ભારતમાં કોરોના ના કેસો ધીમે ધીમે પાછા વધવા લાગ્યા છે. કોરોના ની બીજી લહેર શાંત પડયા બાદ થોડાક દિવસ તો એવું લાગ્યું કે કોરોના થતો જ રહ્યો છે. પરંતુ અચાનક જ કોરોના ના કેસમાં રાફડો ફાટી નીકળ્યો છે. અત્યારે દિવાળી નો મોટો તહેવાર આવી રહ્યો છે તેમજ કોરોનાના કેસો સતત વધતા તમિલનાડુની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે..
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિ સ્ટલીને કોરાનાને લઈને એક બેઠક બોલાવી હતી ત્યારબાદ તેઓ 1 નવેમ્બરથી ૧૫ દિવસ માટે લોકડાઉનને વધારી દીધું છે. તેમજ તમિલનાડુ રાજ્યમાં કોરાના ના આકરા સમય વચ્ચે તહેવારો અને રાજકીય મેળા ઉપર કડક પ્રતિબંધ મૂકી દીધો છે.
તમિલનાડુ રાજ્યમાં કોરોના ના કેસો વધી રહ્યા છે. તેથી તેઓને ત્રીજી શહેરનો ભય સતાવવા લાગ્યો છે. તમિલનાડુ સરકારે તકેદારીના ભાગરૂપે ગણેશ ચતુર્થીના વિસર્જન યાત્રા તેમજ આગમન યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમજ સરકારે જણાવ્યું હતું કે ગણેશજીની મૂર્તિ અને દરિયાકિનારે વિસર્જન કરવાની છૂટ છે.
પરંતુ વિસર્જન યાત્રા કાઢવા પર પ્રતિબંધ હતો. તમિલનાડુ સરકારે વધુમાં 1 નવેમ્બરથી સો ટકા દર્શકો સાથે સિનેમાહોલ ખોલવાની અનુમતિ આપી દીધી છે જ્યારે રાજ્યમાં 15 દિવસનો લોકડાઉન જીકી કીધું છે. સાથે જ કોરોનાના નિયમોમાં પણ થોડી ઘણી કડકાઈ મૂકી દીધી છે.
ઇન્ડોર અને આઉટડોર ગેમિંગ તેમજ સ્વિમિંગ પુલની પણ અનુમતિ દીધી છે. શનિવારે તમિલનાડુમાં 1000 ઉપર કોરોના નવા કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૫થી વધારે લોકોના કોરોના ને લીધે મોત થયા છે. તેમજ તમિલનાડુ રાજ્યમાં કોરોના ને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૩૬ હજારની વધી ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]