પરિવારના મોભી ઉપર મોટાભાગે પરિવારને છે. કારણ કે પરિવારના મોભી વ્યક્તિ જે પણ રૂપિયા કમાયેલા આવે છે. તે રૂપિયાથી પરિવાર અને ઘરસંસાર ચાલતું હોય છે. અત્યારે એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. ત્યારે સમગ્ર પરિવારની ખૂબ જ દયનીય હાલત થવા પામી છે. આ ઘટના રાજસ્થાનના અલવરની છે.
અહીં ઉદ્યોગ નગર વિસ્તાર પાસે આવેલા દેશોના ગામ નજીક એક ભયંકર અકસ્માતનો બનાવ બની ગયો છે. અકસ્માતમાં 52 વર્ષના પ્યારે લાલ નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પ્યારેલાલ છેલ્લા ઘણા વર્ષોથી આસપાસના વિસ્તારોમાં છૂટક મજૂરી કામ કરીને જે પૈસા કમાય તે પૈસાથી પરિવારનું ગુજરાન ચલાવતા હતા..
પરિવારમાં તેમને બે સંતાન હતા. પરંતુ બંનેમાંથી કોઈ પણ સંતાન કામ ધંધે ન જતા હતા. અને ઘરે બેસીને જ પિતાની કમાણી ઉપર મોજશોખ કરતા હતા. પ્યારેલાલ દિવસ રાત કાળી મજૂરી કરીને પરિવાર ચલાવતા હતા. પરંતુ અત્યારે એક અકસ્માતમાં તેમનું મૃત્યુ તથા સમગ્ર પરિવાર હિબકે ચડ્યો છે..
તેઓ રાતના સમયે મજૂરી કરીને પોતાના ઘરે પરત આવતા હતા. ત્યારે પાછળ એક ટ્રકે તેમને અડફેટે લઈ લીધા હતા અને દૂર ફંગોળી ફેંકી દીધા હતા. જમીન ઉપર નીચે પડતાની સાથે જ તેમને માથાના ભાગે એટલી બધી ગંભીર ઈજા પહોંચી ગઈ કે, ઘટના સ્થળે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. હાઈવે પરથી પસાર થતા અન્ય વ્યક્તિઓએ પોતાના વાહનો તોપાવીને આ વ્યક્તિને દવાખાને લઈ જવાની મદદ કરી હતી..
પરંતુ દવાખાને પહોંચે એ પહેલા તો પ્યારે લાલ નામના 52 વર્ષના વ્યક્તિએ જીવ ગુમાવી દીધો હતો. ઘટનાના સમાચાર દવાખાનેથી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક વ્યક્તિની લાશનો કબજો લીધો છે અને જરૂરી તપાસ પણ ચલાવી દીધી.
આ વ્યક્તિને અડફેટ લગાવવાની સાથે જ ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. તેને પકડવાની પણ ઘણા બધા લોકોએ કોશિશ કરી પરંતુ તે કોઈપણ વ્યક્તિને પકડમાં આવ્યો નહીં અને પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યો હતો. આ ટ્રક ના નંબર પ્લેટ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે..
એને ટ્રકનો માલિક કોણ છે. તેની જાણકારી મેળવી રહી છે. અત્યારે આ વ્યક્તિને મૃત્યુનો દુઃખ પરિવારના સૌ કોઈ સભ્યોને છે. કારણ કે આ વ્યક્તિ જ પૈસા કમાઈને પરિવારજનોને સાચવતા હતા અને હવે એ જ વ્યક્તિનું મૃત્યુ થઈ જતા પરિવાર ખાલીખમ થઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]