રાજ્યમાં રોડ અકસ્માતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વાહન ચલાવતી વખતે એક નાની એવી ભૂલ ઘણા માણસોનું જીવ લઇ લેતી હોય છે. મધ્યપ્રદેશ રાજ્યના રિવા જિલ્લા પાસેથી પસાર થતી એક બસનું અકસ્માત થતા એક સાથે 15 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બસમાં સવાર અન્ય 35 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
હાલમાં દિવાળીનો સમય હોવાથી કામ અર્થે પોતાના વતનથી દૂર ગયેલા લોકો હવે ઘર ઘરે પરત ફરી રહ્યા હોય છે. આવામાં હૈદરાબાદના અનેક શ્રમિકો પોતાના વતન પ્રયાગરાજ જવા માટે બસમાં નીકળ્યા હતા. પરંતુ રિવા જિલ્લા પાસે પહોંચતાની સાથે જ બસ નો ગંભીર અકસ્માત થયો હતો. જેથી જીવલેણ દુર્ઘટના સર્જાય છે.
રીવા પાસે આવેલા નેશનલ હાઈવે-30 પર આ ભયાનક બસ અકસ્માત સર્જાયો છે. સોહાગી ટેકરી પરથી ઉતરતી વખતે બસ, તેની આગળ જઈ રહેલા ટ્રેલરમાં જઈને અથડાઈ હતી. આ અકસ્માતની જાણ થતાં સોહાગી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તેમજ બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા.
આ ઉપરાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત લગભગ રાત્રે 12 વાગ્યા આજુબાજુ બન્યો છે. પોલીસના કહેવા પ્રમાણે બસ ચલાવતી વખતે ડ્રાઇવર બસ પરથી પોતાનો સંતુલન ગુમાવી બેઠો હોવાને કારણે આ અકસ્માત બન્યો છે.
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે બસના કેબિનમાં ૪-૫ લોકો ફસાયા હતા. જેને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ પોલોસે જણાવ્બયું છે કે આ બસ હૈદરાબાદ થી પ્રયાગરાજ જતી હતી. તેમજ તેમાં મોટાભાગના શ્રમિકો હતા, જે દિવાળી મનાવવા માટે પોતાના વતન પાછા ફરી રહ્યા હતા.
પરંતુ આ બસ દુર્ઘટના ને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર પરિસ્થિતિમાં જિલ્લા સરકાર દ્વારા સોહાગી ટેકરીમાં બનેલા આ અકસ્માતમાં ભોગ બનેલા લોકોનો બચાવ કાર્ય પૂરેપૂરા જોશમાં શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બસ ને રસ્તા પરથી હટાવવા માટે RTO મનીષ ત્રિપાઠી એ ક્રેનની મદદ લીધી છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ મૃતકોના પરિવારજનોને આ અકસ્માત અંગે જાણ કરવમાં આવી છે. દિવાળી જેવા શુભ તહેવાર પર પોતાના સ્વજનોના મૃત્યુ ને કારણે મૃતકોના પરિવારજનોમાં શોક નો માહોલ છવાઇ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]