય લોકો વિશ્વાસઘાત કરે તે કહી શકાતું નથી અવારનવાર વિશ્વાસઘાતને કારણે બનતી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના આગ્રાના કોતવાલી વિસ્તારના ઊંઝા સાધુરામ વિસ્તારમાં બની હતી.

જેમાં એક યુવતી તેમના બાળકો સાથે રહેતી હતી. યુવતીના પતિનું અવસાન ઘણા સમય પહેલા થઈ ગયું હતું. જેના કારણે યુવતી તેમના બાળકોની સાચવીને રહેતી હતી. યુવતીનું નામ રેખા હતું. તેને 4 બાળકો હતા. રેખાના બાળકોનું નામ વીરુ, અંસૂલ, પારસ અને માહી હતું. રેખા તેમના પતિની દરેક સંપત્તિ ભાડે આપીને તે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

તેના પતિના ભાગીદાર તરીકે એક યુવક હતો. આ યુવકનું નામ સંતોષ હતું. સંતોષ પાસેથી રેખાને ઘણા બધા પૈસા લેવાના હતા. સંતોષે રેખા પાસેથી બે લાખ રૂપિયા ઉછીના પણ લીધા હતા અને તે વ્યાજ સહિત પરત આપી દેશે તેમ જણાવ્યું હતું અને રેખા પાસેથી 6 મહિના પહેલા સ્કૂટર પણ પડાવી લીધું હતું.

જેના કારણે રેખા સ્કૂટર અને વ્યાજના પૈસા માટે અવારનવાર સંતોષ સાથે માંગણી કરતી હતી. રેખાના પતિની દુકાન પર લોન પણ લીધી હતી. પરંતુ તે રેખાને પૈસા પરત કરી શક્યો ન હતો અને રેખાને સંતોષે ઘણા બધા પૈસા પરત કરવાના હતા અને દેવું પણ ચૂકવવાનું હતું. જેના કારણે સંતોષ રેખાને મારી નાખવાનું કાવતરું ઘડયુ હતું.

એક દિવસ સંતોષે તેમના બીજા બે મિત્રોને બોલાવ્યા હતા. ત્રણેય વ્યક્તિઓ રેખાના ઘરે પહોંચ્યા હતા. ત્યારે રેખાના ઘરે પહોંચી રેખાના ઘરનો દરવાજો ખડખડાવ્યો હતો રેખાનો દીકરો અંશુલે આ દરવાજો ખોલ્યો હતો, ત્યારબાદ રેખાએ સંતોષ અને તેમના મિત્રોને નીચે બેસવા કહ્યું હતું તે સમયે વીરુ અને અન્સુલ સોફા પર બેઠા હતા.

તેની સાથે સંતોષ અને તેના બીજા બે મિત્રો બેસી ગયા હતા રેખા નીચે આવી હતી અને તેણે શું કામ છે તેમ પૂછ્યું હતું ત્યારે સંતોષે જણાવ્યું હતું, તે ઘર જોવા માટે આવ્યો છે જેના કારણે રેખાને બેસા કહ્યું હતું અને રેખા ચા બનાવી રહી હતી. ત્યારે સંતોષ પાછળની તરફથી તેની પાસે ગયો હતો અને રેખાને રૂમમાં લઈ જઈને પકડી લીધી હતી.

ત્યારબાદ રેખાને ધમકાવી હતી અને બીજો સામાન ક્યાં મુક્યાનું કહ્યું હતું. રેખા અવાજ કરવાનો પ્રયાસ કરે તે પહેલા તેનું મો દબાવીને તેનું ધારદાર હથિયાર વડે ગળું કાપી નાખ્યું હતું. જેના કારણે સોફા પર બેઠેલા વીરુ અને તેમની માતાને બચાવવા માટે રૂમમાં આવ્યા હતા. ત્યારે સંતોષ આ બંને દીકરાને પણ ઘણું દબાવીને મારી નાખ્યા હતા.

ત્યારબાદ નીચે રમી રહેલા બીજા બે દીકરી અને દીકરાને પણ સંતોષે મારી નાખ્યા હતા. કારણ કે કોઈને પણ જાણ ન થાય તે માટે સંતોષે ચારેય દીકરા-દીકરી અને તેમની માતા રેખાને મારી નાખ્યા હતા. ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરની બહાર નીકળી ગયા હતા. પરંતુ પાડોશીના લોકોની બે દિવસ સુધી રેખાના ઘરેથી કોઈ બહાર ન નીકળતા રેખાઓના ઘરની તપાસ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *