જ્યારે પ્રસંગ અને તહેવારની શુભ ઘડી આવી પહોંચે છે. ત્યારે મોતના માતમ પણ ખૂબ જ વધુ માત્રામાં છવાઈ જતા હોય છે. લોકો મન મૂકીને તહેવારની મજા માણતા હોય છે. પરંતુ આ તહેવારની મજા અમુક લોકો માટે મોતની સજા સાબિત થઈ ગઈ છે. નવરાત્રી નો તહેવાર શરૂ થતાની સાથે જુદા જુદા રાજ્યોમાં ચાલુ ગરબાએ અચાનક જ મોત આંબી જવાના..
તો કરંટ લાગવાના સાથે સાથે લડાઈ ઝઘડાના બનાવો પણ સામે આવવા લાગ્યા હતા. હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માંથી વધુ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. અહીં બરાબન ગામની અંદર સૌ કોઈ લોકો નવરાત્રીના રંગે રંગાઈ ગયા હતા. રોજ ડીજે સાઉન્ડના તાલ ઉપર તેઓ ગરબે ઘૂમતા હતા અને માતાજીને પૂજા અર્ચના કરતા હતા..
માતાજીના પંડાલની સામેની બાજુએ ડીજેની મ્યુઝિક સિસ્ટમ મૂકવામાં આવી હતી. આ માટે બે ઓપરેટરો પણ રાખવામાં આવ્યા હતા. શિવમ કેસર વાણી અને રાહુલ વર્મા નામના બંને વ્યક્તિ ડીજે ઓપરેટર તરીકે અહીં પહોંચીને કામ કરતા હતા. તેઓ સાંજના સમયે નવરાત્રિ શરૂ થાય એ પહેલા લાઉડ સ્પીકર સિસ્ટમ શરૂ કરીને તેને સેટ અપ કરી રહ્યા હતા.
એવામાં જેવો બનાવ બન્યો છે કે આખરે બંને વ્યક્તિઓના જીવ ચાલ્યા ગયા છે. ડીજેની સિસ્ટમ ખુલ્લી જગ્યામાં ગોઠવવામાં આવી હતી. ત્યાંથી વીજ પ્રવાહ પસાર થતો ન હોવાથી ગામના એક ઘરમાંથી વીજ લાઈન દોડાવીને તેમાં પાવર આપવો પડતો હતો. આ બંને વ્યક્તિ ગામના એક ઘરની બાલકની ઉપર ચડીને તારને બાંધી રહ્યા હતા.
એવામાં તેમના ઉપર વધુ એક તૂટી ગયેલો તાર પડતા જ તેમને એકાએ કરંટ લાગ્યો હતો અને તેઓ બાલકની માંથી નીચે પડ્યા હતા. જ્યારે ગામના લોકોએ જોયું કે, આ બંને વ્યક્તિને જોરદાર કરંટ લાગ્યો છે. અને બંને ગંભીર રીતે દાઝી પણ ગયા છે. ત્યારે તાત્કાલિક ગામડાના લોકો લાકડી લઈને આવી પહોંચ્યા અને તેમના શરીર ઉપરથી આ વાયરને હટાવ્યો હતો.
પરંતુ ત્યાં સુધીમાં તો તેઓની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. ધીમે ધીમે તેમનું શરીર પણ કાળું પડવા લાગ્યું હતું. કારણ કે તેમને ખૂબ જ ભારે વોલ્ટેજ નો શોર્ટ લાગ્યો હતો. આ બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેની ટૂંકી સારવાર બાદ જણાવ્યું કે આ બંને વ્યક્તિઓનો જીવ બચી શકે તેમ નથી..
અને જોત જોતામાં તો બંને યુવકોનું મૃત્યુ પણ થઈ ગયું હતું. આ જુવાન યુવકોનું મૃત્યુ થતાની સાથે જ ભારે ચર્ચાઓ થવા લાગી હતી. જ્યારે શિવમ અને રાહુલ બંનેના ઘરે જાણ થઈ કે તેમના લાડકા વહાલસોયા દીકરાઓનું ડીજેની મ્યુઝિક સિસ્ટમ સેટ અપ કરતી વખતે કરંટ લાગવાથી મૃત્યુ થયું છે..
ત્યારે તેમના દુઃખનો કોઈ પાર રહ્યો હતો નહીં આ બાબતની જાણકારી પોલીસ અધિકારીઓને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સંભાળવામાં લાગી પડ્યો હતો. હાલ આ બંને યુવકના મૃત્યુનો પડઘો સમગ્ર ગામમાં પડી ગયો છે.
સૌ કોઈ લોકોમાં ભારે દુઃખનો માહોલ જોવા મળ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, માથે મોત માંડ્યું હોય ત્યારે ખુદ ભગવાન પણ બચાવી શકતા નથી. તો કેટલાક લોકો વીજ લાઈનની ઘોર બેદરકારીને દોષિત માની રહ્યા છે. જો વીજવાયર ઉપર થી તૂટીને તેમના શરીર ઉપર પડ્યો ન હોત તો આજે તેમનો જીવ બચી ગયો હોત.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]