હાલમાં તહેવારો ચાલુ થયા છે, લોકો તહેવારો હળીમળીને ખૂબ જ ખુશીથી મનાવી રહ્યા હોય છે. તહેવારોમાં લોકો મીઠાઈઓ અને ફરસાણ ખરીદે છે, જેમાં હાલમાં દિવાળીનો તહેવાર હોવાને કારણે લોકો અવનવી મીઠાઈઓ ખરીદે છે, જેને કારણે મીઠાઈની દુકાનોમાં લોકોની લાંબી લાઈનો જોવા મળે છે.
મીઠાઈવાળા અનેક નવી નવી જાતની મીઠાઈઓ બનાવી રહ્યા હોય છે પરંતુ તેઓ હાલમાં પોતાનો ફાયદો કરવા માટે તેમાં ઘણી બધી ભેળસેળ પણ કરી રહ્યા છે. જેને કારણે લોકો મીઠાઈ ખાતા જ બીમારીઓના ભોગ બની રહ્યા છે. મીઠાઈના દુકાનદારો બીજા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં ન રાખીને પોતાના ફાયદા માટે ખરાબ અને હલકી વસ્તુઓ વાપરીને મીઠાઈ બનાવી રહ્યા છે.
જેને કારણે તહેવારોની સિઝનમાં લોકો અનેક બીમારીઓના ભોગ બની રહ્યા છે, ઘણા બધા મીઠાઈવાળા લોકોના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે પરંતુ અમુક લોકો આવી ઘટનાઓ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરતા જોવા મળી રહ્યા છે. જેને કારણે ફૂડ વિભાગે હાલમાં મીઠાઈની દુકાનોમાં ચેકિંગ ચાલુ કર્યું હતું.
જેમાં એક વિસ્તારમાંથી 40 ક્વિન્ટલ જેટલો બગડી ગયેલો માવો ઝડપી પાડવામાં આવ્યો હતો. અનેક વિસ્તારોમાં આ સદી ગયેલો માવો પહોંચાડવામાં આવતો હતો. માવામાંથી બનતી મીઠાઈ લોકો ખરીદતા હતા. આ માવો એક ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને માવાનો જથ્થો 40 ક્વિન્ટલ જેટલો હતો.
ફુડ વિભાગના કર્મચારીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ ચાર લોકોનું કહેવું હતું કે તે શહજાદ નામના વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરતા હતા. શહજાદ ઘણા સમયથી પાવડરમાંથી ભેળસેળ વાળો માવો તૈયાર કરતો હતો અને તે લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરતો હતો.
આ ભેળસેળ વાળો માવો અનેક વિસ્તારોમાં મીઠાઈની દુકાનોમાં પહોંચાડવામાં આવતો હતો. માવો લીસાડીગેટ, કોતવાલી, દિલ્હી રોડ, હાપુર રોડ, દેહલીગેટ જેવા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતો હતો અને મેરઠમાંથી ફુડ વિભાગે મોટી માત્રામાં ભેળવાળો માવો પકડી પાડ્યો હતો. આમ આવો એક ટ્રકમાં લઈ જવામાં આવતો હતો.
જેના કારણે બજારમાં નકલી માવાનું ઉપયોગ કરીને મીઠાઈ બનાવતી દુકાનોમાં માવાનો ઉપયોગ ન કરવા માટે આદેશો આપી દેવામાં આવ્યા હતા અને ફૂડ વિભાગએ માવાના સેમ્પલ લઈ જઈને દરેક માવાનો નાશ કરવામાં આવ્યો હતો. માવામાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવે આવતી હતી છતાં પણ લોકો આ ખરાબ માવો ઓછા પૈસા ખરીદી રહ્યા હતા.
અને તેમાંથી મીઠાઈ બનાવીને લોકોને સારી ગુણવત્તાની મીઠાઈ છે તેમ ગણાવીને વધુ પૈસામાં વેચી રહ્યા હતા. મીઠાઈના વેપારીઓનું કહેવું હતું કે 4000 કિલો માવો પકડાયો ન હતો તેમાંથી 8000 કિલો બરફી બની હોય અને અન્ય મીઠાઈ 20,000 કિલો બની હોય તેનો અંદાજ લાગ્યો હતો આવી ઘટના બનતા લોકો બીમારીના ભોગ બની રહ્યા છે.
તેમાંથી ક્યારેક લોકો સાથે જીવલેણ ઘટનાઓ પણ બની જાય છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં માવો પહોંચાડતા દરેક યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા અને દરેક જગ્યાએ દરોડા પાડીને મીઠાઈના જથ્થાના સેમ્પલ લઈને ખરાબ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
હાલમાં તહેવારો રહેતા લોકો આવી ઘટનાઓ કરી રહ્યા છે. દિવાળી આવતા જ બજારોમાં મીઠાઈની દુકાનોમા છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ બની રહી છે, જેને કારણે દરેક ગ્રાહકોએ મીઠાઇ ખરીદતા પહેલા ચોકીને રહેવું જોઈએ. દરેક નાગરીકો પોતાના સ્વાસ્થ્યનું હમેશા ધ્યાન રાખવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]