રોજબરોજ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં લોકો આજકાલ નાની-નાની વાતમાં ઝઘડાઓ કરી રહ્યા છે અને આવા ઝઘડાઓનો બદલો લેવા માટે બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના ભોજપુર જિલ્લાના આગિયાઓ બજારના ગામ વોર્ડ નંબર 3 માં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને દીકરાના ભાઈ-બહેન રહે છે. માતાનું નામ સંતોષી દેવી છે અને દીકરાના પિતાનું નામ ક્રિષ્ના પાસવાન છે. પરિવારમાં 3 બાળકો છે, જેમાં મોટો દીકરો નીતીશકુમાર અને તેનાથી નાની બહેન પૂજા દેવી છે.
અને સૌથી નાનો દીકરો રોહિત કુમાર તેમની ઉંમર 18 વર્ષની હતી. રોહિત કુમાર ઇન્ટરનો વિદ્યાર્થી હતો. તેને ભણવામાં ખૂબ જ રસ હોવાથી માતા-પિતા રોહિતને ભણાવી રહ્યા હતા અને તેમનો મોટો ભાઈ અને મોટી બહેન પણ નાના ભાઈને ખૂબ જ વહાલ કરતા હતા. રોહિત પરિવારનો લાડકો દીકરો હતો. એક દિવસ રોહિત સવારના સમયે ઘરની બહાર ગયો હતો.
રોહિતને કોઈ કામ હોવાને કારણે તે ઘરેથી બહાર જાય છે, તેમ તેમની માતા સંતોષી દેવીને જણાવ્યું હતું. ત્યારબાદ બપોરના સમયે રોહિતને તેના એક મિત્રએ આગયાઓ બજાર ચોકમાં જોયો પરંતુ રાત થતા પણ રોહિત ઘરે ન આવ્યો જેના લીધે તેમના પરિવારના લોકોને લાગ્યું કે તે કોઈ મિત્રના ઘરે ગયો હશે.
અને ત્યાં જમીને સુઈ ગયો હશે. રોહિતને સાંજે જમીને તરત જ નિયમિત સુઈ જવાની ટેવ હતી જેના કારણે તે ઘરે પણ જમીને તરત સમય થતાં સૂઈ જતો હતો. સવારે ઉઠ્યા ત્યારે પણ રોહિત ઘરે આવ્યો ન હતો. માતા-પિતા જાગીને તેમના રાબેતા મુજબ ખેતરમાં લણણીનું કામ કરવા માટે નીકળી ગયા હતા.
ત્યારબાદ તેઓ સાંજ થતા ઘરે પરત આવ્યા ત્યારે રસ્તામાં આવતી દેચના પુલ પાસે રજા જામુવા નહેરમાં એક યુવકનો મૃતદેહ તરતો દેખાઈ રહ્યો હતો. માતા-પિતાએ મૃતદેહને જોઈને ખૂબ જ ડરી ગયા તરત જ ગામના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા. ગામના લોકો ભેગા થઈને પીરો પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને જોતા જ ગામના લોકો ચોકી ગયા હતા. જે વ્યક્તિએ પ્રથમ વાર મૃતદેહ જોયો તેનો દીકરો રોહિત આવી હાલતમાં મળી આવતા માતા-પિતા આઘાતમાં ઢળી પડ્યા હતા. માતા-પિતાએ જ પોતાના દીકરાને પ્રથમવાર આ હાલતમાં જોયો હતો.
માતા-પિતાને શું ખબર હતી કે તેની દીકરા સાથે આવી કરુણ ઘટના બની ગઈ હશે. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો અને નહેરના કિનારેથી કોઈપણ અંતિમ નોટ કે કશું પણ મળ્યું ન હતું. જેના કારણે પોલીસ રોહિત સાથે શું બન્યું હોવાની તપાસ કરી રહી હતી.
પરિવારના દીકરાએ અચાનક તેમનો જીવ ગુમાવતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. પોલીસને ગામના લોકો પર શંકા હોવાને કારણે પોલીસ પૂછપરછ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. પરિવારના લોકો પણ ખૂબ જ રડી રહ્યા હતા. પરિવાર દીકરા સાથે આવું કોને કર્યું એમ વિચારીને રડી રહ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]