એક જ પરિવારમાં રહેતા લોકો સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર પરિવારમાં બનતા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે જોઈને દરેક લોકો હચમચી જાય છે. આવી જ એક પરિવાર સાથે બનેલી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના રાજનાંદગાંવ પાસે આવેલા કરમટારા ગામમાં રહેતા પરિવારમાં બની હતી.
પરિવારમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો રહેતા હતા. પતિનું નામ રોમનલાલ હેમનાથ શાહુ હતું અને તેમની ઉંમર 35 વર્ષની હતી. રોમનલાલની પત્નીનું નામ વિજયાબાઈ શાહુ હતું. તેમની ઉંમર 27 વર્ષની હતી. બંનેના લગ્ન ઘણા વર્ષો પહેલા થયા ત્યારબાદ બંને કમટારા ગામમાં પોતાનું ઘર વસાવીને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
તે બંનેને સંતાનમાં 2 બાળકો હતા. જેમાં એક દીકરો અને દીકરી હતા. દીકરાનું નામ પિયુષ રોમનલાલ શાહુ હતું. તેમની ઉંમર 2 વર્ષની અને દીકરીનું નામ કાવ્યા હતું. કાવ્યાની ઉંમર દોઢ વર્ષની હતી. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતું હતું પરંતુ એક દિવસ પરિવારનો દીકરો પિયુષ તેમના મિત્રો સાથે ઘરની બહાર રમી રહ્યો હતો.
ત્યારબાદ સાંજ થતા પીયુષ ઘરે આવ્યો નહીં જેના કારણે પરિવારના લોકોએ દીકરાને શોધવાનું ચાલુ કર્યું હતું. તે સમયે પિતા પોતાના ઘરની પાછળની બાજુએ જોવા ગયા હતા. તે સમયે તેમણે પાછળના ભાગમાં આવેલા કુવામાં જોયું તો એક બાળકનો મૃતદેહ તરી રહ્યો હતો. જેના કારણે તરત જ ગામના લોકોએ ભેગા થઈને દીકરાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
ત્યારે જોયું તો રોમનલાલનો પીયુષ જ હતો. આ જોઈને પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પરિવારના લોકો રડી રહ્યા હતા. તેમના એકના એક દીકરા સાથે આવી ઘટના બની જતા તેઓ આઘાત સહન કરી શકયા નહીં. જેના કારણે ગામના લોકો પોતાના ઘરે પરત જતા રહ્યા ત્યારે રોમનલાલે પોતાના બીજા ઘરે જઈને રૂમ બંધ કરીને લટકીને આપઘાત કરી લીધો હતો.
પોતાના દીકરાના મૃત્યુનો આઘાત સહન ન થતા તેમણે પોતાનો જીવ ગુમાવી લીધો હતો. ત્યારબાદ પરિવારના લોકોને મૃત્યુની જાણ તથા તેમની પત્ની અને દીકરી નિરાધાર બની ગયા હતા. રોમનલાલના મૃત્યુને વિજયાબાઈ સહન કરી શકી નહીં જેના કારણે તે દિવસે સાંજે વીજ્યાબાઇએ પોતાના ઘરની પાછળ આવેલા કુવામાં દીકરી સાથે કુદીને આપઘાત કરી લીધો હતો.
ત્યારબાદ ગામના લોકોએ પરિવારના લોકોને શોધ્યા હતા. ત્યારે અલગ અલગ જગ્યાએથી રોમનલાલ અને તેમની પત્ની વિજયાબાઈ અને દીકરી કાવ્યાનો મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે તરત જ લાલબાગ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. ગામમાં એક જ પરિવારે એક જ દિવસમાં પોતાના જીવ ગુમાવ્યા હોવાને કારણે ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ત્યારબાદ પોલીસ અલગ અલગ રીતે પોતાની તપાસ કરી રહી હતી. પોલીસની શંકા હતી કે પહેલા પતિએ પોતાની પત્ની અને બાળકીનો જીવ લીધો હશે ત્યારબાદ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી હતી. પરિવારની ખુશી ક્યારે દુઃખમાં ફેરવાઈ જાય તે કહી શકાતું નથી. આજકાલ આવા કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]