ઘર ચલાવવાની મોટાભાગની જવાબદારી ઘરની મહિલાઓ પર રહેલી હોય છે કારણ કે, ઘરની અંદર દરેક વસ્તુઓને વસાવી તેમજ દરેક બાબતોનો ધ્યાન રાખવા સુધીની જવાબદારીઓ ઘરની મહિલાઓ ઉપાડે છે, એવામાં પણ હવે વધતી જતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવાર માટે જીવન જીવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે..
રોજબરોજ જુદી-જુદી ચીજ વસ્તુઓના ભાવમાં ખૂબ જ વધારે વધારો નોંધાય રહ્યો છે, જેના કારણે દરેક લોકો મુશ્કેલીની અંદર મુકાઈ ગયા છે. પરંતુ અત્યારે વધુ એક સારા સમાચાર સામે આવી ગયા છે, દિવાળીનો સમય જેમ જેમ નજીક આવવા લાગ્યો છે, તેમ તેમ સિંગતેલના ડબ્બાના ભાવની અંદર ખૂબ જ વધારે ઘટાડો નોંધાયો છે..
આ મોટા ઘટાડાને લઈને તેલના ડબ્બાના તાજા ભાવ ખૂબ જ નીચા આવી ગયા છે, આ ભાવ પોતાની સાથે જ લોકોએ કરિયાણાની દુકાન ઉપર સીંગતેલના ડબ્બા ખરીદવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી, અત્યારે મગફળીની સિઝન ચાલતી હોવાને કારણે દરેક રિફાઇનરીઓની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં મગફળીનો પાક આવી રહ્યો છે..
જેના કારણે સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, એક સમયે સીંગતેલનો આ ડબ્બો 3000 રૂપિયા વટાવી ગયો હતો, પરંતુ અત્યારે મગફળીના પાકનો મબલક ઉત્પાદનને કારણે સિંગતેલના ભાવમાં દર અઠવાડિયા 50 થી 70 રૂપિયાનો ઘટાડો નોંધાતાની સાથે જ કુલ બે થી અઢી મહિનાની અંદર-અંદર કુલ 500 થી 600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે..
અને અત્યારે સિંગતેલના ભાવ સૌથી તળિયાના ભાવે પહોંચી ગયા છે, અત્યારે સીંગતેલના નવા ભાવ 2500 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલો ઓછો ભાવ નાગરિકોએ ક્યારે પણ જોયો નથી, ભાવ કરતાની સાથે જ મોટાભાગના લોકો દિવાળીના આ સમયે ઘરે ખાદ્ય પદાર્થો બનાવવા માટે વધારે પ્રમાણમાં તેલની ખરીદી કરી રહ્યા છે..
આવું પણ સમગ્ર વર્ષ દરમિયાન વપરાશમાં આવતું સીંગતેલ અત્યારે જ ખરીદવાનો વિચાર કરી રહ્યા છે, માર્કેટ યાર્ડના મોટા મોટા અધિકારીઓ તેમજ રિફાઈનરીઓના માલિકનું કહેવું છે કે, હજુ પણ સિંગતેલના ભાવની અંદર ઘટાડો નોંધાવાની શક્યતા રહેલી છે. કારણ કે જેમ જેમ પાકનું ઉત્પાદન વધી રહ્યું છે અને વેચાણ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં થઈને મગફળી રિફાઈનરી સુધી ખૂબ જ સસ્તા ભાવે પહોંચી રહી છે..
એટલા માટે સીંગતેલ પણ દરેક લોકોને ખૂબ જ સસ્તા ભાવે આવનારા સમયમાં મળી શકે છે, તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આટલા ઓછા ભાવ જોતાની સાથે જ ગ્રુહીણીઓ ખુશ થઈ ચૂકી હતી કારણ કે, દિવાળીના સમયની અંદર ફરસાણની ઘણી બધી ચીજ વસ્તુઓ ગૃહિણીઓ પોતાના ઘરે બનાવીને પરિવારને પૂરેપૂરા ભાવથી ખવડાવતી હોય છે..
પરંતુ એવા સમયે જો સીંગતેલના ભાવ ખૂબ જ વધારે હોય તો કોઈ પણ પરિવાર ઘરે કોઈ ચીજ વસ્તુ બનાવતા પહેલા બે વખત વિચાર કરતા હોય છે, પરંતુ અત્યારે ભાવ ઓછો હોવાને કારણે દરેક લોકો એ રાહતનો શ્વાસ લીધો છે. બે મહિનામાં એકંદરે 2900 થી 2750 સુધીનો એક ઘટાડો અને ત્યારબાદ 2750 થી 2600 તેમજ 2600 થી 2550 અને 2550 થી 2400 રૂપિયા સુધીનો પણ ઘટાડો નોંધાયો છે..
અને અત્યારે ભાવ 2500 રૂપિયા સ્થિર થયો હોવાની માહિતી મળી આવી છે. સીંગતેલના ડબ્બાના ભાવની સાથે સાથે સૂર્યમુખી તને કપાસિયા તેલના ભાવમાં પણ નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મોટાભાગે સીંગતેલ ને ખાદ્ય પદાર્થો તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે..
સિંગતેલનો ભાવ માં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે, એટલા માટે તેનામાંથી બનતી ઘણી બધી ચીજ વસ્તુઓ જેવી કે ફરસાણ અને નાસ્તા તેમજ ગૃહ ઉધોગમાં બનતી વસ્તુઓના ભાવ પણ ઘટશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]