ઘણીવાર ખૂબ જ નાની એવી ભૂલના કારણે ખૂબ જ મોટો બનાવ બની જતો હોય છે. ઇન્દોર શહેરના બાણગંગા વિસ્તારમાં ગઈકાલે સવારે થયેલા એક હાદસામાં એક જ પરિવારના છ લોકો ઘાયલ થઈ ગયા છે. એક નાની એવી ભૂલના કારણે આ પરિવારને ખુબ જ મોટી કિંમત ચૂકવવ નો વારો આવી ગયો છે.
ઇન્દોર શહેરના બાણગંગા વિસ્તારમાં મુખરજી નગર માં રામચંદ્ર તેના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેની ૫૦ વર્ષીય પત્ની સીતા તેનો 32 વર્ષીય પુત્ર સચિન તેમજ 28 વર્ષીય પુત્રવધુ ચંચલ રહેતા હતા. આ ઉપરાંત સચિન અને ચંચલ ને એક 14 વર્ષની દીકરી પારુલ અને એક નવજાત જન્મેલી 2 મહિનાની દીકરી દિપ્તી પણ હતી.
રામચંદ્રની પત્ની સીતા ગઈકાલે સવારે પરિવાર માટે ચા બનાવી રહી હતી. સીતાએ ચા બનાવી લીધા બાદ તેણે ગેસ સરખી રીતે બંધ કર્યો નહોતો. આ બાબતથી તે અજાણ હતી. થોડા સમય બાદ આ ગેસ આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. જેથી જ્યારે રામચંદ્રની પત્ની સીતાએ અગરબત્તી કરવા માટે દીવાસળી સળગાવી ત્યારે આખા જ ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી.
સવાર નો સમય હોવાના કરને ઘરના તમમાં સભ્યો ઘરે હાજર હતા. ઉપરાંત તેઓ ભંગાર નું ખરીદ-વેચાણ કરતા હતા. જેથી તેઓના ઘરમાં ઘણો પ્લાસ્ટિકનો સામાન પણ રાખેલો હતો. ઘરમાં આગ લાગવાની સાથે તે તમામ સામાન પણ ધડાકેભેર સળગી ઉઠ્યો હતો. જેથી આખો જ પરિવાર ઘરમાં ફસાયો ગયો હતો.
આ ઉપરાંત ઘર ના કોઈ પણ ખૂણે થી બહાર જઈ શક્ય એવો માર્ગ બચ્યો ન હતો. આગની જાણ આસપાસના લોકોને થતા તેઓ તરત જ દોડી આવ્યા હતા. તેમજ ફાયર બ્રિગેડને ફોન કરીને આગ વિશે જાણ કરી હતી. આ ઉપરાંત એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પરિવારના તમામ સભ્યોને જીવતા બહાર કઢાયા હતા.
પરંતુ રામચંદ્ર અને સીતા સહિત પરિવારના તમામ સભ્યોની હાલત ખૂબ જ ગંભીર હતી. જેથી તેમને તરત જ ઈન્દોરની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખરજી નગરના આ ઘરમાં લાગેલી આગની જાણ ઇન્દોર પોલીસને થતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. રામચંદ્રના પરિવારજનોનેઆ બાબત ની જાણ થતા તેઓ રામચંદ્ર તેમજ અન્ય ઘાયલ લોકો ની ખબર જાણવા માતે હોસ્પિટલ પોહચ્યા હતા
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]