અત્યારના સમયમાં ઘણી બધી ચોંકાવનારી ઘટનાઓ એવી રીતે આપણી નજર સમક્ષ આવા લાગી છે કે, તેને જોતા અને જાણતાની સાથે જ પણ વ્યક્તિના હોશ છૂટી જતા હોય છે. આવી ઘટનાઓએ ઘણા બધા લોકોને વિચારવા ઉપર મજબૂર કરી દીધા છે. તો આ ઘટનાને લઈને ઘણા બધા લોકો ઉપર ચર્ચા વિચારણા અને પ્રશ્નો પણ ઊભા થયા છે..
આ મામલો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ પાસે આવેલા જસરાના વિસ્તારના બિલાસપુરનો છે. અહીં 81 વર્ષની હરીભેજી નામની મહિલા તેના દીકરા સુગ્રીવ સિંહની સાથે રહેતી હતી. તેની તબિયત બગડી જતા અચાનક જ તેને ફિરોઝાબાદના ટોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી…
પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે ટૂંકી સારવાર બાદ હરિભેજી નામની મહિલાના દીકરા સુગ્રીવને જણાવી દીધું હતું કે, તેમની માતાના અંદરના અંગો કામ કરતા બંધ થઈ ગયા છે. જેમાં હૃદય પણ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું હોવાથી તેનું મૃત્યુ થયું છે. ત્યારબાદ ટોમા સેન્ટરમાં રહેલા ડોક્ટરે સુગ્રીવ સિંહને જણાવ્યું હતું કે, તેઓ તેમની માતાને અંતિમવિધિ કરવા માંગતા હોય તો ઘરે લઈ જઈ શકે છે…
જ્યારે સુગ્રીવ સિંહ તેમની માતાને પોતાને ઘરે લઈને આવ્યા ત્યારે સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે તેમને વિદાય આપવાની કામગીરીઓ શરૂ કરી દીધી હતી. જ્યા ચારે કોર મોતનો માતમ છવાઈ ગયો હતો. કારણ કે 81 વર્ષના હારીભેજી નામની મહિલાનું મૃત્યુ થયું હતું. તેના અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી..
આ કામગીરી માટે તેને જસરાના વિસ્તારમાં લઈ જવામાં આવી હતી. ત્યારે અચાનક જ સિવિલ લાઈન તેમજ મખનપુર વચ્ચેના રસ્તા ઉપર ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. હરીભેજી નામની મહિલાને તેમનો દીકરો સુગ્રીવ સિંહ મુખાગ્નિ આપે એ પહેલા તો આ મડતદુ અચાનક જ બેઠું થઈ ગયું હતું.
આ મડદાએ અચાનક જ આંખ ખોલી નાખતા ત્યાં હાજર રહેલા સૌ કોઈ લોકોના ટાંટિયા ધ્રૂજી ગયા હતા. સૌ કોઈ લોકો વિચારમાં મજબૂર બની ગયા કે, આખરે ડોક્ટરે હરિભેજી નામની આ મહિલાને મૃત જાહેર કરી દીધી છે. છતાં પણ હરિભેજીએ શા માટે આંખ ખોલી છે અને તે અચાનક જ બેઠી થઈ જતા સૌ કોઈ લોકોના મોતિયા મરી ગયા હતા..
તેની હાલત ખૂબ જ ખરાબ હતી. પરંતુ તેનામાં જીવ પરત આવી ગયો હતો. તાત્કાલિક ધોરણે પરિવારજનો તેને સ્મશાનને બદલે પોતાને ઘરે પરત લઈ આવ્યા હતા. જ્યાં હરીભેજિએ બેઠા થતાની સાથે તરત જ ચા ની માંગણી કરી હતી. પરિવારજનોએ તેમને ચમચી થી ચા પણ પીવડાવી હતી. પરંતુ તેઓ લાંબુ જીવન જીવી શક્યા નહીં અને બીજે દિવસે તરત જ તેમનો જીવ ચાલ્યો ગયો હતો..
જ્યારે તેમના શરીરમાંથી સંપૂર્ણપણે જીવ ચાલ્યો ગયો ત્યારે ફરી પાછી તેમની અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેમને અંતિમ સંસ્કાર પણ આપી દેવામાં આવ્યા છે. ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા અને ત્યારબાદ જ્યારે તેમને સ્મશાને લઈ જવામાં આવતા હતા. ત્યારે રસ્તામાં જ આ મડદુ બેઠું થઈ ગયું હતું અને તેનામાં જીવ પુનઃ આવી ગયો હતો..
પરંતુ આ જીવ લાંબો સમય સુધી ટકી શક્યો નથી અને તરત જ બીજા દિવસે તેમનું અવસાન થયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે તેમની સાથે રહેલા કેટલાક વડીલોનું કહેવું છે કે, કદાચ હરિભેજી નામની આ મહિલાનો જીવ તેમના ઘરમાં હશે. એટલા માટે તેઓ અંતિમ વખત પોતાને ઘરે જીવિત હાલતમાં આવવા માંગતા હશે.
અને તેમનો જીવ પરત આવી ગયો હશે. જ્યારે તેઓ ઘરે પરત આવી ગયા અને ચા પીધી અને ત્યારબાદ તેમનું ફરી પાછું મૃત્યુ થઈ ગયું હતું કેટલાક લોકોએ આ ઘટનાને માની લીધી છે. તો કેટલાક લોકો આ ઘટનાને નકારી કાઢી છે. પરંતુ આ તમામ મામલામાં સૌ કોઈ લોકો હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોક્ટર વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે, આ તે કેવો ડોક્ટર છે કે..
જેણે મહિલાને મૃત જાહેર કરી દીધા બાદ પણ મહિલામાં જીવ પરત આવી ગયો છે. આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. કારણ કે આ પ્રકારનો બનાવ આગળ ક્યારેય પણ સામે આવ્યો નથી. આવી ઘટનાઓ ઉપર મોટા ભાગે કોઈ વ્યક્તિને વિશ્વાસ આવતો નથી પરતું આ ઘટના એક સત્ય હકીકત છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]