Breaking News

દોઢ વર્ષ સુધી ઘરની અંદર લાશ સંતાડીને રાખી અને એક દિવસ થયું એવું કે ભાંડો ફૂટી ગયો અને થયો મોટો હોબાળો, હોશ ઉડાવતો કિસ્સો..!

આપણને આપણી આસપાસ બનતા ઘણા બધા ચોંકાવનારા કિસ્સા જોવા મળે છે. પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતાં પરિવારમાં વેર વિખેર થઈ જાય છે પરંતુ ક્યારેક પરિવારના લોકો તેમના પરિવારના સભ્યના મૃત્યુને સાચું માની શકતા નથી. આવી ગંભીર બનેલી એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના લખનઉના યુપીના કાનપુરના રાવતપુરના કૃષ્ણપુરીમાં રહેતા પરિવારમાં બની હતી. પરિવારના યુવકની ઘણા સમયથી ઘરે જ સારવાર ચાલી રહી હતી. આ યુવકનું નામ દીક્ષિત હતું. દીક્ષિત આવકવેરા વિભાગમાં કામ કરતા અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તેમની અચાનક તબિયત બગડી હોવાને કારણે

એક વર્ષ પહેલાં તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં દીક્ષિતનું મૃત્યુ થઈ ગયું હતું અને ડોક્ટરોએ પણ દીક્ષિતને મૃત જાહેર કર્યા હતા. દીક્ષિતને હાર્ટ એટેક આવ્યું હોવાનું ડોકટરે જણાવ્યું હતું. પરંતુ પરિવારના લોકો દીક્ષિતના મૃત્યુને સાચું માની રહ્યા ન હતા. જેના કારણે દીક્ષિતની ઘરે સારવાર ચાલુ કરાઈ હતી.

દીક્ષિત કોમામાં છે અને જીવે છે, તેમ લોકો માની રહ્યા હતા. પરિવારના લોકો દીક્ષિત માટે ઓક્સિજનના સિલિન્ડર પણ લઈ આવતા હતા અને દીક્ષિત પરિણીત હોવાને કારણે તેમની પત્ની દરરોજ સવારે શરીર પર ગંગા છાંટતી હતી. જેના કારણે તેમની પત્નીને આશા હતી કે તે કોમામાંથી બહાર આવી જશે. ફરી તે ઉભા થશે.

ત્યારબાદ એક વર્ષ પછી આવકવેરા અધિકારીઓ ઘરે આવ્યા હતા. ત્યારે અધિકારીઓને બીજા પાસેથી દીક્ષિત વિશે એવું જાણવા મળ્યું કે, દીક્ષિતનું 1 વર્ષ પહેલા જ અવશાન થઇ ગયું છે પરંતુ પરિવારના લોકો જીવે છે તેમ માનીને મૃતદેહને સાચવી રહ્યા છે. જેના કારણે અધિકારીઓ દીક્ષિતના ઘરે પહોંચ્યા પછી પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

અધિકારીઓના સમજાવ્યા બાદ પરિવારના લોકો દીક્ષિતના મૃતદેહને લાલા લજપતરાય હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપી હતી. ત્યાં ડોક્ટરોએ દીક્ષિતની તપાસ કરી હતી અને દીક્ષિતનું મૃત્યુ એક વર્ષ પહેલા થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. એક વર્ષથી દીક્ષિતનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં પરિવારના લોકો તેને પોતાના ઘરે કોમામાં છે.

તેમ સમજીને સારવાર કરી રહ્યા હતા. આ વાતની જાણ થતા જ શહેરમાં અને પાડોશીના લોકો ચોકી ગયા હતા. ત્યારબાદ દીક્ષિતની પોલીસની જાણ કરવામાં આવી હતી પરંતુ દરેક લોકો એમ વિચારી રહ્યા હતા કે દીક્ષિતના મૃતદેહને ઘરે રાખવામાં આવ્યો હતો. તો મૃતદેહ માંથી કોઈ દુર્ગંધ કે તે સડી કેમ ન હતી અને પરિવારના લોકોએ આવું શા માટે કર્યું તેમ વિચારી રહ્યા હતા. જેના કારણે પોલીસ તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *