વાહન ચાલકોની બેદરકારી અમુક વખત કોઈ સામાન્ય તેમજ નિર્દોષ વ્યક્તિઓના પણ જીવ લઈ લેતી હોય છે, હાઈવે ઉપર હજારોથી લાખોની સંખ્યામાં રોજબરોજ ઘણા બધા વાહનો પરિવહન કરતા હોય છે. જેમાં નાની અમથીચુક થઈ જવાને કારણે પણ કોઈ વાહન ચાલકને મોટા અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે..
અકસ્માતના ઘણા બધા બનાવોની અંદર રોજબરોજ કેટલાય વ્યક્તિઓના મૃત્યુના બનાવ પણ આપણે સાંભળતા હોઈએ છીએ અકસ્માતનાના કિસ્સાની અંદર થતા મૃત્યુ ખૂબ જ દર્દનાક હોય છે, અને આવા મૃત્યુના બનાવને કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી ભુલાવી શકતું નથી..
અત્યારે સવાર સવારના સમયે એક કાળ ધ્રુજાવતો અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં નાનકડી દીકરીનો આબાદ રીતે બચાવ થયો છે. જ્યારે તેના પિતાનું ગંભીર અને કરુણ મોત થયું હતું, આ ઘટના હીરા નગર વિસ્તાર પાસેથી સામે આવી છે. અહીં આવેલી રસીલા પાર્ક સોસાયટીમાં આકાશ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે..
પરિવારમાંથીની પત્ની તેની નાનકડી દીકરી અને તેના માતા-પિતાનો પણ સમાવેશ થતો હતો, આકાશની નાનકડી દીકરી પિન્કીને રોજબરોજ આકાશ શાળાએ લેવા મુકવા માટે જતો હતો, આકાશ ઘરે બેસીને જ વિદેશની કંપનીની અંદર લેપટોપ દ્વારા નોકરી કરતો હતો તે સવારના સમયે પોતાની લાડકવાઈ દીકરીને શાળાએ મૂકવા માટે પોતાની મોપેડ લઈને જઈ રહ્યો હતો..
એ વખતે તેની સાથે ખૂબ જ મોટું અકસ્માત સર્જાઈ ગયો હતો, બિચારા આકાશને એવી તો શી ખબર કે, આ સવાર તેની હવે અંતિમ સંસ્કાર બની જવાની છે. આકાશ પોતાનું મોપેડ લઈને પિંકીને સવારના 07:00 વાગ્યા આસપાસ તેની શાળાએ મૂકવા માટે પોતાના ઘરેથી સાત કિલોમીટર દૂર આવેલા શાળા તરફ પોતાની મોપેડ લઈને જતો હતો..
એ વખતે ત્રીકમપુરા ત્રણ રસ્તા પાસે એક પર ચાલકે આકાશભાઈની મોપેડને પાછળથી લઈ લીધી હતી. ડમ્પરની અથડામણ મોપેડ સાથે થતાની સાથે જ મોપેડનો તો કુરચે કુરચો બોલી ગયો હતો, આ ટક્કર લાગતાની સાથે જ મોપેડમાં આગળના ભાગે ઊભેલી નાનકડી દીકરી પિન્કી ફંગોળાઈને દૂર જતી રહી હતી..
જ્યારે આકાશભાઈ મોપેડીના ટાયર નીચે થી પસાર થઈ જવાને કારણે તેમના ફેફડા ફાટીને હાથમાં આવી ગયા હતા, આ મોપેડ તેમજ આકાશભાઈના શરીર ઉપરથી ડમ્પર ચાલી ગયું હતું. જ્યારે આકાશભાઈની નાનકડી દીકરી પિંકીનો આબાદ રીતે બચાવ થઈ ગયો હતો, હવામાં ફંગોળાઈ જવાને કારણે પિંકીનો જીવ બચી ગયો જ્યારે આકાશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું..
તેના શરીરના તમામ અવયવો ફાટીને બહાર આવી ગયા હતા અને રસ્તા ઉપર લોહીની નદીઓ વહેવા લાગી હતી, આ કાળજા કંપાવતો અકસ્માત સવારના સમયે ઘણા બધા લોકોએ પોતાની નજર સામે જોઈ લીધો હતો. તાબડતોબ લોકોનું ટોળું તરત જ ત્યાં એકઠું થઈ ગયું હતું અને આકાશભાઈ ને હોસ્પિટલે લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ બોલાવી લેવામાં આવી હતી..
પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને આકાશભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. પોતાના પિતાને આવી દર્દનાક હાલતમાં જોઈને બિચારી પિંકી પણ કશું સમજી શકી નહીં અને તે વારંવાર રડવા લાગી હતી, આકાશભાઈનો મોબાઇલ ફોન દૂર આવીને પડી ગયો હતો..
જેમાં ઈમરજન્સી મોબાઈલ નંબરમાંથી આકાશભાઈની પત્નીને ફોન લગાવવામાં આવ્યો અને તેમને આ વાતની જાણકારી આપવામાં આવી હતી, આકાશભાઈનો સમગ્ર પરિવાર વહેલી સવારે ત્રિકમપુરા ત્રણ રસ્તા પાસે આવી પહોંચ્યો હતો અને ત્યાં આકાશભાઈને મૃત હાલતમાં જોઈને પરિવારના દરેક લોકો હચમચી ઉઠ્યા હતા..
આ અકસ્માત સર્જાતાની સાથે ડમ્પર ચાલક ડમ્પર માંથી નીચે ઉતરીને ભાગવાની કોશિશ કરતો હતો, પરંતુ સ્થાનિક લોકોએ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો અને તે દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ડમ્પર ચાલકની હાલ તપાસ થઈ રહી છે અને તેની કડક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે..
દારૂ પીને વાહન ચલાવનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે શહેર તેમજ રાજ્યનું તંત્ર સતર્કતાથી મહેનત કરી રહ્યું છે, છતાં પણ કેટલાક વ્યક્તિઓની હિંમત ઓછી થતી નથી અને તેઓ વાહન ચલાવવાના નિયમોને ધજાગરા ઉડાડી દઈ સામાન્ય વ્યક્તિને કાળનો કોળિયો બનાવી દેતા હોય છે..
આકાશભાઈ તેમના પરિવારનો એકલો આધાર સ્તંભ હતા, તેઓ જે પણ કમાણી કરતા તેમનાથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું હતું. પરિવારના કમાતા દીકરાનું મૃત્યુ થતાં પરિવારને વધારે દુઃખ લાગી આવ્યું છે, આકાશભાઈના મા-બાપ તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી..
તેમજ આકાશભાઈની પત્ની પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ હતી, બિચારા આકાશભાઈને એવી તો શી ખબર કે, તેમની દીકરી શાળાએ પહોંચે એ પહેલાં જ આકાશભાઈ નું મૃત્યુ થવાનું છે. સવાર સવારના સમયે આ દર્દનાક અકસ્માતનો બનાવ સામે આવતાની સાથે ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]