આજકાલ જમાનો ખુબ જ ખરાબ થઈ રહ્યો છે. લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટેની વિચારી રહ્યા હોય છે. પોતે કઈ રીતે ધનવાન બની શકાઈ તે જ વિચારવા માં ઓઈતાનું જ નુકશાન કરી બેસતા હોય છે. પોતાના સ્વાર્થ માટે જીવતા લોકો ઘણીવાર અન્ય લોકોને પણ આર્થિક તેમજ માનસિક રીતે નુકસાન પહોંચાડતા હોય છે. આવા લોકોના કારણે ઘણીવારઅન્ય લોકોને રોવાનો વારો આવતો હોય છે.
આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. સુભાષનગર કોલોની માં 47 નંબર ના મકાનમાં રહેતા મોહનભાઈ વિસ્તારના ખૂબ જ અમીર લોકોમાંના એક છે. તેઓ તે વિસ્તારના નામચીન બિલ્ડર છે. જેમણે આસપાસ ના વિસ્તારમાં ઘણા બાંધકામો કર્યા છે. જેમાંથી તેઓ અઢળક પૈસા કમાયા હતા. તેમનો પરિવાર સુખ અને શાંતિ હતી પોતાનું જીવન ગુજારતો હતો.
મોહનભાઈ તેમના ભાઈ વિશાલ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના ઘર માં કુલ દસ સભ્યો રહે છે. તેમના બે દીકરાઓ છે. જેમાં મોટા દીકરાનું નામ કમલેશ અને નાના દીકરાનુ નામ વિકાસ છે. મોહનભાઈનો નાનો દીકરો વિકાસ કોલેજ માં અભ્યાસ કરે છે. જ્યારે તેમનો મોટા દીકરાએ બે વર્ષ પહેલા પોતાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
કમલેશના પિતા પાસે ખૂબ જ સંપત્તિ હોવાના કારણે કમલેશ કંઈ પણ કામ કરતો ન હતો. તે આખો દિવસ મિત્ર સાથે રખડતો હતો. તેમજ જુગાર રમતો અને દારૂ પણ પીતો હતો. આ ઉપરાંત કમલેશને બીજી પણ ઘણી ખરાબ આદતો હતી. આ બાબતની જાણ મોહનભાઈને થતા ઘણીવાર તેણે તેમને ઠપકો આપ્યો હતો. એકવાર તો માર પણ માર્યો હતો. પરંતુ કમલેશ સમજવા માટે તૈયાર નહોતો.
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આવામાં મોહનભાઈના મોટા દીકરા કમલેશે પૈસા ની લાલચમાં આવીને જુગારમાં ખૂબ જ મોટું નુકસાન કર્યું હતું. તેણે પોતાના પિતાની પણ તમામ સંપત્તિઓ દાવો પર લગાડી દીધી હતી. જુગાર હાર્યા બાદ તે કોઈને પણ મોઢું બતાવો ને લાયક રહ્યો ન હતો. તેને ૩-૪ દિવસો સુધી પોતાના ઘરે પણ આ વાત છુપાવી હતી.
પરંતુ સત્ય આજ નહિ તો કાલે સામે આવી જ જતું હોય છે. કમલેશ ના પિતા ને કોઈ અન્ય વય્ક્તિ દ્વારા આ ઘટના વિષે જાણ થઇ. આ બાબત વિષે જાણ થતા મોહનભાઈ એ કમલેશને તેની આ ભૂલ બદલ ન્ખુબ જ માર્યો હતો. પરંતુ તેનાથી તેમની સંપતિ પરત આવું શકે નહિ. મોહનભાઈ નો આખો પરિવાર મોટા દીકરા ની આ ભૂલ ને કારણે બેઘર થઇ ગયો હતો.
આ ઉપરાંત પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તેને ઘણા લોકો પાસે થી પૈસા પણ ઉધાર લીધેલા હતા. પિતાની તમામ સંપત્તિઓ જુગારમાં ગુમાવ્યા બાદ હવે લોકોને ઉધાર લીધેલા પૈસા આપવા માટે તેની પાસે કઈ હતું નહીં. જેથી તેણે ઉઠાવણ કર્યું હતું. કમલેશના આ ખરાબ ચરિત્ર અને બેદરકારીને કારણે અન્ય લોકોને પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.
દિવાળી નો તહેવાર નજીક આવી રહ્યો છે. આવામાં કમલેશે જે લોકો ના પૈસા ઉધાર લઇ ને પરત ચૂકવ્યા નથી. તે એ લોકોને પણ ભારે મુશ્કેલ ભોગવવાનો વારો આવ્યો છે. પોતાના સ્વાર્થ માટે પોતાના પિતાની તમામ સંપત્તિ દાવ પર ચડાવી હતી. હવે તેમના પરિવારને અફસોસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]