હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં એવા જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે કે જેને કારણે પરિવારના લોકો પોતાના અંગત વ્યક્તિઓના જીવ ગુમાવી રહ્યા છે. જેની સાથે અકસ્માત સર્જાયો હોય તે વ્યક્તિનું મૃત્યુ થઇ જતાં પરિવાર નિરાધાર બની જાય છે. હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો હરિયાણાના રેવાડી બસ સ્ટેશન પર બન્યો હતો.
પાણીપત જિલ્લાના આસંકલન ગામના રહેવાસી પરિવારના યુવક બિજેન્દ્રભાઈ રેવાડી આવી રહ્યા હતા. બીજેન્દ્રભાઈની ઉંમર 47 વર્ષની છે. તેઓ પોતાના પરિવારમાં પત્ની અને તેમના બાળકો સાથે રહેતા પરંતુ બીજેન્દ્રભાઈની દીકરી હરિયાણાના રેવાડી શહેરના એક કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી હતી.
જેના કારણે બીજેન્દ્રભાઈ તેમની દીકરીને પુસ્તકો અને અમુક સામાન આપવા માટે આવ્યા હતા. બિજેન્દ્રભાઈએ હરિયાણા રોડવેઝની બસમાં ટિકિટ લીધી હતી. જેના કારણે તેઓ બસમાં બેસીને રોહતક થઈને રેવાડી પહોંચ્યા હતા. તે સમયે રેવાડી પહોંચી બસ સ્ટેશન પર બસ ઉભી રહી હતી. દરેક મુસાફરો એક પછી એક નીચે ઉતરી રહ્યા હતા.
તે સમયે બીજેન્દ્રભાઈ પણ પોતાનો સામાન લઈને નીચે ઉતરતા હતા. અચાનક જ ડ્રાઇવરે મુસાફરો ઉતરી ગયા છે કે નહીં તે જોયા વગર જ બસને ચાલુ કરી દીધી હતી. અને બસ તેણે થોડી ચલાવી હતી. બીજેન્દ્રભાઈનો એક પગ બસના છેલ્લા પગથિયાં પર હતો અને એક પગ રોડ ઉપર હતો. જેના કારણે બસ અચાનક ઝડપી ચાલુ થઈ જતા વિજેન્દ્રભાઈ રસ્તા પર જ પડી ગયા હતા.
બસની ટક્કરે તેઓ બસની નીચે પડી ગયા ત્યારબાદ બસ ચાલુ થઈ જતા બસ બીજેન્દ્રભાઈના માથા પરથી ચાલી ગઈ હતી. બસનું પાછળનું ટાયર બિજેન્દ્રભાઈના માથા પરથી ચાલી જવાને કારણે તેઓએ ત્યાંને ત્યાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમનો બધો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો અને ઘટના સ્થળે ઊભેલા લોકો તરત જ બીજેન્દ્રભાઈ પાસે દોડી આવ્યા હતા.
અને બસ ચાલકને પણ ઉભો રાખવાની કોશિશ કરી હતી. બસ સ્ટેશન પર રહેલા પોલીસ કર્મચારીઓ અને મુસાફરોને બચાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. બિજેન્દ્રભાઈ અડધો કલાક સુધી ત્યાંને ત્યાં જ પડ્યા રહ્યા ત્યારબાદ આ અકસ્માત થતાં બસ ડ્રાઇવર અને કંડકટર બંને બસ મૂકીને ભાગી ગયા હતા.
ત્યારબાદ સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસને હાથ ધરી હતી. બીજેન્દ્રભાઈના પરિવારના લોકોને પણ તેમના આકસ્માત સર્જાયાની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોને બિજેન્દ્રભાઈના મૃત્યુની જાણ થતા જ પરિવાર ભાંગી પડ્યું હતું.
બિજેન્દ્રભાઈની ઘરે આવવાની રાહ જોઈ રહેલા પરિવારને તેમના મૃત્યુના સમાચાર મળતા તેઓ બેધાર આંસુએ રડી રહ્યા હતા. બીજેન્દ્રભાઈએ પોતાના બાળકોને નિરાધાર કરી નાખ્યા હતા અને તેમની દીકરી તેમના પિતાની આવવાની રાહ જોઈ રહી હતી. દીકરી પોતાના પુસ્તકો અને અમુક સામાન્ય પિતા હમણાં લઈને આવશે તેમ રાહ જોઈ હતી.
અને તેને પોતાના પિતાના મૃત્યુના સમાચાર મળતા તે પણ આઘાતમાં સરી પડી હતી અને પોતાનું ભાન ભૂલી ગઈ હતી. અચાનક એક ડ્રાઇવરને કારણે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. જેના કારણે તેનો પરિવાર નિરાધાર બની ગયો હતો. પોલીસ બસ ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]