ડગલેને પગલે ઘણા બધા લોકોના મોત થઈ રહ્યા છે. લોકોએ ક્યારેય વિચાર્યું ન હોય તેવું અચાનક બની જતા તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં પણ આવી જ એક અણધારી ઘટના બે દીકરા સાથે બની છે. રાજસ્થાનના અલવર જિલ્લાના કેમલા ગામમાં રહેતા પરિવારના દીકરા પરિવારથી દૂર થયા છે. ગામમાં બે ભાઈઓ પોતાના પરિવાર સાથે રહે છે.
બંને સગા ભાઈઓ તેમની પત્ની અને બાળકો સાથે રહે છે, જેમાં એક ભાઈનું નામ ગણેશ કુમાર અને બીજા ભાઈનું નામ વિનોદકુમાર છે. ગણેશ કુમાર પોતાની પત્ની અને તેમના ત્રણ બાળકો રહે છે. ગણેશ કુમાર વિનોદકુમાર કરતા નાના ભાઈ છે. વિનોદ કુમારને સંતાનમાં બે દીકરા છે. જેમાં બંને ભાઈઓના બાળકો હળીમળીને સાથે રમવા માટે જતા હતા.
બંને ભાઈઓને ખૂબ જ સારું એવું બનતું હતું. જેના કારણે બંનેના પરિવારના લોકો ખૂબ જ હળી મળીને રહેતા હતા. ગણેશ કુમારનો દીકરો સાગર તેમની ઉંમર 15 વર્ષની હતી અને વિનોદ કુમારનો દીકરો નીતિન તેમની ઉંમર 16 વર્ષની હતી. બંને સરખી ઉંમરના હોવાને કારણે સાથે રમવા અને શાળાએ જતા હતા.
સાગર ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો અને નીતિન ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. બંને ગામની શાળાએ અભ્યાસ કરવા માટે જતા હતા. સાગર અને નીતિન બંને તેમના પિતાને મજૂરી કામ કરીને મદદ કરતા હતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મદદ કરતા હતા. બંને દીકરા ખૂબ જ હોશિયાર હતા.
જેના કારણે તેમના પરિવારના લોકો બંને દીકરાને ભણાવવા ઇચ્છતા હતા. એક દિવસ સાગર અને નીતિન ગામમાં રમવા માટે નીકળ્યા ત્યારે તેઓ ગામમાં આવેલા સ્મશાન પાસે ગયા હતા. સ્મશાનમાં તેઓ પ્રવેશ્યા હતા અને સ્મશાન પાસે રહેલી પાણી પુરવઠાની પાણીની ટાંકી પાસે તેઓ જવા લાગ્યા હતા.
બંને પિતરાઈ ભાઈઓ વાતો કરતા કરતા સ્મશાનજીક પહોંચી ગયા હતા. પરંતુ તેઓને ખબર રહી ન હતી અને પુરવઠા વિભાગની પાણીની ટાંકીમાં કેટલું પાણી છે તેમ જોઈને તેઓ નાહવાનું વિચારી રહ્યા હતા. બંને ભાઈઓએ પોતાના કપડા કાઢીને પાણીની ટાંકીના કિનારે મૂકી દીધા હતા અને પાણીની ટાંકીમાં નાહવા માટે પડ્યા હતા.
જેમાં સાગર સૌથી પહેલા નાહવા માટે પડ્યો હતો. બપોરના બે વાગ્યાનો સમય હતો. ત્યારે સાગર પાણીમાં નાહવા માટે પડ્યો હતો અને નીચે ઉતર્યો હતો પરંતુ પાણીની ટાંકીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી હોવાને કારણે તે ડૂબવા લાગ્યો હતો અને તે બહાર આવી શક્યો નહીં. જેના કારણે બહાર ઉભેલા નીતિનને બચાવવા માટે તે બૂમો પાડી રહ્યો હતો.
નીતિન પોતાના પિતરાઈ ભાઈને બચાવવા માટે પાણીની ટાંકીમાં નીચે ઉતર્યો હતો અને તે સાગરને બચાવે તે પહેલા જ તે પણ પાણીમાં પડી ગયો હતો. જેના કારણે બંને પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને બહાર નીકળી શક્યા નહીં. અચાનક જ તે બંનેના ડૂબી જવાને કારણે મૃત્યુ થઈ ગયા હતા. બંને પિતરાઈ ભાઈઓના પરિવારના લોકો તેઓ ઘરે ન આવતા શોધી રહ્યા હતા.
બંને ભાઈઓ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. તેમના દીકરા સાથે રમવા ગયા હતા પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં તેઓ પરત આવ્યા નહીં. મોડી સાંજ થઈ ગઈ હતી. છતાં પણ ગામમાં દરેક જગ્યાએ તેમને શોધવામાં આવ્યા હતા. તે સમયે સ્મશાન નજીકથી બંનેના કપડા મળી આવ્યા હતા.
અને તે સમયે ગામના લોકો એક સાથે ભેગા થઈને સ્મશાન પાસે જઈને પાણી વિભાગની આવેલી ટાંકીમાં જોયું તો બંનેના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. આ જોતા જ ગામના લોકોને ના હોશ ઉડી ગયા હતા અને સાંજનો સમય થઈ ગયો હોવાને કારણે બંનેના મૃતદેહ મળી આવતા લોકો ડરી ગયા હતા. પરિવારના લોકોને તેમના દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ તેઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા.
પાંચ કલાક પછી બંનેના મૃતદેહને પાણીની ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. માતા પિતા અને બંનેના ભાઈ બહેન ખૂબ જ રડતા હતા. બે પિતરાઈ ભાઈઓના મોતને કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગામના લોકો આ મોતનું કારણ પરિવાર પાણી પુરવઠાના વિભાગના બેદરકારીને ગણાવી રહ્યા છે.
પુરવઠા વિભાગ પર પાણીની ટાંકી ખુલ્લી છોડીને કોઈપણ ચેતવણી બોર્ડ ન હોવાનો આક્ષેપ ગામના લોકોએ કર્યો હતો. જેના કારણે ગામના લોકો પરિવારજનોને વળતર મળે તેની માંગણી કરી રહ્યા હતા. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે અને એક સાથે પરિવારના લોકોના મૃત્યુ થઈ જતા પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]