દરેક માતા પિતા તેમના દીકરા કે દીકરીઓને સારા સંસ્કાર અને ખૂબ જ સારી બાબતો શીખવે છે. જેથી કરીને આગળના સમયમાં તેમના દીકરા અને દીકરીઓ ભણી ગણીને ખૂબ જ હોશિયાર બને પોતાના દેશ તેમજ સમાજનું નામ રોશન કરે પરંતુ કેટલીક વાર બાળકો જેમ જેમ મોટા થતા જાય છે..
તેમ-તેમ તેઓ પોતાના સારા ભવિષ્યના માર્ગથી નીચે ઉતરીને આવડા રવાડે ચડી જતા હોય છે. એવા સમયે માતા પિતાએ તેમના બાળકોને ઠપકો આપવો પડે છે અને સારી શિખામણો પણ આપવી પડતી હોય છે. પરંતુ એ શિખામણો કેટલીક વખત અવળી સાબિત થાય છે..
અને દીકરા કે દીકરીઓ અવળું પગલું ભરી લેતા હોય છે. અત્યારે ધોરણ 12માં અભ્યાસ કરતો એક દીકરો એવા આવડા રવાડે ચડી ગયો છે. કે મા બાપની સાથે સાથે આખો પરિવાર પણ ખલાસ થઈ ગયો છે, આ ઉપરાંત આ દીકરાની જિંદગી પણ બરબાદ થઈ ગઈ છે. આ ઘટના આ પરડી ગામની છે..
આ ગામમાં રહેતા દેવાનંદભાઈ ની હાલત અત્યારે રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમને બે સંતાનો છે. જેમાં 17 વર્ષનો દીકરો પિયુષ અને 22 વર્ષની દીકરી રિનલનો સમાવેશ થાય છે. તેમનો 17 વર્ષનો દીકરો ત્યાં નજીકની જ હાઈસ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી ગામના કેટલાક લોચા લફંગા યુવકો સાથે તેની સંગત થઈ ગઈ હતી..
જ્યારે દેવાનંદભાઈ સુધી આ વાત પહોંચી ત્યારે તેઓએ તેમના દીકરાને આ લોકોથી દૂર રહેવા માટે જણાવ્યું હતું અને અભ્યાસમાં ધ્યાન આપવા માટે કહ્યું હતું. પરંતુ તેમનો દીકરો હાથમાંથી નીકળી ચૂક્યો હતો. તેણે એક વખત ઘરે શાળાએ ભરવા માટે 50,000 રૂપિયા ફી માંગી હતી. દેવાનંદભાઈએ તેમના પડોશના ઘરમાંથી પૈસા ઉછીના આપીને તેમના દીકરાને શાળાની ફી ભરવા માટે પૈસા આપી દીધા હતા..
પરંતુ પિયુશે આ પૈસાથી તેની શાળાની ફી ભરવાને બદલે તેના મિત્રો સાથે મળીને નશાકારક ચીજ વસ્તુઓનો ધંધો શરૂ કરી દીધો હતો. તેના તમામ મિત્રો આ પ્રકારના કાળા કામો સાથે જોડાયેલા હતા. જેમાં કોઈ વ્યક્તિ વ્યાજવટાનું કામ કરતા હતા તો કોઈ વ્યક્તિ દારૂ જીવી નશીલી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હતા..
જ્યારે પણ પિયુષને ખબર પડે કે તેના ઘરે તેના પિતા પૈસા લઈને આવ્યા છે. ત્યારે તે રાતના સમયે તેના ઘરેથી પૈસા ચોરી લેતો હતો અને તેના મિત્રોને જમા કરાવી દેતો હતો. દેવાનંદભાઈ તેના દીકરાને હાથ વગો રાખી શક્યા નહીં અને તે અત્યારે એટલો બધો આગળ વધી ગયો હતો કે, તેણે એક વ્યક્તિને મોતને ઘાટ પણ ઉતારી દીધો હતો..
જ્યારે પિયુષને મોતના મામલામાં પોલીસે શોધતી શોધતી તેના ઘર સુધી આવી પહોંચી ત્યારે દેવાનંદભાઈને આ તમામ બાબતોની હકીકત જાણવા મળી હતી. હવે તેમને ધરાઈ ધરાઈને પસ્તાવો થઈ રહ્યો છે. પરંતુ હવે તેઓ તેના આ કપાતર દીકરાને લઈને કશું પણ કરી શકે તેવી હાલતમાં નથી..
આ ઘટનાને લઈને પોલીસે તપાસ તો શરૂ કરી દીધી છે. પરંતુ આ મામલો દરેક માતા-પિતા માટે લાલબત્તી કિસ્સો સાબિત થયો છે. દરેક માતા પિતાએ તેમના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે જ્યાં સુધી બાળકમાં ઘર કેવી રીતે ચલાવી શકાય તેની સમજ ન આવે ત્યાં સુધી દરેક માતા પિતાએ તેના બાળકો ઉપર સતત ધ્યાન રાખીને જો તે અવળા રવાડે હોય તો તેને લાડ પ્રેમથી સમજાવી ભવિષ્યની રાહ તરફ વાળવો જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]