હાલના સમયમાં નાના બાળકો સાથે જીવલેણ ઘટનાઓ ખૂબ જ બની રહી છે. પરિવારના બાળકો પોતાની ગંભીર બીમારીને કારણે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અવારનવાર લોકો સાથે આવી ઘટનાઓ બનતા તેઓ પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે, બાળકોને રમતમાં જીવ હોય છે જેના કારણે તેઓ પોતાની સાથે શું કરી રહ્યા છે.
તે તેને સમજ હોતી નથી. ક્યારેક બાળકો પોતાને થતી બીમારીઓને કારણે સારવાર ન મળતા જીવ ગુમાવી રહ્યા હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના બાડમેર જિલ્લાના મીઠાકા તાલાના ગામમાં બની હતી. આ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા દીકરી અને તેમના દાદા-દાદી રહેતા હતા.
દીકરીના પિતાનું 10 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે દીકરી પોતાના દાદા-દાદી અને તેની માતા સાથે રહેતી હતી. દીકરીનું નામ ધુરી હતું. તે પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી. એક દિવસ રમતા રમતા અચાનક તેને તાવ આવી ગયો હતો. જેને કારણે તે પોતાના ઘરે ગઈ હતી અને તેની માતાને પોતાની તબિયત સારી નથી તેમ જણાવ્યું હતું.
માતાએ તપાસ કર્યું તો ધુરીને તાવ આવી ગયો હતો. ધુરીના દાદા તેને દવાખાને લઇ ગયા હતા. તેના જ ગામમાં હીરારામના ડોક્ટર પાસે તેને લઈ ગયા હતા. તે સમયે ડોક્ટરે તપાસ કરીને દીકરીને ટીપા પીવડાવ્યા હતા અને દીકરીને અનેક વખત એન્ટી બાયોટિકના ઇન્જેક્શન આપ્યા હતામ, જેના કારણે ત્રણ કલાક સુધી દીકરીની તબિયત સારી રહી હતી.
પરંતુ ત્યારબાદ દીકરીની તબિયત અચાનક જ બગડતા તેને બાડમેરમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી પરંતુ 22 કિલોમીટર પહેલા નિંબરીગામ પાસે પહોંચતા બાળકીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તેના પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. ત્યારબાદ દીકરીના મૃતદેહને લઈને પરિવારના સભ્યો ફરીથી ગામમાં પહોંચ્યા હતા.
તે સમયે જોયું તો ક્લિનિક બંધ હતું અને ડોક્ટર પણ ફરાર થઈ ગયો હતો. ડોક્ટરને દીકરીના મૃત્યુની જાણ થતા તે પોતાનો ભાંડો ફૂટી જશે તેમ વિચારીને ભાગી ગયો હતો ત્યારબાદ દીકરીના પરિવારના લોકોએ ધનૌ પોલીસ સ્ટેશનના દીકરીના મૃત્યુની ફરિયાદ નોંધાવી હતી. એક ડોક્ટરની બેદરકારીને કારણે દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ડોક્ટરે એન્ટિબાયોટિક ઇન્જેક્શનનો દીકરીને આપી દીધો હતો. જેને કારણે દીકરીના મોંમાંથી ફીણ નીકળતા દીકરીનું મૃત્યુ થયું હતું ત્યારબાદ દીકરીના પરિવારના લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આ ડોક્ટર ગામમાં લગભગ 10 થી 15 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યો છે…
જેને કારણે ગામના તમામ લોકો તેની તપાસ કરીને સારવાર કરાવતા હતા. પરિવારના લોકોએ પણ દીકરીની ત્યાં જ સારવાર કરાવી હતી પરંતુ દીકરી ડોક્ટરની બેદરકારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બધા ડોક્ટરો સરખા હોતા નથી. ઘણા બધા ડોક્ટરો પોતાના જીવને જોખમમાં નાખીને લોકોની સેવા કરી રહ્યા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]