તહેવારના સમયમાં સીંગતેલનો વપરાશ ખૂબ જ વધી જતો હોય છે, આ સમયમાં દરેક મહિલાઓ પોતાના ઘરે જુદી-જુદી ફરસાણની ચીજ વસ્તુઓ બનાવતી હોય છે, આ ઉપરાંત તહેવારના સમયમાં લોકો બહારનો ખોરાક વધારે ખાતા હોય છે. એટલા માટે સીંગતેલની વપરાશ ખૂબ જ વધારે થતી હોય છે..
જ્યારે જ્યારે તહેવારનો સમય નજીક આવતો હોય છે, ત્યારે ત્યારે મોટાભાગે સીંગતેલના ભાવમાં વધારો નોંધાતો હોય છે. પરંતુ આ વર્ષે ગૃહિણીઓને ખૂબ જ રાહતનો અનુભવ થશે કારણ કે, છેલ્લા બે મહિનાથી સતતને સતત સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાય રહ્યો છે. એક સમયે સિંગતેલના ડબ્બાનો ભાવ ₹ 3200 અને પાર પહોંચી ગયો હતો..
પરંતુ છેલ્લા બે મહિનાથી દરેક અઠવાડિયે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હતો, જેના કારણે અત્યારે સીંગતેલના નવા ડબ્બાનો ભાવ સૌથી તળિયાની સપાટી પર પહોંચી ગયો છે. એક સાથે ભાવમાં આટલો મોટો કડાકો થતાની સાથે જ મોટાભાગના ગૃહિણીઓએ સીંગતેલની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે..
મોટાભાગે જે લોકો સમગ્ર વરસ દરમિયાનનું સિંગતેલ ખરીદતા હોય છે, તેમના માટે અત્યારે ખૂબ જ સારી તક રહેલી છે. અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી સીંગતેલના ભાવમાં 100 થી 125 રૂપિયાનો ઘટાડો નોંધાતાની સાથે સીંગતેલના નવા ડબ્બાનો ભાવ અત્યારે 2600 રૂપિયાના તળિયાની સપાટીએ પહોંચી ગયો છે..
અત્યારે મગફળીની સિઝન હોવાને કારણે ખેડૂતો પ્રમાણમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે, તેમજ દરેક મિલની અંદર પણ મગફળીની ખૂબ જ સારી આવક થતાની સાથે સીંગતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, આ અગાઉ પણ સિંગતેલના ભાવમાં અનુક્રમે 70 રૂપિયા, 120 રૂપિયા, 140 અને 170 રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે..
અને અત્યારે વધી એક વાર 125 રૂપિયા જેટલો ઘટાડો નોંધાતા સીંગતેલના નવા ડબ્બાનો ભાવ 2600 થી 2700 રૂપિયા સુધી પહોંચી ગયો છે, આ નોંધપાત્ર ભાવ ઘટાડાને લઈને દરેક ગૃહિણીઓમાં ખુશીનો માહોલ દેખાઈ આવ્યો હતો કારણ કે, ઘર કેવી રીતે ચલાવવું તેની તમામ જવાબદારીઓ ઘરની મહિલાઓ ઉપર હોય છે..
રૂપિયા પ્રમાણે દરેક ચીજ વસ્તુઓનું મેનેજમેન્ટ કરવું અને દરેક વ્યક્તિઓની ઈચ્છાઓને પૂરી પાડવી વગેરે જેવી બાબતોનું ધ્યાન ઘરની મહિલાઓ રાખતી હોય છે, શાકભાજી, દૂધ તેમજ તેલ સહિતના દરેક ચીજ વસ્તુઓના ભાવમાં દેવનું પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પરંતુ સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાતા અત્યારે મધ્યમ વર્ગીય લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં સિંગતેલની ખરીદી કરવા લાગ્યા છે..
હજુ પણ આવનારા દિવસોમાં ભાવ નીચલી સપાટીએ પહોંચવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, સિંગતેલના મોટા મોટા વેપારીઓનું કહેવું છે કે આવનારા બે મહિનાની અંદર હજુ પણ 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી શકે છે, સિંગતેલના ભાવના તમામ પ્રકારનો આધાર મગફળીના પાકની આવક ઉપર રહેલો છે..
જો આવક ખૂબ જ સારી થશે તો ભાવ એકંદરે ઘટતા રહેશે અને પરંતુ જુઓ આવક ઓછી થશે તો ભાવમાં વધારો પણ નોંધાઈ શકે છે. મોટાભાગે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં મગફળીની ખૂબ જ મોટી આવક થઈ રહી છે, માર્કેટ યાર્ડના વેપારીઓની સાથે ડાયરેક્ટ સંપર્કમાં રહીને મોટી મોટી રિફાઇનરીઓના માલિકો મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરી રહ્યા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે..
જેના થકી આવનારા દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવમાં ખૂબ જ મોટા કડાકા નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, અત્યારે સિંગતેલની સાથે સાથે કપાસિયા અને સનફ્લાવર તેલમાં પણ થોડો ઘટાડો નોધાયો છે, પરતું સૌથી મોટો ભાવ ઘટાડો સિંગતેલમાં નોધાયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]