આજકાલ દારૂનો નશો કરનાર લોકો ભવિષ્યમાં તબાહ થઈ જતા હોય છે. એક વખત નશાના રવાડે ચડાવ્યા બાદ તેઓને અન્ય કોઈપણ બાબતમાં જીવ ખૂંચતો નથી. જેના પગલે તેઓનું દિવસેને દિવસે પતન જ થતું જાય છે. અન્ય નવા વિચારો પણ આવવાના બંધ થઈ જાય છે. સહેજ પણ નવરાશ મળે કે તેઓને દારૂનો નશો જ યાદ આવે છે…
પરિણામે તેઓની જિંદગી બરબાદ થઈ જાય છે. આવો જ એક કિસ્સો વિજાપુરના ગણેશપુરા વિસ્તારમાં બન્યો છે. આ વિસ્તારમાં આવેલા નવાવાસમાં મીનાબેન સુરેશભાઈ પટેલ તેના પતિ તેમનો પુત્ર વિવેક સુરેશભાઈ તેમજ તેની પત્ની નિશા સાથે વસવાટ કરે છે. આ ઘટનામાં વિવેકના માતા મીનાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે…
તેમનો દીકરો મીનાબેનને તેમજ તેના પિતાને અને તેની પત્ની નિશાને જાન થી મારી નાખવાની ધમકી આપે છે. રોજ તે દારૂનો નશો કરીને ઘરે આવે છે. અને ત્યારબાદ સોસાયટીમાં અને ઘરે નત નવીન ભવાડાવો શરૂ કરી દે છે. તે નશામાં ધૂત થઈને ઘરે આવીને કહે છે કે, તમે મને ખૂબ હેરાન કરો છો…
તમે મને દારૂ પીવાની ના પાડો છો.. બસ આ વાક્ય વારંવાર બોલીને તે અમારી સાથે માથાકૂટ કરે છે. અને અંતે અમને ત્રણેયને મારી નાખવાની ધમકી આપે છે. તેમજ તે સોસાયટીના અન્ય લોકોને પણ ખૂબ હેરાન ગતિ પહોંચાડે છે. મીનાબેન પોતાના પુત્રના આ આદતોને કારણે કંટાળી ગયા છે..
અને અંતે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તમે આ સાંભળીને કદાચ વિચારમાં પડી જશો કે કોઈ માતા પોતાના જ પુત્ર સામે કેવી રીતે ફરિયાદ નોંધાવી શકે.. પરંતુ આ બાબત બિલકુલ સત્ય છે, જો કોઈ પુત્ર ઘરના કોઇ સભ્ય ના કહ્યામાં ન રહે.. અને મનફાવે તેવું વર્તન કરે..
તો તેની સામે પણ કાયદેસરના પગલાં લેવા એક માતા તરીકેની ફરજ છે. જે મીનાબેને ખૂબ સારી રીતે નિભાવી છે. એક દિવસ વિવેક ફરીવાર દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો. અને તે પોતાના પરિવારને મારી નાખવાના મૂડમાં હતો. પરંતુ પરિવાર ખૂબ ડરી ગયો હતો. અને ચીસો કરવા લાગ્યો હતો…
પડોશમાંથી ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને તેમના કપાતર દીકરો પરિવારના અન્ય સભ્યો પર હુમલો કરે એ પહેલા તેને દબોચી લીધો હતો. અને પોલીસને હવાલે કરી દીધો હતો. અંતે પોલીસે મીનાબેનને ફરિયાદના આધારે તેમના દીકરા વિવેકની ધરપકડ કરી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]