હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં પરિવારમાં ચાલતા પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે પરંતુ આવા પારિવારિક ઝઘડાઓમાં પરિવારના લોકો ઉશ્કેરાઈ જઈને એવી ઘટનાઓ કરી નાખે છે જેના કારણે પરિવારના બીજા સભ્યોને પોતાના જીવ ગુમાવવા પડે છે આવી ચોંકાવનારી ઘટનાઓ બનતા દેખાઈ રહ્યું છે કે આજની યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે.
આ ઘટના રાયગઢ જિલ્લામાં બની હતી. જેમાં એક પરિવારની મહિલા સાથે તેના જ પરિવારના લોકો નિર્દય બની ગયા હતા. રાયગઢ જિલ્લાના કોટરા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની તેમનો દીકરો અને મહિલાના સસરા રહે છે. મહિલાનું નામ શાંતિ મહાનંદ હતું.
તેમની ઉંમર 35 વર્ષની હતી. અને તેમના પતિનું નામ સોનુ સોનવાણી છે, સોનુના પિતાનું નામ દેવાનંદ સોનવાણી છે. પરિવારમાં દરેક લોકો ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા પરંતુ પતિનો સ્વભાવ દિવસેને દિવસે બગડતો જતો હતો. પત્ની અવારનવાર બજારમાં કોઈ ખરીદી કરવા માટે જતી અથવા તો શાકભાજી લેવા માટે જતી હતી.
ત્યારે પતિ તેના પર અવારનવાર શંકાઓ કરતો અને પતિ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. શાંતિ ના આ બીજા લગ્ન હતા તે તેના પહેલા લગ્ન થયા ત્યાં કોઈ બાબતે કારણે લગ્ન છૂટા થયા હતા ત્યારબાદ સોનુ સાથે તેના બીજા લગ્ન થયા હતા લગ્ન બાદ બંનેને એક બાળક પણ હતું. બાળકની ઉંમર 14 વર્ષની હતી.
પતિ પરંતુ શાંતિ પર અવારનવાર શંકા કરતો જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા અને બે ત્રણ દિવસથી શાંતિ જમવાનું સરખું નથી બનાવતી તેમ કહીને સોનુ તેના પર ગુસ્સે થતો હતો અને તેની સાથે ઝઘડો કરતો હતો બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ વધતા જતા હોવાને કારણે શાંતિ કંટાળીને તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી.
પરંતુ એક દિવસ શાંતિને સોનુએ બુદ્ધિ બાઈ મંદિર પાસે બોલાવી હતી અને તેને મળવું છે તેમ કહીને શાંતિને બોલાવ્યા બાદ શાંતિ સાથે તેણે એવી ઘટના કરી નાખી કે પરિવારના લોકો શાંતિને શોધતા રહ્યા હતા શાંતિના પિયરના લોકો શાંતિ સમયસર ઘરે ન આવતા શોધવા ગયા હતા ત્યારે શાંતિ મળી ન હતી.
અને પરિવારના લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી પોલીસે સોનીની પૂછપરછ કરી હતી સોનુ ને શાંતિ છેલ્લી વાર મળી હતી ત્યારબાદ તે ગાયબ થઈ ગઈ હતી જેના કારણે પોલીસ તપાસ કરી રહી હતી સોનુની કડક પૂછપરછ કરતા સમયે કઈ પણ બતાવ્યું નહી પરંતુ સોનુંએ પોલીસ પાસે સામેથી જઈને એવું કહ્યું કે જે જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી.
શાંતિ ના ગુમ થયાની બાબતે સોનુ એ જણાવ્યું હતું કે શાંતિ ને તે મંદિર પાસે મળવા ગયો ત્યારે શાંતિને પાછળની બાજુથી તેણે શાંતિનું ગળું દબાવીને મારી રાખી હતી ત્યારબાદ પોતાના જ ખંભા પર લઈને તેને ડાળાની આજુબાજુ આવેલા ટેકરીના વિસ્તારમાં લઈ જઈને ખાડો કરીને તેમાં મૃતદેહને છુપાવવામાં આવ્યો હતો અને માટી ફરી પાછી હતી તેમ જ કરી રાખવામાં આવી હતી.
જે જગ્યા પર શાંતિના મૃતદેહ છૂપાવવામાં આવ્યો હતો તે જગ્યા પર છોડ પર મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસે સોનુના ઘરની તપાસ કરતાં પોલીસને ઘરમાંથી પાવડો અને કુહાડી જેવા સાધનો મળ્યા હતા જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]