Breaking News

દીકરીની છેડતી થતી બચાવનાર પિતાને હુમલાખોરોએ દીકરાની નજર સામે જ પિતાને 20 ચપ્પુના ઘા જીંકી પતાવી દીધા..! વાંચો..!

સુરતમાં અસામાજિક તેમજ લુખ્ખા અને ગુંડા તત્વોને પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખુલ્લેઆમ તેઓ મનફાવે તેવું વર્તન કરતા હોય છે. અને સામાન્ય માણસોને નુકસાન પહોંચાડીને તેના પર હુમલો કરતા હોય છે. હવે તો સુરતમાં નિર્દોષ લોકોની હત્યા થવા લાગી છે…

અસામાજિક તત્વો હાથમાં છરા અને રિવોલ્વર લઇને ફરી રહ્યા છે. ગઈકાલે સુરતમાં એક એવી ઘટના બની હતી કે જે વાંચીને તમે પણ હચમચી જશો. સુરતમાં વધુ એક લોહિયાળ ઘટના પર્વત ગામ માંથી સામે આવી છે. સુરતના પર્વત ગામમાં છેલ્લા દસ વરસથી શીવાભાઈ ગજુભાઇ નીકમ તેમના દીકરા સાથે પર્વત ગામમાં રહે છે..

તેમના છૂટાછેડા થઈ ગયા છે. ત્યારબાદ તેઓના પરિવારમાં માત્ર તેમનો એક દીકરો જ છે. શીવાભાઈ પોતે કાપડ માર્કેટમાં સાડી કટીંગ નું કામ કરે છે. એક દિવસ તે માર્કેટથી ઘરે આવતા હતા. એ સમયે તે વચ્ચે નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. એ સમયે એમણે જોયું કે કેટલાક અસામાજીક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા છે…

જાહેર રસ્તા ઉપર છેડતી થતી જોઈને અન્ય કોઈ વ્યક્તિ તેઓની નજીક આવતું નથી.. કારણકે લુખા અને ગુંડા તત્વો હાથમાં છરી લઈને ઘૂમી રહ્યા હતા. તેમજ તેઓ ચારથી પાંચ લોકો હતા તેથી રસ્તા પરથી પસાર થતા અન્ય કોઈ વ્યક્તિ તેની નજીક આવતા નહોતા. પરંતુ શિવાભાઈનુ મન કહેતું હતું કે મારી નજર સામે કોઈ વ્યક્તિ એક યુવતીની છેડતી કરી રહ્યો હોય તો હું તેને બચાવવાનો જરૂર પ્રયત્ન કરીશ..

આજ વિચારધારાને લઈને શીવાભાઈ મધ્યસ્થી કરવા માટે તેમજ યુવતીને અસામાજીક તત્વોથી બચાવવા માટે લુખ્ખા અને ગુંડા તત્વોને ઠપકો આપ્યો હતો. અને ત્યાંથી દૂર ભાગી જવા માટે કહ્યું હતું. બસ આ જ વાતને લઈને અસામાજિક તત્ત્વોએ શીવાભાઈ તેમજ તેના પુત્ર ઉપર હુમલો કરી દીધો હતો…

ત્યાં ઉભેલા પિતા અને પુત્ર ઉપર ઉપરાઉપરી છરીના ઘા મારવા લાગ્યા હતા. યુવતીની નજર સામે જ એક પિતાની ખુબ કરુણ હત્યા કરવામાં આવી હતી. શીવાભાઈ જોયું કે તેના પુત્રને ચપ્પુના ઘા મારવા જઈ રહ્યા છે તો, શીવાભાઈ એ પોતાના પુત્રને બચાવવા માટે હુમલાખોરોને આડે ઉભો રહી ગયો હતો..

બદલામાં હુમલાખોરોએ શીવાભાઈ ને વીસ કરતાં વધારે ચપ્પુના ઘા મારીને સ્થળ પરજ લો.હીલુહા.ણ કરી દીધા હતા. અને ત્યારબાદ હુમલાખોરો તરત જ ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા. આ ઘટના બન્યા બાદ લો.હીલુહા.ણ શીવાભાઈ અને તેમના દીકરાને તાત્કાલિક ધોરણે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

જ્યાં ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું હતું કે સિવા ભાઈ મૃત્યુ પામ્યા છે. આ સાંભળતાની સાથે જ તેઓના પરિવાર ઉપર આફતો ના વાદળ ઘેરાઈ આવ્યા હતા. જ્યારે શીવાભાઈના પુત્ર યશવંત ની હાલત ખુબ જ નાજુક હોવાનું જણાયું છે. આ બાબતે લિંબાયત પોલીસે હત્યા અને છેડતીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે…

તેમાં જણાવાયું છે કે હુમલાખોરો ત્રણથી ચાર વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. એક દીકરાએ પોતાના પિતાને ચપ્પુના ઘા થી કપાતા જોયા છે. આ દ્રશ્ય તેને આખી જિંદગીભર ભુલાશે નહીં કારણ કે માનવતા દાખવીને એક દીકરીની મદદ કરવા જઈ રહેલા શીવાભાઈ ને હુમલાખોરોએ ચપુના ઘા ઝીંકીને પતાવી દીધા હતા…  તેઓને એક ઘડી પણ વિચાર આવ્યો ન હતો કે કોઈ વડીલ ઉપર હુમલો કરાય કે ન કરાય.. તેમજ તેઓના માં દયાભાવ જેવું કશું હતું નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *