અત્યારે સહેજ પણ દુખ આવી પડે કે, જે તે વ્યક્તિને સહનશક્તિ પૂર્ણ થઇ જવાને કારણે તેઓ આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે, અને પોતાની તમામ માયાજાળને સંકેલી લેતા હોય છે. અત્યારે મધ્યપ્રદેશ ખંડાવાના ગુમાડીયા રોડ પાસેથી અતિશયય ચોંકાવનારો એક બનાવ સામે આવ્યો છે..
આ રોડ ઉપર આવેલા એક મકાનમાં કોમલ રાઠોડ તેના પરિવારજનો સાથે રહે છે, કોમલ રાઠોડની ઉંમર 40 વર્ષની છે. અને તે બ્યુટી પાર્લર ચલાવીને પરિવારજનોને મદદરૂપ બને છે. એક દિવસ સવારે તેની દીકરી રસોડામાં રસોઈ કરી રહી હતી. ત્યારે કોમલ રાઠોડ ઘરના બીજા રૂમમાં જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પંખે લટકીને આપઘાત કરી લીધો હતો.
જ્યારે કોમલની દીકરીએ રસોઈ થઈ જતા તેને જમવા માટે બોલાવી હતી, ત્યારે રૂમનો દરવાજો ન ખોલતા તેઓ વારંવાર દરવાજો થપકારવા લાગી હતી, છતાં પણ દરવાજોમાં ખોલતા અને તેણે આસપાસના પડોશીઓની મદદ લીધી અને આ દરવાજાને તોડી નાખ્યો હતો. દરવાજો તોડતા જ તેની નજર સામે પંખા સાથે તેની માતા લટકી રહી હતી…
પાડોશના લોકોએ તાત્કાલિક તેને નીચે ઉતારી અને તેને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી. આ સાથે સાથે પોલીસની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. સૌ કોઈ લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા. પરંતુ કોમલનો જીવ ચાલ્યો ગયો હતો. કોમલની દીકરી વારંવાર બોલતી હતી કે માતા શા માટે બોલતી નથી..
જ્યારે આ આપઘાતમાં બનાવ સામે આવ્યા ત્યારે રાઠોડ સમાજના લોકો પણ તેમના ઘરે પહોંચી ગયા હતા.આ ઉપરાંત મહિલાનો પતિ અને મહિલાના દિયર તેમજ મહિલાના ભાઈએ સાથે સાથે અન્ય સ્નેહીજનો પણ ઘટના સ્થળે હાજર થયા અત્યારે પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ શરૂ કર્યું છે..
તેમજ એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી છે. આ બનાવ બનતા જ સોસાયટીના રહીશોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા છે. આ મહિલાની 16 વર્ષની દીકરીની હાલત ખૂબ જ ખરાબ છે. કારણ કે તેણે પોતાની નજર સામે પોતાની માતાને મૃત હાલતમાં જોઈ છે. ઘરની અંદર તપાસ ચલાવતા કોઈપણ અંતિમ પત્ર કે ડોક્યુમેન્ટ મળ્યા નથી.
હાલ મહિલાની દીકરીની પૂછપરછ કરવાની બાકી છે. મહિલાનું મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ એફએસએલની ટીમની તપાસ અને તેના મોબાઈલ ફોન પરથી જાણવા મળી શકે તેવી પ્રાથમિક તપાસમાં જાણકારીઓ મળી છે. આ બનાવને લઈને ચારે કોર અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]